________________
૨૬૪
બુદ્ધિપ્રભા. चहिरन्तश्च समन्तात्-चिन्ताचेष्टा परिच्युतो योगी तन्मयमा प्राप्तः कलयति भृशमुन्मनीभावं ॥ २५ ॥
(વર્ષઃ ) એકાત પવિત્ર રમ્ય પ્રદેશમાં સુખાસને બેસી પગના અંગુઠાથી મસ્તકના અગ્રભાગ પર્યત સમગ્ર અવયવોને શિથિલ કરી કાતરૂપને જોઈ મનોહર વાણુને સાંભળતી સુગંધીએને સુંઘતી રસાસ્વાદ ચાખતી મૃદુભાવોને સ્પર્શતી એવી મનની વૃત્તિને નહિ વારત છતાં ઓદાસીન્ય ભાવમાં ઉપયુક્ત અને નિત્ય વિષયાસક્તિ વિનાનો અને બાહ્ય અને અન્તર ચેષ્ટા ચિન્તાથી રહિત થએલો યોગી પોતાના શુદ્ધ સ્વરૂપના તપભાવને પ્રાપ્ત થઈ અત્યંત ઉન્મનીભાવને ધારણ કરે છે.
અધ્યાત્મજ્ઞાન વિનાનું સર્વ જ્ઞાન ખરેખર વર વિનાની જાન જેવું છે. पढना गुणना सबहि जूठा जवनहि आतम पिच्छाना. बरविना क्याजान तमासा-लुण घिण भोजनकुं खाना.
अलख देशमें बास हमारा. स्वगत. આમજ્ઞાન વિનાનું ભણવું ગણવું આદિ સર્વે સંસાર હેતુભૂત છે. વર વિનાને જાનને તમારે જેમ શોભાલાયક થતો નથી તેમ આત્મજ્ઞાન વિનાનાં સર્વ જ્ઞાનને આડબર પિતાના આત્માની શોભા માટે થતો નથી. લુણવિનાનું ભજન જેમ લખું લાગે છે તેવી રીતે અધ્યાત્મજ્ઞાન વિનાનાં પુસ્તક પણ શાનિઓને નિરસ લાગે છે. સર્વરસનો રાજા શાંતરસ છે. અધ્યાત્મજ્ઞાન એ શાન્તરસને સાર છે. અધ્યાત્મજ્ઞાન વિના રસાધિરાજ શાંતરસને કેઈ પ્રાપ્ત કરી શકતું નથી. અધ્યાત્મજ્ઞાનવિના ખરે શાક્તરસ પારખી શકાતા નથી તેથી મુગ્ધ કૃત્રિમ શાક્તરસને ખરો શાન્તરસ માની લે છે માટે શાન્તરસનો મહિમા જણાવનાર એવા અન્ય ધ્યાત્મજ્ઞાનની ઉપાસના કરવી જોઇએ. અધ્યાત્મજ્ઞાનથી પોતાના આત્માને શરીરથી જુદા પાડી શકાય છે. ત્રિાટ સર્વર જૈનષatવજૂદ શ્રી માત્ર પોગશાસ્ત્રના બારમા પ્રકાશમાં છેવટે અપાતમજ્ઞાનપર પોતાની દષ્ટિ ફેરવે છે તેઓશ્રી અધ્યાત્મ સંબંધી નીચે પ્રમાણે લખે છે.
છે ! पृथगात्मानं कायात पृथक्च विद्यात् सदात्मनः कायं
उपयोर्भेद ज्ञाताऽत्मनिश्चये न स्खलेद् योगी-" આત્માને શરીરથી જુદે જાણવો અને શરીરને આમાથી ભિન્ન અધવું આ પ્રમાણે ઉભયને ભેદ જ્ઞાતા યોગી આત્માના નિશ્ચયમાં રખલાય માન થતું નથી. સારાંશ કે દેહથી પિતાના આત્માને ભિન્ન જાણીને ધ્યાન ધરનાર એગી આ માનો પ્રકાશ કરવામાં આગળ વધતું જાય છે તેને વિના નડે છે પણ તેની તે દરકાર કરતા નથી. દુનિયાના નામ અને રૂપના સબંધ યેગીને બંધન કર્તા થતા નથી. પોતાનો આત્મા આ ક્ષણિક શરીરથી ભિન્ન જણાતાં વાસનાઓનાં બંધને ટે છે.