________________
૧૬૬
પ્રાસંગિક સંગે અને વર્તમાન કાલમાં તત સંબંધીના વિચારો ઈત્યાદિ સર્વ બાબત ધ્યાનમાં રાખીને દરેક પુસ્તક વાંચવામાં આવે
તે તે તે પ્રસ્થાનું રહસ્ય જાણવામાં સુગમતા થાય. ૬૭–જે મનુષ્યના હૃદયમાં ઉત્તમ પ્રેમ અને ઉત્તમ દયા છે તે મનુષ્ય પોતે
પિતાનું ઉચ્ચ જીવન કરે છે અને અન્ય કરોડ મનુષ્યોનું ઉચ્ચ જીવન કરવા સમર્થ થાય છે. ૐ શાનિત
સં ૧૯૬૭ ભાદરવા સુદી ૮
મુંબઈનગર
मार्गानुसारीना पांत्रीस गुण. ( લેખક. શેઠ મોહનલાલ લલુભાઈ. અમદાવાદ )
( અનુસંધાન ગતાંક પાને ૧૫૪ થી) દેવ અતિથિ તથા રંક પુરુષોની સેવા કરવી. ભક્તિના સમુહવડે પરી. પુર્ણ એવા દેવતા પ્રમુખ ભવ્ય પુરૂષો તેમનાવડે જેમની નિરંતર સ્તુતિ ક. રાય છે તેમને દેવ કહીએ. તે દેવો કર્મના સર્વ વિપાકથી મુકાએલા છે અને તે અર્વત, અજ, અનંત વિગેરે નામથી ઓળખાય છે. નથી તિથિ પ્રમુખ દિવસનો વિભાગ જેમને તેને અતિથિ કહીએ એટલે કે નીતર જે અત્યંત નિર્મલ એવા અનુકશાન કરી રહેલા છે પણ અમુક દિવસને વિષે ગૃહસ્થની પીઠે ધર્માનુષ્ઠાન કરતા નથી અને તિથિમાં ભેદ રાખતા નથી તેવા મુનીઓને અતિથિ કહેવાય છે. જે મહાત્મા પુરૂષ પર્વ ઉત્સવ આદીક સર્વ તિથિએ ત્યાગ કરી છે તેમને અતિથિ નણવા બાકી રહેલાને અશ્વાગત જાણવા. જે પુરૂષોની ધર્મ, અર્થ અને કામની આરાધનાની શક્તિ ક્ષીણ થઈ ગયેલી છે તેને શાસ્ત્રકાર નિ કહે છે. ઉપર પ્રમાણે દેવ, અતિથિ તથા દીન ઇત્યાદિકની સેવા કરવી એટલે દેવની પુજા કરવી. અતિથીને અનપાન આપવું તથા દીન જનને દાન આપવું, વળી દેવાદિકનું ઉચિતપણું જાળવવું એટલે દેવાદિકની ઉત્તમ, મધ્યમ અને જઘન્યરૂપ જે સેવા તેનું ઉલ ઘન ન કરવું કેમકે તેમ કરવાથી તે છતા ગુણે જતા રહે છે કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે એક જગ્યાએ એકલું ઉચિતપણું સ્થાપન કરો અને એક જગ્યાએ સઘળા ગુણને સમુહ સ્થાપન કરે તે પણ ઉચિતપણુએ રહિત સઘળા ગુણને સમુહ નાશ પામે છે. કયા પ્રકારે તે ઉચિત પણાને