________________
સુવર્ણ રજ.
सुवर्ण रज. GOLDEN GRAIN.
( સંવાહક-ઉલયચંદ લાલચંદ ) જે વર્તન તમારી તરફ કરવામાં આવે તે તમને પસંદ ન પડે, તેવું વર્તન તમે પણ અન્ય પ્રત્યે ન કરે.
મનુષ્ય માત્ર પ્રમાણિકપણે ચાલવાને માટે જન્મ્યા છે. જે મનુષ્યો પિતાનું પ્રમાણિકપણું ગુમાવે છે તે મરેલા જેજ સમજે.
એક માણસ જેટલો સંદર્ય-સુંદરતા–મેહકતાને ચાહે છે તેટલો સરાણ ચાહનાર પુરૂષ વિરલ જ હોય છે.
કોઈ પણ વિદ્વાન સુવર્ણ-હીરા-મેની આદિક દ્રવ્યને કીમતી ખજાનો ગણશે નહીં; પરંતુ તે એક નિહા, સારી શ્રદ્ધા–પ્રમાણિકપણું ઈત્યાદિક ગુણોને કીંમતી ખજાને ગણશે. તે ખેતર–ધન-ધરા-ધરણને ચાહશે નહીં, પરંતુ “ સત્ય ' તાના સ્થાપનને પોતાનું સામ્રાજ્ય સમજશે. તે દેલતની ઇચછા કરશે નહીં; કિન્તુ સદ્દગુણોની પ્રાપ્તિને પોતાની ખરી દેલત માનશે.
વિદ્યાના શોખીન થવું તે વિદ્યાની સમીપમાં રહેવા સમાન સમજવું જોઈએ છે. ઉભાહથી કામ કરવું તે ઔદાર્યની સમીપ રહેવા બરાબર છે અને શરમની લાગણું રાખવી એ ઉત્સાહની સમીપમાં રહેવા
ભાવભાવ–પ્રેમભાવ-વાત્સલ્યભાવ એ કુદરતને અચળ કાયદો, સુષ્ટિની સત્યતા તે માણસનું વ્યવહારિક કર્તવ્ય છે.
જગતના મનુષ્યએ જાણવું જોઈએ કે દુઃખ અને દુઃખ સહન કરવા પછીથી જે સુખ પ્રાપ્ત થાય છે તે જ સુખ રસવત્તર છે. વિશ્રાંતિને માટે વૃક્ષની છાયા છે, તે તાપથી તપેલા મનુષ્યને વિશેષ સુખ આપે છે.
વિદ્યાવિલાસી જને ! તમારામાં કેવા કેવા ગુખ અને ઉચ્ચ અંશ હશે તેની આજ કે કલ્પના કરી શકે તેમ છે ? તેને પ્રકાશ થવામાં કેવળ ધર્ષણ, સમય અને પ્રસંગ ગનો જ વિલંબ હશે એમ કેમ ન હોય? એ વાત આપણે સ્મરણમાં રાખવાની આવશ્યકતા છે, હીરા ઇત્યાદિક રત્નની ઉપરનાં કેટલાંક ૫ડ શાણસાના ઘર્ષણથી નિકળી જાય છે ત્યારે તેની અંદરથી પરાવર્તક અને ડીરાદિક નિકળે છે. તેવી જ રીતે આપણી ઉપરનાં અવિવા અથવા અજ્ઞાન અને તેને લીધે થતા અનેક દેનાં પડ નિકળી જવા જોઈએ છે. કોઈ સમયે કઈ પહેલ પાડનાર અને પરીક્ષાવાન મળવાથી કેવા ગુણગ્રાહી-ગુણદાતા અને મૂલ્યવાન થઇને પ્રકાશીશું તે કહી શકાતું નથી. એટલા માટે જે ભાગ્યશાળી વિદ્યાલયોમાં આવી ઉચ્ચ લેખકના વિચાર વાંચવા સુધી સમર્થ થયા હેય તેઓએ મરણ પયંત વિદ્યાથી વિમુખ થવું જોઈએ નહીં.
૧ ફસાઈને નકામો ભાગ નિકળી જ.