SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૨૧ ઉત્પન્ન થયેલ, લાંબા કાળની ઊગેલ વાંસની ચુપ્ત ગાંઠ જેવી કાર, દુ:ખે કરીને ભેદી શકાય તેવી અને અત્યાર સુધી પૂર્વે કાઈ વખતે પણ નહિ ભેદ્દેલી એવી રાગદ્વેષના નિબિડ પિરણામ રૂપી ગ્રંથિ છે. અનાદિકાળથી સંસારચક્રમાં પરિભ્રમણ કરનારા જીવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવાદિની સામગ્રીના અનુસારે ભવ્યત્વ દશાના પરિપાક થવાથી એવા પ્રકારના શુભ અવ્યવસાયાને પ્રાપ્ત કરે છે કે—જે અધ્યવસાયા વડે આત્મસત્તામાં રહેલ દીધ સ્થિતિવાળાં કર્મો અલ્પસ્થિતિ વાળાં થઈ પક્ષેાપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન એક કાડાર્કાડી સાગરોપમ પ્રમાણ સ્થિતિવાળાં થાય છે. આ અધ્યવસાયાના સમૂહ વિશેષનું નામ થયાપ્રવૃત્તિ કરણ કહેવાય છે. એ રીતે નિકટ મોક્ષગામી કાઈ ભવ્ય જીવ દીસ્થિતિના નાશ અને અસ્પસ્થિતતા બંધ કરવા રૂપ યથાપ્રવૃત્તિ કરણવડે ગ્રંથિસ્થાનની સન્મુખ આવે છે. અભવ્ય જીવો પણ થવાપ્રવૃત્તિ કરણ વડે કર્મસ્થિતિની લઘુતા કરી રાગદ્વેષની ચિકાશરૂપી નિબિડ ગ્રંથિના સન્મુખ અનતીવાર આવે છે. પરંતુ સમ્યક્ત્વની પ્રાપ્તિ તા ગ્ર ંથિભેદ કરવાથી જ થાય છે. ગ્રંથિભેદ કરનાર અવ્યવસાયાના સમૂહનું નામ અપૂર્વળ છે. આ ગ્રંથિને ભેદ કરવા તે અપૂર્વ કરણનું ફલ છે. ચચાપ્રવૃત્તિ કરણ એ ભવિતવ્યતાના યોગે થાય છે, પરંતુ ત્યારબાદ પૂર્વ ન કરવામાં પ્રયત્ન વિના ચાલે તેમ નથી. અપૂર્વકરણમાં અનંતાનુબંધીનો ભેદ થાય છે. એ અનંતાનુબંધીને ભેદ ભવિતવ્યતાએ થતા નથી. તે ભેદ તા પૂર્વકરણદ્વારા—અત્યંત વીર્ચાલાસરૂપ અપૂર્વ પ્રયત્ન થાય ત્યારે જ બને છે. દેવગુરુ અને ધર્મના સંચાગ છતાં પેાતાના પ્રયત્ન ( પુરુષાર્થ ) વિના પરમાર્થ સાધી શકાય તેમ નથી. ચેાથા ગુણસ્થાનકથી ચૌદમા ગુણસ્થાનક સુધી, અરે છેલ્લે મેક્ષે જવામાં પણ પુરુષાર્થની જરૂર છે. માટે સમજવું જરૂરી છે કે ભવિતવ્યતાનું કામ યથાપ્રવૃત્તિકરણ સુધી છેઃ પછી જેએ પોતાનુ જીવન ભવિતવ્યતાને જ ભળાવી એસી રહે તેને મેક્ષ મળવાના નથી અને તે કામભોગના કાદવમાં વધારે ખૂંચવાના છે. કામભાગમાં ખૂંચનારાએ જ માત્ર ભવિતવ્યતાના ભાસે રહે છે. જેના ભવિતવ્યતાને નથી માનતા એમ નથીઃ માને છે પણ વાસ્તવિક રીતિએ માને છે, જૈનાની ભવિતવ્યતાની માન્યતાને ઉપયાગ સમજવા ખાસ જરૂરી છે. જ્યારે આત્મા સંકલ્પ વિકલ્પથી આર્ત્તરોત્ર ધ્યાનમાં જાય છે, ત્યારે તેને બચાવવા ભવિતવ્યતાનો સહારા આપવાનુ જૈન દર્શનમાં વિધાન છે. ભવિતવ્યતા ( બનવાનું બને છે) તરફ ખેંચીને હેતુ તે તે આત્માને આર્ત્તરૌદ્ર ધ્યાનથી ( તેનાથી થનાર કર્મબંધનથી—દુર્ગતિથી) બચાવવાના છે. સમ્યક્દર્શનાદિ ધર્માનુષ્ઠાનમાં ભવિત ચંતાને આગળ કરવાનું (ભવિતવ્યતાના બહાને ધર્મધ્યાનાદિથી પાછા હઠવાનું—તે નહિ કરવાનું) જૈનશાસનમાં વિધાન નથી. નિગોદના જીવો માટે ભવિતવ્યતાના હવાલા આપાય કેમકે ત્યાં ઉપાય નથી, પણ શ્રીતીથંકર દેવનાં વચનામૃતા શ્રવણ કર્યા બાદ, પરિસ્થિતિ જાણ્યા બાદ પણ કનું કાસળ કાઢવામાં આળસ ન રખાય; ત્યાં બનવાનું હશે તે બનશે એમ ભવિતવ્યતાને ઉપદેશ નથી. ત્યાં તે પુરુષાર્થ ફારવવાને સતત ઉપદેશ છે કે સાધકે કાર્યસિદ્ધિ માટે પરાક્રમ ઉપર જ મુસ્તાક રહેવુ પડશે. કર્મના ઉદય વખતે કર્માંતે તાડવાની ખંત ધરાવ્યા વિના કર્મો તૂટતાં જ નથી. માટે સમજવું જોઇ એ કે ભવિતવ્યતાની · માન્યતા આર્ત્ત-રૌદ્રધ્યાનના પ્રસંગે સ ંકલ્પ વિકલ્પો રોકવા માટે છે પણ પ્રગતિના અંતરાય માટે નથી. જ્યાં સવર–નિજ રા માટે પ્રયત્નની જરૂર છે ત્યાં ભવિતવ્યતાના ભરાસે રહેવું એ ભૂલ છે. [ જુએ : અનુસ’ધાન પૃષ્ઠ : ૪૨ ] For Private And Personal Use Only
SR No.521727
Book TitleJain_Satyaprakash 1955 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy