SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ કરીએ તે એક બે કે ચાર વાર કુવાડી દુરસ્ત કરાવી ઝાડ કાપવાનું કાયમ રાખતાં ગમે તેવું જાડું થડ હશે તો તે પણ કપાઈ જશે; તેજ પ્રમાણે આ પહેલાના ભવોની સ્થિતિનું સમક્વાનું છે. એટલે જેટલું સુધી તમને યાદ આવે તે પાછું ફરીને યાદ કરવાની જરૂર નથી, પણ જેમ કાપેલું ઝાડ જ્યાંથી કાપવાનું બાકી , ત્યાંથી ફરીથી કાપવામાં આવે છે, તેમ જ્યાંથી પાછલી સ્મૃતિ તમને ન આવતી હોય ત્યાં ચિત્તને સ્થીર કરી ફરીથી વિચારવાનું કરવું અને તેમ કરતાં પોતાની મેળે રમૃતિ ખુલશે જેમ કુવાડીને સરાણુ પર ઘસવાથી કે લવારને ત્યાં ધાર કરાવવાથી તે દૂરસ્ત થાય છે, તેમ ચિત્તને આમામાં શાત કરવાથી તેને પાછલી સ્મૃતિ પ્રગટ થાપ છે, તેથી આ અભ્યાસ કંટાળીને છેડી ન દેતા આગળ ચલાવવામાં આવતાં પિતાના ઈછિત ફળની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે રાજના વિચારો ન કરતાં તુરત જ ગયા જન્મને વિચાર કરીએ તો તે શામાટે નજરે ન પડે તે શા માટે ન સમજાય એમ ને વિચારો તે તે બરાબર નથી, તેનું કારણ નીચે પ્રમાણે છે – આપણે બધા વિચારે કાંખલા બદ્ધ ( connected ) છે, જેમ સાંકળની એક કડી પુરી થતાં લાગલીજ બીજી જણાય છે તેમજ વિચારની સાંકળની એક કડી પુરી થતાં તેના પહેલાની કડી જણાશે. તેથી જ્યારે આ પુર્વ જન્મને વિચાર કરવો શરૂ કરે ત્યારે વિચાર કરવા બેઠા તે વખતથી પાછલના કામનો સંબંધ જેવો, એમ સંબંધથી વિચાર કરતા અનુક્રમે આ જિંદગીના બધા વૃતાન્તો યાદ આવશે. જ્યારે એક વિચાર કરતા તેની પાછલને વિચાર ન જુએ ત્યારે તમારે જે વિચાર સુજેલા છે, તેના ઉપર જ મનન કરે, વર્તમાન વિથારનું મનન ચાલતા મનની મધ્ય બિંદુમાં ત્યારે તે વિચાર આવશે, ત્યારે તેના પહેલાનો વિચાર તમને પિતાની મેળે જણાશે અને વર્તમાન વિચાર ચાલ્યો જશે. આ રીતે અનુક્રમથી પૂર્વજન્મ સુઝસે મન એ પ્રકારના જાણવા, જેમકે અંતરમન અને બાહ્યમન. પ્રથમ બા0 મનમાં ક્રિયા અથવા જ્ઞાન કે કામની છાપ પડે છે, અને તે જ્યારે બીજી ક્રિયામાં પ્રવૃત થાય છે, ત્યારે પહેલાની છાપ અંતર મનમાં પડે છે. એટલે કે આ ભવને કે ગયેલા સેંકડો હજારે ભવના બનાવો આમા ભ. લી જ નથી પણ તે તેનું જ્ઞાન તાદસ્ય હોય છે અને મનન કરતાં જ્ઞાના. વર્ણ દૂર થતાં તે બનાવો જેમ વર્તમાનના બનાવી હોય તેમ તેની સ્મૃતિમાં આવે છે, આ બદલ એક દાખલા છે. એક છોકરી કોઈ એક પાદરીને ત્યાં નોકર હતી. આ પાદરી બ્રુિ અને લેટીનના પુસ્તકો માટેથી વાંચત, તે
SR No.522013
Book TitleBuddhiprabha 1910 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size817 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy