SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ માથr. જુગામી પુરજો-દુભફ નિશુ કહે છે મુળાકાપવરૂ–સંપત્તળ ને પફ | ૨૨ તા. ગુણાનુરાગી પુરૂષ ગુણવંતોનું બહુમાન કરે છે અને નિર્ગુણની ઉપેક્ષા કરે છે. ગુણના સંગ્રહમાં પ્રવૃત્તિ કરે છે અને પામેલા ગુણને મલીન કરતો નથી. ગુણુનુરાગી યતિ અને શ્રાવકોના ગુણેને દેખવા સમર્થ થાય છે. ગુણ એના ગુણનું બહુમાન કરવું એને અર્થ એ થતો નથી કે જે દુણીઓ હોય તેની નિન્દા કરવી. “શનુમાં પણુ ગુણ હોય તો કહેવા અને ગુરૂમાં પણ દેવા હોય તે કહી બતાવવા” આવું કઈ તરફથી કહેવામાં આવે તો તે સત્ય ઠરી શકતું નથી. ગમે તે મનુષ્યોમાં દેખે હેય પણ તે કહેવા લાગ્ય નથી. તેથી વિફવતોએ સમજવું કે નિર્ગુણઓની પણ કદી નિન્દા કરવી નહીં. ગુણાનુરાગી પુરૂષ પિતે સંકિલષ્ટ ચિત્તવાળો નહીં હોવાથી તેઓની પણ નિન્દા કરતો નથી. કહ્યું છે કે, | છો ! सन्तोप्यसन्तोऽपि परस्य दोषा-नोक्ताः श्रुना वा गुणमावहन्ति, ।। वैराणि वक्तुः परिवर्धयन्ति श्रोतुश्च तन्वन्ति परां कुबुद्धिम् ॥१॥ છતા કે અછતા પારકા દેવ કહેતાં કે સાંભળતાં કશે ગુણ થતું નથી. તેઓને કહી બતાવતાં વેરની વૃદ્ધિ થાય છે અને સાંભળતાં કુબુદ્ધિ આવે છે. એક મનુષ્યમાં સર્વ પ્રકારના ગુણ મળી શકતા નથી. સાધુ અગર શ્રાવક વર્ગમાં જે જે ગુણે જે જે અંશે હોય તેને દેખી સાંભળી પ્રમોદભાવના ધારણ કરવી. અવગુણે સાંભળવામાં અગર કહેવામાં કંઈ પણ ચતુરાઈ નથી પણ ગુણો જોવામાં અગર કહેવામાં ચતુરાઈ છે. વીતરાગ વિના છદ્મસ્થ જીવમાં સર્વગુણે હેતા નથી. જો અન્યના ગુણોની પ્રશંસા કરી તે તે ગુણોને પ્રાપ્ત કરે છે અને અન્યના દુર્ગણોને કહી તે તે પ્રકારના દુર્ગણોને પામે છે. કેઈપણ જીવમાં કોઈ ગુણ પામ તે મહા આશ્ચર્યની વાત છે, કહ્યું છે કે कालंमि अणाइए-अणाइ दोसेहि वासिए जीवे जं पावियइ गुणोविहु-तं मन्नइ भो महच्छरियं ॥२॥ અનાદિકાળથી અનાદિ દેવં વાસિત થએલા આ શ્વમાં જે કોઈ ગુણ લાભ (પ્રગટે) તે મહાઆશ્ચર્ય માનવું જોઈએ તેમજ જણાવ્યું છે કે—
SR No.522026
Book TitleBuddhiprabha 1911 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size949 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy