SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૨૧ અહી' એ ઉમેરીશ કે મહાવીરસ્વામીને, છદ્મસ્થ-કાળમાં ગોવાળ, શૂલપાશ્િ યક્ષ વગેરે તેમજ સર્પ વગેરે દ્વારા ઉપસર્ગો થયા હતા. એમના કૅવલિ-શ્ર્વન દરમ્યાન ગેાશાલક એમના ઉપર તેજોલેસ્યા મૂકી એ મનુષ્યકૃત ઉપસર્ગ છે. પ્રસ્તુત ટીકામાં દેવ અને તિર્યંચ દ્વારા પણ એમને સર્વજ્ઞદરાામાં ઉપસર્ગ થયા એમ સૂચવાયું હેય એમ લાગે છે. જો તેમજ હાય તા એ ઉપસર્ગ કાણે કત્યારે કર્યા તે જાણવું બાકી રહે છે. ગાશાલકે મહાવીરસ્વામીને કૈવલ–દશામાં, ઉપસર્ગ કર્યાની વાત દિગંબરાને માન્ય નથી, એમના સાહિત્યમાં ગાશાલક વિષે કશા જ ઉલ્લેખ હજી સુધી તે મળી આવ્યા નથી; બાકી બૌદ્ધ સાહિત્યમાં તો ગાશાલક સબંધી થોડાક નિર્દેશ તેા છે જ, (૨) ગર્ભ હરણ—આનો અર્થ અભયદેવસૂરિએ નીચે મુજબ દર્શાવ્યા છે:-- ઉદરમ રહેલા જવનું અન્ય ઉદરમાં સ’ક્રામણ તે ‘ગર્ભ હરણ' છે. તે અંગે એમણે પત્ર ૫૨૩ આ.માં કહ્યું છે કે આ પણ તીર્થંકરની અપેક્ષાએ અભૂતપૂર્વ છે. અર્થાત્ આવું પહેલાં બન્યું નથી. એ ભગવાન મહાવીરને “અંગે બન્યું. ઈન્દ્રની આજ્ઞાથી હરણેગમેષી દેવે દેવાનંદા નામની બ્રાહ્મણીના ઉદરમાંથી મહાવીરસ્વામીના જીવને ત્રિશલા નામની રાણીના ઉદરમાં સંક્રમાવ્યો. આ પણ અનતકાળે થનારું હોવાથી આશ્ચર્ય જ છે. અહીં એ ઉમેરીશ કે ગર્ભ–હરણની ઘટનાના ઉલ્લેખ આયાર (સુય. ૨, અ. ૧૫, સુત્ત ૩૯૯ ) માં પોસવણાકપ્પ (સુત્ત ૨૦ )માં તેમજ આવસયના ભાસ (ગા. ૧૫૧– ૩૫૩)માં છે, પરંતુ દિગંબરા આ ઘટના માનતા નથી. વિવાહપણત્તિ (સ૦ ૫, ઉં. ૩૩, સુત્ત ૩૮૧–૩૮૨ )માં દેવાન દાના અધિકાર છે. (૩) સ્રી—તી — તીર્થંકર તરીકે સ્ત્રી ઉત્પન્ન થાય અને તેને હાથે તીર્થ સ્થપાય તેને સ્ત્રી તીથ ' કહે છે. સામાન્ય રીતે પુરુષ તીર્થંકર જ આ કાર્ય કરે છે, પરંતુ આ અવસર્પિણીમાં આપણા આ દેશમાં મિથિલા નગરીના રાજા કુંભકની પુત્રી નામે મલ્લિએ ઓગણીસમા તીર્થંકર બની તી પ્રવર્તાવ્યું. આવી ઘટના અનતકાળે અને–ભાગ્યે જ અને તેવી હાવાથી એ પણ આશ્ચર્ય ગણાય૪ છે. દિગંબરાને આ ઘટના પણ માન્ય નથી. (૪) અભવ્ય પદા—આ સંબંધમાં અભયદેવસૂરિએ નીચે પ્રમાણેનુ સ્પષ્ટીકરણ પુત્ર પર૪ અ.માં કર્યુ. છે— અભવ્ય એટલે ચારિત્રધર્મ માટે અયેાગ્ય પર્ષ(દા) એટલે તીર્થંકરના સમવસરણમાંના શ્રોતૃજના (સાંભળનારાં.) એમ સભળાય છે કે ‘જંભિકાગ્રામ ’ નગરની ખહાર ભગવાન વમાન સર્વજ્ઞ બન્યા ત્યાર પછી એકત્રિત થયેલા ચાર પ્રકારના દેવાએ એમનુ' સમવસરણ ચ્યું. તેમ થતાં, ભક્તિથી અને કુતૂહલથી આકર્ષાઇ ને અનેક મનુષ્યા, દેવેશ અને વિશિષ્ટ તિર્યંચા ત્યાં આવ્યાં. તે વેળા કલ્પ પાળવાની ખાતર જ, તિર્યંચાદિકને પોતપોતાની ભાષામાં પરિણમનારા અને અતિશય મનોહર એવા મહાધ્વનિ વડે ધર્મકથા ( દેશના ) થઇ. પરંતુ ૧. પત્રયસારુદ્ધારની વૃત્તિ (પત્ર ૨૫૬ )માં પણ આ જાતનો ઉલ્લેખ છે. ૨-૩. જુએ હાભિદ્રીય ટીકાવાળી આવૃત્તિ (પત્ર ૧૭૪ અ૦). ૪. સુમેાધિકા ( પત્ર ૨૪ આ.)ના ટિપ્પણમાં આગમાલ્હારકે કહ્યું છે કે મલ્લિનાથ તી કર ખત્યાં એ આશ્ચય હાવાથી એમની પ્રતિમા વગેરે સ્રીરૂપે કરાતી નથી. For Private And Personal Use Only
SR No.521727
Book TitleJain_Satyaprakash 1955 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy