SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સમરાદિત્યના રાસ ઉપરથી. समरादित्यना रास उपरथी. (લેખક. મુનિ. માણેક. કલકત્તા.) ( અનુસંધાન ગતાંકપૃષ્ઠ ૨૫૬ થી) પુણ્ય વિના સુભાય કે સંપદા મળવી દુર્લભ છે તેના કરતાં અધિક પુણ્ય તેને સંભાનવા માટે જોઇએ છે. આવું પ્રબળ પુય તે ગુણસેન રાજામાં હોવાથી તેના જન્મ વખતે જેવો આનંદ પ્રજાને થયું હતું તેથી અધિક હવે સાક્ષાત રાજા તરફથી સુખ અને શાંતિ મળતું જેઈ પ્રજા ભગવતી હતી. રાજાની શી શી ફરજો છે તે જાણવા માટે પિતાના સમયના વૃદ્ધ પુરૂષોની બેઠક કાયમ રાખી હતી. પ્રજાને અમલદાર દુઃખ ન દે કે પ્રજા પોતે અમલદારને ન બગાડે અથવા શરૂ રાજાએ પ્રજાને કે પિતાના મિત્ર કે મંડળિક રાજાઓને ત્રાસ ન આપે તેટલા માટે તેનામાં સુર્ય અને ચંદ્રના ગુણે એક જ સમયે પ્રગટ દેખાતા હતા એટલે સૂર્ય દિવસેજ તેજસ્વી દેખાય અને ચંદ્ર રાતરેજ આલ્હાદ આપે પણ આ રાજા તે દિવસ રાત સાસુને સૂર્ય સમાન તાપ દેનારો તથા ઉપાસકોને ચંદ્ર સમાન આલ્હાદ આપનારો હતો જેથી કવિઓને પણ પિતાની કાવ્યકળા તેના ગુણ ગાઈને બતાવવાનો પૂરતો પ્રસંગ મળી આવેલો હતે. નજીકના ગામમાંથી મોટા શહેરમાં પણ અગ્નિશમાં તપરવીના નામથી પણ તેનું કલ્યાણ થાય છે તે તેના દર્શનની અભિલાષા કોને ન થાય તેથી એક વખત ગુણસેન રાજાને પણ પિતાની સ્ત્રી સાથે કર્મસંગે તે તપસ્વીનાં સાક્ષાત દર્શન કરવા માટે પ્રસંગ આવેલે હતો! એક સુગધી વૃક્ષથી બગીચે સુગંધમય થાય છે. એક સુપુત્રથી કેટલીક પેઢીએની પ્રશંસા થાય છે, એક મહાન રાજાથી જગતમાં લુટારાનું જેર નાશ પામે છે, તેમ એક સુશિલ મળવાથી આખા સમુદાયની તથા ગુરૂની પ્રસંશા ફેલાય છે. રાજા બાળણાને ભૂલી ગયેલ હોવાથી તથા વચમાં ઘણું વરસ વીતી ગયેલાં હોવાથી તથા અનિયમનો વિશેષ સંબંધ ન હોવાથી તે ગયો કે તેનું શું થયું તેની તેને જરા પણ ખબર હતી નહિ તેમ તેને રાખવાની જરૂર પણ નહોતી પણ તેમને પૂર્વ ભવને સંબંધ અને ભવિષ્યમાં તે કાયમ રહેવાને જ લેખ લખાયેલો હોવાથી જે બંને છુટા પડી સુખી થયા હતા છતાં પણ દુઃખ ભોગવવા ભેગા થવાનો પ્રસંગ આવી લાગ્યો હતો. તે રાજા પિતાના ધમ અર્થ કામને બાધ ન લાગે તેમ વર્તતે હતા. તેના દિવસ આનંદમાં જતા હતા. સ્વને પણ બીજને વિના કારણે પીડવા ઈછત નહોતે છતાં પણ ભાવિ પ્રબળ હોવાથી પિતાની પ્રેમદા તથા પરિવાર સાથે દેશમાં ફરતાં ફરતાં વસંતપુરે આવીને વનમાં ક્રીડા કરવા માટે ગયો ત્યાં તપસ્વીઓનો મહિમા સાંભળી વિનય પૂર્વક તેમને પાસે જઈ તેમનાં વચનામૃત સાંભળવા લાગે. વૈરાગ્ય દશાની દેશના તથા તપસ્વીઓની નિસ્કૃડાની ચેષ્ટા જોઈ રાજાને વિશેષ ભાવ થવાથી તેવા તપવીઓની ભક્તિ કરવાથી પિતાનું કલ્યાણ થવું ધારી તેમની અંગથી સેવા બરાબર થાય તેમ ન હોવાથી વડીલ તાપસ જે તાપસોના નાયક હતા તેમની પાસે જઈ બધા સાધુઓ ( તપસ્વીઓ)ના જમાના માટે નિમં. ત્રણ કરવા લાગ્યો ત્યારે તાપસના નાયકે કહ્યું કે હે નરનાથ ! તું બધાને આમંત્રણ કરે છે પણ માસ માસના ઉપવાસ કરનાર એક મહાતપરવી સિવાય બીજા આવી શકશે પણ
SR No.522045
Book TitleBuddhiprabha 1912 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size513 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy