SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિમાં બેઠા પહેલાં પિતે શું કર્યું? જેમ કે પ્રથમ આસન ઉપર બેંઠે તે એ પહેલાં આસન પાથયું તે આસન પાથર્યા પહેલાં સમાધિ કરવાના સ્થાનમાં પ્રવેશ કર્યો, તેના પહેલાં તેના ભીક્ષા પાત્ર અને વસ્ત્ર કરે મુકયાં, તેના પહેલા આહાર કર્યો તેની પહેલાં ગામ છયું તેની પહેલા ભીક્ષાને માટે ગૃહસ્થોના ઘરમાં કિવા ગામમાં ફર્યો તેના પહેલાં ભીક્ષાને માટે ગામમાં પિઠા. તેના પહેલા મઠ કિંવા ઉપાશ્રયમાંથી નીકળે, તેના પહેલા બાધિ ઝાડ નીચે ભગવાનની ભક્તિ કરી તેના પહેલાં પાત્ર સાફ કર્યું તેના પહેલાં પ્રભાતે શું કર્યું તે વિચારવું, તથા પાછલી રાત્રે શું કર્યું ! મધ્ય રાત્રે શું કર્યું ? અને રાત્રિના પહેલે પહોરે શું કર્યું તે વિચારવું. આ પ્રમાણે તેને પહેલે દીવસે એટલે કે જે પાંચમનો વિચાર કર્યો હોય તે એથની રાતના, ચાથના દીવસની પછી ત્રીજની રાતને, ત્રીજના દીવસન, બીજની રાતનો અને બીજના દિવસનો એમ પાછળને વિચાર કરે. પછી એક માસને, પછી એક વર્ષનો, અને એમ અનુક્રમે વિચાર કરતાં કરતાં દશ વર્ષને, વિશ વર્ષને, અને એમ પાછળ વિચાર કરતાં કરતાં પિતે પ્રથમ ગર્ભમાં આવ્યું ત્યાં સુધી વિચાર કર. આટલે સુધી વિચાર થયા પછી પોતે ગર્ભમાં ઉત્પન્ન થયે તેના પહેલાં જ્યારે પોતાનું મરણ થયું, ત્યારે પોતાનું શું નામ હતું? તથા પાતે ક્યાં હતો? તે વિચારવું. અને તે યાદ થતાં મ. રણની પૂર્વે પહેલે દીવસે તથા પૂર્વના બીજે દીવસે પિતે શું કામ કર્યા ? તે વિચારવા. આમ પાછળનું વિચારતાં એક બે કે ચાર જન્મનું જ્ઞાન થયા બાદ પછી આમા નિર્મળ થતાં, વિશેષ જન્મનું જ્ઞાન થશે. જ્યારે પિતે ગર્ભ બિન્દુ રૂપે ગર્ભમાં આવ્યો, ત્યાર પહેલાં પોતાનું શું નામ હતું ? પિતે કયે સ્થળે હતા ! અને ઉમ્મર કેટલી હતી ! વિગેરેનો વિચાર તુરત ન આવે તે તેથી કદી પણ મનમાં એમ લાવવું નહિ કે મને મારા પાછલા ભવનું જ્ઞાન નહિ થાય, પણ પાછું ચિત્તને સમાધિમાં લાવી સ્વસ્થ કરી ફરીથી તેને તે વિચાર કરે; એમ એકવાર બેવાર ચારવાર દશવાર કર્યાથી જરૂર એ પડદો તૂટી જશે અને પાછલી સ્મૃતિ થવા માંડશે આ પ્રમાણે એકવાર આત્મા નિર્મળ થયો કે પછી ઘણી મહેનત પડવાની નહિ, પછી પિતાની મેળે પિતાના ઘણા ભવોનું જ્ઞાન થઇ શકશે. જ્યારે આપણે એક મોટું ઝાડ કાપતા હૈઈએ અને આપણી કુવાડી બુટ્ટી થઈ જાય કે તેની ધાર વળી જાય તેથી આપણે નાસી પાસ ન થતા લવારને ત્યાં જઈને પોતાની કુવાડીની ધાર દુરસ્ત કરીએ છીએ, અને ધાર દુરસ્ત થયા બાદ જે ઠેકીસેથી ઝાડ કાપવાનું બાકી હોય તે કંકાણેથી પાછું તે કાપવાનું કામ શરૂ
SR No.522013
Book TitleBuddhiprabha 1910 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size817 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy