________________
૨૦૦
બુદ્ધિપ્રભાએવી મારી વસ્તુઓ જ દુઃખ દેવા વાળી થાય છે અન્યવહુએ દુઃખ દેવાવાળી થતી નથી.
તારા સમાગમમાં આવે તેને તું હવે (આથી) મારા તરીકે માનીશ નહિ. અને કદાચ પિતાના સમાગમમાં અન્ય મનુષ્યો આવે તે પણ જલકમલ ન્યાયને અનુસર કે જેથી. પરભવમાં દુઃખો ભેગવવાં પડે નહિ. (aa).
વર્તમાન સમયમાં ઝઘડા કંટા ચાલી રહ્યા છે. શાસનને ઉદ્ધાર કયાંથી થાય છે શાસનના ઉદ્ધારકે--- સાધુઓ ચાલુ જમાનાને નહિ જાણતાં સામાન્ય ગછાન્તરના ભેદથી પ્રતિદિવસ કુસંપ વધારવાના કારણભૂત થાય છે. લેખકે અને વક્તાઓ પિકારી પોકારીને કહે છે કે કુસંપના મૂળનો નાશ કરો પછી તમારી તથા તમારા વીર સેવકાની દિવસે દિવસે ચડતી કલા થશે. પરન્તુ ઝઘડા ટંટા સાથે લેઇને ચાલવાનું હોય ત્યાં ચડતી કલા કયાંથી થાય.
આપણે પરના હિતને માટે ઉપદેશ આપીએ છીએ પણ પોતાનું હિતકર્તવ્ય શું છે તેને વિચાર નહિ કરતાં ગાડરીયા પ્રવાહમાં સદાકાલ ચાલ્યા કરીએ તે હિત કયાંથી થાય !!!
હવે તે મારા વ્હાલા વીરસેવકે જાગ્રત થઈ આપણી સર્વ કેમ તરફ ધ્યાન આપવા હદયમાં વિચારે. આર્યસમાજીઓ અને પ્રીતિ પિતાના ધર્મના ફેલાવા માટે પોતાના ધર્મના અનુયાયીઓ તરફ કેવી ભાવનાથી જુવે છે તેને વિચાર કરો-આપણા શામાં પવચાર્યોએ ચાર ભાવનાનું સ્વરૂપ ભવ્ય જીવોના કલ્યાણાર્થે કહ્યું છે તે પ્રમાણે વર્તીને જૈનશાસનની ઉન્નતિ કરવા કટીબદ્ધ થાઓ.
શ્રીવીર પ્રભુનું શાસન એકવીશ હજાર વર્ષ પર્યંત ચાલવાનું છે કોઈપણે તેને નાથ કરવા સમર્થ થવાનું નથી. સાધુઓ સાવીએ શ્રાવકે અને શ્રાવિકાઓએ ચતુર્વિધ સંધ તીર્થ ગણાય છે એ તીર્થને કુપંથીઓ નાશ કરી શકશે નહિ. પૂજાવા અને મનાવવા માટે કુપથીઓ પોતાની મતિના અનુસારે કહે છે અને ભગવાનના વચનોના અનુસાર બોધ દેઈ શકતા નથી.
મુનિરાજે કઈ પણ જીવને નાશ કરવા ઇચ્છા કરતા નથી તેઓ શુદ્ધ દેવર ધર્મનું સ્વરૂપ પ્રકાશે છે.
ધર્મની આરાધના માટે જીવવાની જરૂર છે પણ આવા જીવવાની જરૂર જણાતી નથી. આસવને ત્યાગ કરીને સંવરને આદર કરે એજ મનુષ્ય જન્મનું કર્તવ્ય છે.