________________
વિલક્ષણ પૈ.
૩૦૫ विलक्षण धैर्य. માસીક મરજન ઉપરથી અવતરણ.
(લેખક. મણીલાલ મોહનલાલ. પાદરાકર.) પુણ્યક શિવાજી મહારાજે, મહારાષ્ટ્રમાં વાવેલાં રાજય બિજને હજી અહણુજ અંકુર ફુટતા હતા; અઠવાડીઓ ઉપરજ “ચાકણુ” ને પ્રસિદ્ધ કિલ્લે શિવાજીએ સર કર્યો છે, ને તેને ચાસ બંદે બસ્ત કરવા સારૂ મહારાજ પિતે ત્યાં રહ્યા હતા અને હવે પોતાને મન ગમત બંદોબસ્ત થઈ ગયે હેવાથી, પ્રસન્ન હૃદયે વામ કુક્ષિ કરવા–જરા વિશ્રાંતિ લેવા તેઓ એક સુંદર દિવાનખાનામાં ગયા. તે દિવાનખાનું કંઈ આજના જેવા તકલિદી ફરનીચર-કિંવા ફટ દઈને પુરી જાય તેવા બિલોરખાનાથી શણગારાયેલું નહતું પણ ઉંચા પગ ખૂચિ જાય તેવા મેટા-ગાલિચા, ઉંચી મખમલની ગાદિવાળો –પ્રચંડ સુવર્ણ પલંગ, મજબુત-કારીગીરીવાળાં સિંહાસને, સુવર્ણવાળી ખચિત પાદપિઠીકાઓ, દિવાલ પર મહા પુરૂનાં ચિત્રપટો, બાજુમાં ભેરવેલી, ઝકારા મારતી–સ્યામરંગી–પ્રચંડ તલવાર, દિવા કરવાની મેટી પીતળની દિવાઓ, પાનસોપારીનું તબક, આદિ વિવિધ સુશોભિત–પણ મજબુત વસ્તુઓથી તે સુસજજ હતું.
રાજ્ય સ્થાપનનું મહત્વનું કાર્ય આરંભ્યા પછી તે મહા પુરૂષને સુખે નિદ્રા આવતી ન હતી. “ચાકણુ” સર કર્યા પછી સમાધાનથી શિવાજી સુઈ ગયા-ને તુર્તજ ઘસઘસાટ. ઉંઘી ગયો.
ટૂંક સમય થે નહિંતેટલામાં તે શિવાજી ઝબકીને જાગી ઉઠયા પરંતુ તેમણે જાગી ઉઠતાંની સાથે જ શું જોયું ? પિતાની છાતી ઉપર એક અલ્પ વય-પણ પ્રચંડ બાંધાને તરૂણ હાથમાં ચકચકત-તિક્ષણ છરે લઈ-પોતાનું ખૂન કરવાના ઈરાદે ચઢી બેઠે હતા. તેની કદ્ધ સુદા–તેમજ તેણે શિવાજીને જે રીતે થતી પર દાખ્યો હતો તે પરથી તે શિવાજીને છોડે--અગર શિવાજી તેની પાસેથી છટકી જાય એવો બિલકુલ માર્ગ હતાજ નહિં. શિવાજીએ સમજ ભેરવેલી–પિતાની વહાલી “ભવાની” તલવાર સામે જોયું પણ ના ના આજ શિવાજી તે લઈ શક્યા નહિ. તે યુવક તુર્તજ તેમની ઈચ્છા પામી ગયેલ તે તેમને મારવા–તેમનું ખૂન કરવા-શિવાજીના વાવેલા રાજ્યના કુમળા છોડને કચરી નાંખવા–તેણે પોતાનો છો હવામાં ઉછાળ્યો-થઈ રહ્યું–આવી રહ્યું. શિવાજી શું કરે ? પાંજરામાં પુરાયેલા સિંહના જેવી જ તેમની આજ સ્થિતિ હતી. તેમના છુટવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા–ભારતોદ્ધાર કરવા મથનારવ્યક્તિનું અસ્તિત્વ હવે વધુ વાર હયાતીમાં નહી રહે–પણું તેટલામાં તે–
ઈ પ્રચંડ આકારે–તે ઉંચો કરેલો હાથ મજબુત પકડે ને એક અચકા સમેત તેને છરા સુદ્ધાંત ઉંચકી દુર ફેંકી દીધા. મહારાજ હવે છૂટા હતા ને તે તરૂણપર છરા સાથે કોઈ ચડી બે હતું. શિવાજીએ પોતાના પ્રાણદાતા–મિત્રને ઓળખે. તેની સેવાધી શિવાજીને તેના પરનો પ્રેમ હજારો ઘણો વધી ગયો. તેમનું ગળું બેશી ગયું ને મૃદુસ્વરે બેલ્યા. “ તાનાજી?”
મહારાજની મધુર હાક સાંભળતા જ, તાનાજી ઉઠોને તે યુવકને મહારાજની સમક્ષ