SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. ગઈ પરંતુ હજી કંઈ કરી શકાયું ન”િ આ પ્રમાણે અત્તરમાં શું થાય છે. મનુષ્યા, એ આપણને મોટામાં મેટી મુંડી મળેલી છે તેને જેમ બને તેમ સર્વોત્તમ સુખ પ્રામા વ્યય કરવો એ ખરેખર વિવેક છે. વ્યાવહારિક આજીવિકાદિ કારણોમાં વખતને થય કરવામાં આવતાં એ સ્વાભાવિક પ્રશ્ન ઉદ્ભવે છે કે શું એ સત્ય સુખનાં વાસ્તવિક કારણ છે? આને ઉત્તર નકારમાં આવશે. વિશ્વમાં અનેક અન્ય વિષય સંબંધી આયુષ્ય વ્યય કરવો એ વિવેકગમ્ય અને અનુભવગમ્ય થતું હોય એવો નિશ્ચય થતું નથી. જે જે કાર્યોમાં મન વચન અને કાર્ય પૂર્વક પ્રવૃત્તિ કરવામાં આવે અને તે કાર્યોની ક્ષણિકતાથી આભાને મિધ્યાયાસ, દુઃખ, ખેદ અને કર્મબંધ ફળ પરિણામે દરિ ગોચર થાય ત્યાં વખતને વ્યય કર એ ઉત્તમ વિવેક દષ્ટિમાં શી રીતે સત્ય મન્તવ્ય તરીકે નિર્ણય કરી શકાય ? અલબત પ્રત્યુત્તરમાં સત્ય કથ્ય તરીકે કઠે એજ ગાશે કે તે સત્ય વિવેકમાં સત્ય કર્તવ્ય અને સહજ સુખપ્રદ વખતને વ્યય કર્યો એમ તે નહિ જ. મનુષ્ય જેમ જેમ અનુભવ નાન પ્રદેશમાં અચપ્રયાણ કરે છે તેમ તેમ તે પૂર્વે જે જે બાબતોમાં વખતો વ્યય કર્યો હતો તેમાં દેવ નિરીક્ષે છે અને કથે છે કે ઉત્તમ રીતે વખતને ય નહિ. જેમ જેમ-અનુભવજ્ઞાન પ્રદેશમાં અગ્રિમ ચંક્રમણ કરવામાં આવશે તેમ તેમ પૂર્વ વખતનો ઉત્તમ વ્યય થયે નહિ એમ અવબોધાવાનું. જ્યારે આવી સ્થિતિ છે ત્યારે શું કરવું. પ્રત્યેક મનુષ્યને ભિન્ન બિન અનુભવ હોય છે. પ્રત્યેક મનુષ્યની દ્રષ્ટિમાં વખતનો વ્યય કેવી રીતે કરે તે બાબત ભિન્ન ભિન્ન અનુભવ હોય છે. સર્વ મનુના અનુભવને એક સત્યાનુભવ કરવો એ સામાન્ય મનુષ્યની આખી જીંદગીનું કાર્ય નથી. આ સર્ચ બાબતોના ખુલાસાઓ માટે શ્રી વીરપ્રભુના આગમોનું અવલંબન લેવાની જરૂર છે. શ્રી વીસ્પબુના આગમનું ઉપાદેય દૃષ્ટિથી દેહન કરતાં પોતાની મનુષ્ય જીંદગીને ય કેવી રીતે કરવું તેનો ખુલાસો મળી શકે છે. શ્રી વીરપ્રભુએ જેવી રીતે જે માર્ગે વખતનો વ્યય કરીને અનંત સુખમય પરમાત્મ દશા પ્રાપ્ત કરી તેજ રીતે મનુષ્ય વખત તે બય કરવા ધારે તે તે અનન્ત સુખને માર્ગ અને તેનું સ્થાન તે દેખી શકે અને પ્રાપ્ત પણ કરી શકે. શ્રી જિનેશ્વરે વખતનો વ્યય કેવી રીતે કરવા તત્સંબંધી સાધુઓ અને ગૃહસ્થને સમ્યગ ઉપદેશ દીધો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગની કેવી રીતે આરાધના કરીને વખતના એ જીંદગીની ઉન્નતિ કરવી તત્સંબંધી શાસ્ત્રોમાં સંપ વર્ણન કરવામાં આવ્યું છે. રાગદેષની પરિક્ષીણતાની સાથે આત્માના જ્ઞાનદર્શન અને ચારિત્રગુણને આવિર્ભાવ થાય એવી રીતે સાધુ જીવન ગાળવાનો શ્રી જિનેશ્વરે ઉપદેશ દીધો છે. ગૃહસ્થ જીવન કરતાં સાધુજીવન અનન્ત ગુણ ઉચ દર્શાવવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે ગૃહસ્થજીવન કરતાં સાધુજીવન ખાસ મોક્ષ તત્વની આરાધનામાં જય છે. સાધુના આયુષ્યને કાળ ધર્મ અને મોક્ષની આરાધનામાં જાય છે. આ ઉપરથી સમજી શકાય છે કે વખત વ્યય કેવળ ધર્મ માર્ગમાં કરનારા હોય છે તેથી તેમનું જીવન પરમ પવિત્ર ગણાય છે અને તેને વિશ્વના સર્વ ગૃહસ્થ જીવે નમસ્કાર કરે છે. સાધુનાં પંચ મહાવ્રત અંગીકાર કરનારાઓએ રાગની ક્ષીણતા થાય અને આત્માના ગુણોની વૃદ્ધિ થાય તેવી રીતે વખતને વ્યય કરે જોઈએ. મન વચન અને કામા વડે રાગદેવને કરવા અન્યો પાસે કરાવવા અને જેઓ રાગદેપ કરતા હોય તેઓની અનુમોદનામાં સાધુને આયુષકાલ નકામે ન જ જોઈએ. સાધુને વિષ અને સાધુના આચારોમાં આમાના ગુણોનું પરિણમન થાય અને તેથી અન્ય
SR No.522065
Book TitleBuddhiprabha 1914 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size778 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy