SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. એવા હુમલાઓ ન કરવા જોઇએ, કાઇ પ્ણ લેખકે કંઈ પણુ લખતાં પહેલાં મારાથી કયા કારણથી શું લખાય છે તેને વિચાર કરવા જોઇએ. ક્રોધ વગેરેના જી આજ્યેા હોય તે વખતે લેખકે શાન્ત રહેવું જોઇએ. કોઇ લેખકે કંઇ પણ નુસ્સાથી એકદમ લખ્યું તેને એકદમ ન છપાવતાં કેટલાક દિવસની વાર કરવો અને પશ્ચાત, તે લેખ વાંચી જવા અને તે વખતે વિવેકથી યોગ્ય વિચાર કરીને યોગ્ય લાગે તે ખાવવું. લેખક મધ્યસ્થ હોય છે તે તે કેઇ પણ બાબતના પક્ષપાતમાં પડયા વિના દરેક આયતમાંના મધ્યસ્થ દૃષ્ટિધી વિચાર કરી શકે છે અને જે સત્ય લાગે છેતેને લખવા પ્રવૃત્ત થાય છે. મધ્યસ્થ લેખક કાઇ પણ બાબતના પક્ષપાતમાં પડતે નથી અને તે દરેક વસ્તુએની સત્યતાપૂર્વક પરીક્ષા કરી શકે છે. મધ્યસ્થ લેખક સાચું તે મ્હારૂં એ સૂત્રને અનુસરી ચાલે છે. પક્ષપાતના અભાવે તે સત્યને સમજવાને અને સત્યતે લખવા સમર્થ થાય છે. મધ્યસ્થ મનુષ્ય અને તરને વિચાર કરે છે અને તેમાં સત્યાસત્ય શું રહ્યું છે. તેને પક્ષમાં પડયા વિના વિચાર કરી શકે છે, અને કેાઇના પક્ષમાં પડયા વિના મધ્યસ્થપણાથી સત્યને લખી શકે છે. લેખકના શબ્દોમાં તે મધ્યસ્થતા હોય છે તેા તેના લેખ સાક્ષરોમાં પ્રથમ નબરે આવે છે. મધ્યસ્થ લેખક શાન્તિથી સ્વપરનું હિત થાય તેવે માર્ગ લખી શકે છે અને પક્ષપાતી લેખક પેાતાનું ખરૂં પારકામાં કઇ પણ ખરૂં નથી એવુ રામાંધણાથી લખી દે છે તેથી દેખતી દુનિયા તેની પરીક્ષા ઝટ કરી શકે છે. મધ્યસ્થ મનુષ્ય પેાતાના મગજને કાળુમાં રાખીને અને મગજની સમતાલ દશા જાળવીને લેખ્ય વિષ્ણુને લખે છે અને તે જે લખે છે તેમાં સત્ય દલીલોને આગળ કરીને લખે છે તેથી તેમાં ઘણે સયતા બાગ ઝળકી શકે છે. મધ્યસ્થ લેખક બનવું એ ધારવા કરતાં ઘણું મુશ્કેલ કાર્ય છે. અનેક લાલચેાને અને હૃષ્ટ સબધાની દરકાર કરવામાં નથી આવતી ત્યારે મધ્યસ્થપણાથી લખી શકાય છે. આ પારકું અને આ મ્હારૂં એવી પક્ષપાત બુદ્ધિ ટળે છે ત્યારે હૃદયમાં સત્ય બુદ્ધિનો પ્રકાશ થાય છે અને તેથી મધ્યસ્થ લેખકના લેખથી દુનિયાને ઘણો લાભ પ્રાપ્ત થાય છે. મધ્યસ્થ લેખાને ભલે પક્ષપાતી લેખકો વા પક્ષપાતી વાચકો હિંસાખમાં ન ગણે તેથી કંઇ મધ્યસ્ય લેખ અને મધ્યસ્થ લેખકની મહત્તામાંની ન્યૂનતા થતી નથી. મધ્યસ્થ લેખક આખી દુનિયામાં પેાતાના સત્ય લેખ પ્રકાશવા ભાગ્યશાળી બને છે. ૨૪૪ લેખકમાં સહનશીલતા નામના ગુણુ હાવા જોઈએ. જે લેખકમાં સહનશીલતા નથી તે મગજ ખાઇને કારણુ પ્રસંગે આડું અવળું કથનું કંઇ લખી દે છે અને તેથી તે પાછળથી પશ્ચાત્તાપ આદિ પાત્ર બને છે. સામાન્ય લેકેમાં એવી કહેણી ચાલે છે કે “ સા વાર ભખવું અને એકવાર લખવું” સાવાર ખેલવું અને એકવાર લખવું-સેકવાર ખેલવું પણ લખવું હોય ત્યારે સેંકડાવાર વિચાર કરીને એકવાર લખવું-લેખકને દુશ્મની હોય છે. આ જગમાં કાઈને દુશ્મન નથી એવું તે કોઇ હોતું નથી. લેખ લખતી વખતે પેાતાના પ્રતિપક્ષીએ સામે ખરાબ દિષ્ટ ન હાવી જોઇએ. પાતાનાધી વિરૂદ્ધ પક્ષીએ હોય તેના સંબધી ખુરૂં લખવાના વિચારો કદિ કરવા ન જોઇએ. પ્રતિપક્ષીઓમાં જે જે કંઈ સારૂ હોય તેના કર્દિ અનાદર ન કરવા ભેઇએ. લેખિની ઉપાડતાં પૂર્વે સર્વ જીવાપર કરૂણા અને મૈત્રી ભાવના ભાવવી અને અસહન શીલતાને દૂર કરી ક્ષમા ધારણુ કરી જે કંઇ લેખ્ય હોય તે લખવા પ્રવૃત્ત થવું જોÉએ.
SR No.522055
Book TitleBuddhiprabha 1913 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages66
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy