________________
૨૯૯
સ્થાપન કય લાગે છે પણ તે સર્વ આધુનિક લાગે છે. ગુફાઓમાં બેસતાં શરદી લાગુ પડે તેમ નથી. ગુફાઓના ચોકમાં છે દીધેલ માલુમ પડે છે. દક્ષિણ દેશમાં રાજાઓનું રાજ્ય પ્રવર્યું તે વખતની આ ગુફાઓ લાગે છે..
જ્ઞાન ચક્ર પુરતકમાં જણાવ્યા પ્રમાણે આ ગુફાઓમાં પંદરમા સૈકા સુધી બહના સાધુઓ નિવાસ કરતા હતા પછાત ફિરંગીઓના સમયમાં બદ્ધ સાધુઓ અત્રથી લંકા તરફ ચાલ્યા ગયા એમ લાગે છે. જે કાળમાં બૌદ્ધ ધર્મની ઝાઝલાલી વર્તતી હતી તેના એક સૈકા પહેલાં જેન ધર્મની ઝાહેઝલાલી વિશેષ હતી એમ ઘણું અનુમાનથી જણાય છે. જેને શાસ્ત્ર પછી અમુક પુસ્તકમાં અમારા વાંચવામાં આવ્યું છે કે એક ગુફામાં એક રાત્રે પાંચસે જૈન સાધુઓ રહ્યા હતા અને તે કર્ણાટકની દેશની ગુફામાં રહ્યા હતા અને તે ઉપરથી સિદ્ધ થાય છે કે કાલની અગર કહેરીની ગુફાઓ પછી ગમે તે ગુફાઓ હોવી જોઈએ. કર્ણાટક દેશમાં પૂર્વે સંપ્રતિ રાજાના વખતમાં તથા તે પહેલાં જૈન ધર્મ પ્રસર્યો હતો એમ એતિહાસિક દષ્ટિથી સિદ્ધ થાય છે અને તેના પુરાવાઓ કેટલાક છે. સંપ્રતિ રાજાના લગભગ વખતમાં જેની સંખ્યા લગભગ ચાલીશ કરોડની હતી એમ એક પુસ્તકના આધારે માલુમ પડે છે. બદ્ધ ધર્મની સામે ઉભા રહેનાર જેનધર્મ તે વખતે હતા તે વખતમાં વેદ ધર્મનું જોર હૈ હતું પણ પાછળથી શંકરાચાર્ય થતાં બદ્ધ ધર્મનું જોર ઘટયું. ઘણું રાજાઓ વેદધર્મમાં બદલાઈ ગયા. જૈનધર્મ પાળનારા રાજાઓ પણ પાછળથી વેદધમનું બાયી થઈ ગયા. જૈનધર્મ અને તેમના વિદ્વાનોના જોરથી બોદ્ધ ધર્મને હિન્દુસ્થાનની બહાર આશરે લેવું પડશે. જેનધર્મના વિદ્વાન વેદધર્મના પંડિતોની સામે ટક્કર ઝીલીને પોતાના ધર્મને બચાવ કરવા લાગ્યા. પૂર્વે રાજકીય જૈનધર્મ હોવાથી તેને ઘણો ફેલ થયા હતા પણ પશ્ચાત ઘણા કારણોથી રાજાઓને જૈનધર્મી બનાવવામાં નહિ આવ્યાથી જૈનોની સંખ્યામાં ઘટાડે થયો તે પણ જૈન શાઓ તે જૈનધર્મની સત્યતાને અદ્યાપિ પર્વત છે વગાડી રહ્યાં છે.
કરી એ અપભ્રંશ શબ્દ લાગે છે. મૂળ શબ્દ સંસ્કૃતમાં કૃષ્ણ ગિરિહે. જ જોઈએ. કઈ કૃણ ગિરિ ને અર્થ કૃષ્ણના પર્વત કરે છે પણ ગુણ પ્રમાણે તે કૃષ્ણ ગિરિ એટલે કાળ પર્વત એ અર્થ થાય છે. પર્વતના પથરાઓ કાળા માલુમ પડે છે અને તે નજરે દેખ્યા છે તેથી એમ સિદ્ધ