SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ ઉત્તમ જીવોનું લય ખેંચાય છે, કેટલાક મનુષ્ય ધર્મ ધર્મ વિકારે છે, પણ આમતત્વ જાળ્યાવિના તેઓ સત્ય ધમ સાધી શકતા નથી આત્મતત્ત્વ જાળ્યાવિના પુનર્જન્મ અને પુષ્ય, પાપ, બંધ અને મિક્ષતત્વની શ્રદ્ધા થતી નથી. આમતત્ત્વ જાણવાથી હદયમાં સત્યવિવેક પ્રગટે છે અને સત્ય સુખ પ્રાપ્ત કરવા ઈચ્છા થાય છે. આમાના ત્રણ ભેદ છે. બહિરામા–અન્તરાત્મા અને પરમાત્મા. આ ત્રણ આમાઓનું વિરૂપ સમજવાથી તે કો આત્મા છે તેનો અનુભવ થાય છે. બાહ્ય વસ્તુઓમાં આત્માને માનનાર બહિરાભા કહેવાય છે. મન-વાણી અને કાયાને આત્મા માનનાર બહિરાભા કહેવાય છે. મિયાવદિશામાં વતેનારને બહિરાભા કહેવામાં આવે છે. બહિરામાઓ અનેક છે. રાગ અને દ્રુપમાં સદાકાલ તેઓ લયલીન રહે છે. તેઓ પુણ્ય અને પાપનો ભેદ સમજતા નથી. દુનિયાની ઉન્નતિનેજ પિતાના આત્માની ઉન્નતિ ગણે છે, ખાવું-પીવું પહેરવું વગેરે સાંસારિક સુખે ભાગવવામાંજ તેઓનું જીવન ચાલ્યું જાય છે. સાંસારિક સુખને માટે તેઓ નીતિનો કવચિત સ્વીકાર કરતા જણાય છે પણ પોતાના આત્માનું સુખ મેળવવા નીતિને સ્વીકાર કરતા નથી. બહિરાભાઓ અસત્ય વસ્તુઓને સત્ય માને છે અને સત્ય તત્ત્વને અસત્ય માને છે. બહિરાતમાઓ વૈયિક સુખને માટે સાંસારિક વસ્તુઓમાં રાચી માચીને રહે છે, સત્ય દેવ, ગુરુ અને ધર્મનું તત્ત્વ સમજી શકતા નથી. દુનિયાની જડ વસ્તુઓમાં તેઓ સુખની શ્રદ્ધા ધારણું કરે છે, શરીરથી ભિન્ન અને પુનર્જન્મવાળા આત્માની શ્રદ્ધા તેઓના મનમાં ઠસતી નથી. કેટલાક બહિરત્માઓ લોહીને આત્મા માને છે, કેટલાક શરીરની ઉષ્ણતાને આત્મા માને છે કેટલાક બહિરામાઓ પંચભૂતના સંયોગને આત્મા માને છે, કેટલાક શ્વાસે શ્વાસને આત્મા માને છે આમ બહિરાભાઓ અજ્ઞાનથી અનેક કલ્પનાઓ કરે છે. ખરૂ કહીએતો બહિરામાઓ નીતિના ઉચ્ચ સિહાંતિને પણ પાળી - કતા નથી તેઓના મનમાં અનેક પ્રકારનાં પાપકર્મની બુદ્ધિયો હોય છે - રંભવ નહિ માનનાર બહિરાત્માઓ સરકારના ભયજ ફક્ત સુલેહશાંતિ જાળવી શકે છે પણ મનમાં તો અનેક પ્રકારના પાપના વિચાર કરે છે. બહિરામાઓ ઉપરથી સારા દેખાય છે પણ તેનું હાથ તપાસવામાં આવે તે
SR No.522020
Book TitleBuddhiprabha 1910 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size920 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy