SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટેલિવિઝન (ધ્વનિ પ્રસારક, પ્રતિબિંબપ્રસારક યંત્ર) લેખક પૂજ્ય મુનિરાજ શ્રીદર્શનવિજ્યજી ત્રિપુટી ભારતમાં ઈતિહાસકાળ પહેલાની ત્રણ દાર્શનિક ધર્મપરંપરાઓ મનાય છે: ૧, જેને દર્શન, ૨, બૌદ્ધ દર્શન અને ૩, વૈદિક દર્શન. વૈદિક દર્શન ગતની વ્યવસ્થામાં જગતકર્તા અને ઈશ્વરેચ્છાને પ્રધાન માને છે એટલે એમાં આત્મા અને જડ સંબંધી વિચાર કરવાની તક જ નથી. બૌદ્ધ દર્શન રૂપને–જડને પ્રધાનતા આપે છે, પણ તે સાહિત્યમાં પુદગલે સંબંધી વિશેષ વિવેચન મળતું નથી. જ્યારે જૈન દર્શન જગતની વ્યવસ્થામાં આત્મા અને જડ બંનેને સમકક્ષ માને છે, તેઓની ગડમથલથી જ સંસાર ચાલે છે એટલે જૈન દર્શને આત્મા તથા જડપુદ્ગલેનું ઝીણવટભર્યું અને તલસ્પર્શી વર્ણન કર્યું છે. “પન્નવણાસૂત્ર', “લેકપ્રકાશ' અને 'તત્વાર્થ સૂત્ર'માં એ અંગે વિશદ વસ્તુદર્શન મળે છે. ભગવાન શ્રી. મહાવીરસ્વામીએ લેકમાં રહેલા મૂળ દ્રવ્યોને જુદાજુદા ઓળખાવી “વ્યાનુગ' વિજ્ઞાન રજૂ કર્યું છે. આજનું વિજ્ઞાન ઘણાખરા અંશે તેને અનુસરે છે. સાધારણ જનતા મહાન વૈજ્ઞાનિકને ઓળખતી નથી, કિન્તુ સિનેમા સ્ટારને સરળતાથી ઓળખી શકે છે. એ જ રીતે સાધારણ જનતા દ્રવ્યાનુયોગ, અનેકાંતવાદ કે ભાવઅહિંસા વગેરે સિદ્ધાંતના પુરસ્કર્તા ભગવાન મહાવીરને ન ઓળખે અને મધ્યમ માર્ગ બતાવનાર દર્શન પ્રણેતાઓને ઓળખે, એ બનવું સ્વાભાવિક છે, કિન્તુ વિચારકે એ સિદ્ધાંતોને ભારતીય પ્રાચીનદેન માની ભગવાન મહાવીર દેવને પુનઃ પુનઃ આવકારે છે. ભગવાન મહાવીર સ્વામીએ પરમાણુ, અણુ, પ્રદેશ, સંઘાત, વિધાત, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, પર્યાય, કર્મવર્ગણા, વર્ગણ, શબ્દ, પ્રભા, પ્રકાશ, છાયા, અંધકાર ઈત્યાદિ અનેક પ્રકારે જડ પુદગલનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. પ્રત્યેક પરમાણુ રંગ, રસ, ગંધ અને સ્પર્શવાળા છે અને તેના તે તે ગુણે સ્વતઃ પલટો પામે છે એમ બતાવ્યું છે. આત્મા પિતાના ગુણોને વિકસાવી એ પરમાણુઓને સહકાર લઈ દિવ્ય શ્રેત્ર, દિવ્ય દર્શન, અંતર્દાન, અને અનેકરૂપ વગેરે શક્તિને કેળવી શકે છે. ભગવાન શ્રી મહાવીરે જગતને આટલે વ્યવસ્થિત પરમાણુવાદ આપ્યા છે. એટલે પર ભાણુવાદ એ ભારતવર્ષની હજારો વર્ષ પહેલાંની દેન છે. બીજા દર્શનકાએ પણ સમય જતાં તેને એક યા બીજી રીતે સ્વીકાર્યો છે. વૈશેષિક અને ગદર્શને તે એ પરમાણુવાદ પર વધુ જોર આપ્યું છે. વિક્રમની ઓગણીશમી શતાબ્દી સુધી તો એ દ્રવ્યાનુયોગ માત્ર સિદ્ધાંત રૂપ હતા. બીજી રીતે કહી શકાય કે તે માત્ર શ્રદ્ધાનો વિષય હતું અને તર્કણાની ઢાલ હતી. પરંતુ આજે તે એ સિદ્ધાંત જગતની સામે વિજ્ઞાનરૂપે પ્રત્યક્ષ આવી ઊભો રહ્યો છે. અને આજના વિજ્ઞાને એવા એવા આવિષ્કાર કર્યા છે કે જે સાધારણ જનતાને તે ચમત્કાર છે જાદુ જ લાગે. ટેલિવિઝન પણ આવી એક જાદુઈ શેધ છે. એનું બારીકાઈથી અધ્યયન For Private And Personal Use Only
SR No.521737
Book TitleJain_Satyaprakash 1956 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1956
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy