SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રી કેળવણીની અગત્ય. ૧૪૫ શક્તિને વિકાસ ન થવાથી તેમના પર ઉંડી અસર કરવામાં સફળ થઈ શકતાં નથી. ગરીબ ત્યાગ વૈરાગ્ય વાળું જીવન ગાળનાર સાધીશ્રીઓનો સંસર્ગ તેમને જલદી અસર કરી શકે નથી. આ સર્વ બાબત જોતાં સ્ત્રી કેળવણીની ખામીથી આપણે જૈન સમુદાય બહુજ પછાત સ્થિતિમાં છે. બાળકોને સારી રીતે સુધારવા માટે ગૃહસંસારને સુખી અને આનંદનું સ્થળ બનાવીને અને આ સંસારને પ્રવાસ સરળ કરવાને એ અત્યંત અગત્યનું છે કે સ્ત્રીઓને શારીરિક, માનસિક અને નૈતિક કેળવણી આપવી જોઈએ. પુરૂષના અજ્ઞાનને જે ભયંકર રાવું સમાન ધારવામાં આવે તે પુરૂષ વર્ગની વૃત્તિને અંકુશમાં રાખનાર, તેને ઉછેરનાર, કેળવનાર અને સહાય કરનાર સ્ત્રી વર્ગને કેમ નિરક્ષર રાખ જોઈએ જે સમાન ગુણો વાળાનેજ સંબંધ સંભવિત હોય તે એક સાક્ષર અને નિરક્ષરને સંબંધ કેમ સંભવી શકે ! જૈન ત્રીવર્ગને સારી કેળવણી આપવાથી તેમનામાં ઉત્તમ જૈન સતી સ્ત્રીએનાં ચરિત્રના પુસ્તકોને પ્રસાર કરવાથી, ધર્મનીતિ વિષયક પુરતાનું વાચન વધારવાથી તેમનું–ધર્મ વિષયક નિતિક બળ વિશેષ વધશે અને તેની ઉત્તમ અસર ગૃહસંસાર, અને કુટુંબ ઉપર પણ થશે એ કાંઈ અલ્પ લાભ નથી. दिव्य पितृ प्रेम, ચાલુ વાર્તા (ગતાંક વૃદ ૧૨૪ થી ચાલુ. ) વધી સમયમાં અકસ્માત ચમકતી વિદ્યુત માફક-લિલાવતિને, દરબારમાં પ્રવેશ કરતી જોઈ, સમગ્ર સમાજને આશ્ચર્ય ચકિત થઈ ગયા. યોગીની હોવા છતાં પણ અત્યારે તેનું મુખમંડળ ક્રોધથી આરકત જણાતું હતું. અધરાણ ફફડી રહ્યા હતા. પવન સાથે કિડા કરતા તેની ગરદન પર થઈને પહાડ પરથી પડતી નદીની માફક છાતી પર પડતા કેશ કલાપે તેની સુંદરતામાં અવર્ણનીય વધારો કરી દીધો હતો. તે ઉચ્ચ–ગૌરવર્ણ-કાંતીમાન આકૃતી મૃત્યુ લેકની જણાતી ન હતી. અપિતું-કઈ દિવ્ય વ્યક્તિ સદસ્યને જણાતી હતી. મેગીની પિતાનાં રત મુખ્ય સામંતે તરફ વાળી તે ગંભિરતાથી બોલવા લાગી -- “ વિસ્મય ચક્તિ-સામત, સરદારે. પુરજને–ને કહેવાતા રાજન ! હું કેણુ તે આપ ઓળખી શકે છે કે ? પરલોક વાસી મહારાણા સજ્જનસિંહનું અમાનુષિત રીત્યા-વધખૂન કરી, તેની રાણિ વિમળના સૌંદર્ય લાભે વશ થઇને તે વખતે બેજ મહીનાની ઉમરના આ બાલ અછતના નાક્ષમાં પ્રવૃત થયેલા-પથ્થર કરતાં પણ કઠણ કાળજાવાળા-ખુનીઓની નજર ચુકવી-અછત તથા રાણી વિમલ કુમારીના પ્રાણ બચાવનારી-ને તે રાજ ઘાતકી કુલગાર-દુષ્ટોનું વિર લેવા માટેજ, આ બાળનું પ્રાણુના જોખમે પણ રક્ષણ પાલન કરનાર હું લિલાવતી છું. તે રકમથી અંકિત-રકત પુર્ણ ચીત્રપટ પ્રત્યક્ષ નિહાળનાર જો કે બધાં અહીં નથી-તે પણ સત્ય-એમાં રાજપુત વિરે અદ્યપિ મહારી નજરે પડે છે...બેલો! તમા રી નસમાં ક્ષાત્ર લેહિ દેડી રહ્યું છે તમારા મુખ કમલપર સત્યની સુવાસ પ્રસરી રહી છે ? જેણે તે નિચ કૃત્ય પ્રત્યક્ષ અવલોકયું છે. તે સા બેલો ! જે કુર-અધમ-નિચ કુલાંગાર એ આ નાના સુંદર સુકુમાર બાલ પુરૂ પર વજ જેવા ઘા કરતાં જરા પણ વિચાર ન
SR No.522041
Book TitleBuddhiprabha 1912 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size551 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy