SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પાળ્યા બાદ ગૃહસ્થાશ્રમમાં જોડાતા હતા, તેથી તેઓ મહત કાર્યો કરવાને શકિતમાન થયા હતા. હાલમાં બાળલગ્ન વગેરેથી આર્યદેશના મનુષ્યોની પડતી દશા થઈ છે અને તેથી તેઓ મગજથી ઉત્તમ દીર્ધવિચાર કરવાને શક્તિમાન બનતા નથી. પુરૂ પચ્ચીસ વર્ષ પર્યત અને કન્યાએ વીશ વર્ષ પર્વત બ્રહ્મચર્ય પાળવું જોઈએ. બ્રહ્મચર્ય નીરક્ષા અને તત્વવિદ્યાની ઉપાસના માટે નિર્જન સ્થાનમાં ગુરૂકુળે સ્થાપવાની જરૂર છે. બ્રહ્મચર્યના સંરક્ષણથી વિદ્યાનું મનન સારી રીતે થાય છે. શ્રી હેમચન્દ્રાચાર્ય શ્રી હીરવિજયસૂરિ. શ્રી મુનિસુન્દરસૂરિ. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય વગેરે સમર્થ પુરૂષોએ બ્રહ્મચર્યના પ્રતાપથી જૈન ધર્મની ઉન્નતિ કરી હતી. બ્રહ્મચર્યના પ્રતાપથી મનુષ્ય સ્વર્ગીય દેવાની પાસે પિતાનું કાર્ય કરાવે છે. બ્રહ્મચર્યની અવસ્થા સારી રીતે જાળવવાના અનેક ઉપાય લેવા જોઈએ. મેજ શોખની વાડીમાં બાલ્યાવસ્થાથી નાનાં નાનાં બાળકો પડી જાય છે તેથી તેઓ કામના પદાર્થો તરફ આકર્ષાય છે અને તેથી વિપરીત પરિણામ પાત્ર બને છે. બાલકની ઉત્તમ ચડતી દશા કરવાની ઈચ્છા હોય તે ગુરૂ જેવા આશ્રમની જરૂર સ્વીકારવી જોઈએ. પૂર્વના વખતના જૈનોની ઉન્નતિમાં બ્રહ્મચર્ય એ પણ એક સબલ કારણ હતું. સત્રતામાં બ્રહ્મચર્યને સમુદ્રની ઉપમા આપવામાં આવી છે તેનું રહ. હું અત્યન્ત સૂક્ષ્મ છે. સ્વર્ગનાં દ્વાર ખુલ્લા કરવાં હોય તે બ્રહ્મચર્યની ખાસ જરૂર છે. આધુનિક સમયમાં ગૃહસ્થાશ્રમની પૂર્વે વશવર્ષ પર્યત તે અવશ્ય બ્રહ્મચર્યને સારી રીતે પાળવું જોઈએ. આ સંબંધી જેને ખાસ લક્ષ્ય આપશે તો ગૃહસ્થ ધર્મની ઉન્નતિ થશે અને સાધુ ધર્મની પણું ઉન્નતિ થશે. સુમ તિથી બ્રહ્મચર્યના ઉપર્યુંકા મહાભ્યને સાચું જાણી શકાય છે અને તેને સારી રીતે પાળી શકાય છે. આમાના જ્ઞાનાદિ સદ્ગુણેને પ્રકાશ કરવો એમ સુમતિ પ્રેરણ કરનાર છે, તેમજ ભિન્ન ભિન્ન વિચાર મત સહિષ્ણુતા ની પ્રેરણા સુમતિ કરે છે. જગમાં મનુષ્યનો કોઈપણ વિષય સંબંધી એક સરો મત હોતું નથી. સર્વના વિચારો જુદા જુદા હોવા છતાં, અપેક્ષા વાદથી ભિન્ન ભિન્ન વિચારમાં રહેલું સત્ય તારવી લેવું અને જે જે અસત્ય વિચારે છે તે સંબંધી માન રહી સહનશીલતા ધારણ કરવી, આ કંઈ સામાન્ય કાર્ય ગણાય નહિ. વિચારોની ભિન્નતાથી વ્યક્તિ ઉપર દ્વેષ કર. વામાં આવે છે અને તેથી વ્યક્તિ કલહ યુદ્ધનું રમખાણ બને છે. જે જે મનુષ્ય પોતાનાથી ભિન્ન વિચાર કરે તેને વિરોધી દુશ્મને માની લેને તેનું અશુભ કરવા વા તેની જાતિ નિન્દા કરવા કટીબદ્ધ થવાથી મનુષ્યની
SR No.522032
Book TitleBuddhiprabha 1911 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size725 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy