________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૨૦
એ છે કે ખેંગાર મેટા યેદ્દો અને પ્રતાપી છે. તેણે આપનું રાજ્ય લેવા માટે પહેલાં મંત્રીને માકલ્યા અને અત્યારે એ સ્વયં આવ્યો છે'
વિજયનગરના સ્વામી હરિયડ આ સાંભળીને ક્રોધિત થઈ ગયા અને ધૂર્ત પુરોહિતની વાત સત્ય માનીને તેણે તત્કાલ ઠાકરસી શાહને ખેલાવવા સાત દૂત મોકલ્યા. મંત્રીશ્વર ઠાકરસી રાજાના ખેલાવવાથી ધણીએક ભેટો અને યોગ્ય વસ્તુ લઈને રાજા ખેંગારને વિજયનગરપતિ સાથે મેળાપ કરાવવા માટે સાથે લઈ આવ્યા. સિદ્ધાર પર ખતે નરેશા મળ્યા. ખેંગાર સાથે પ્રૌઢ પરિવાર હતા. હરિયડના મનમાં પુરોહિતના વચનાથી ભય પેસી ગયા હતા, તેથી કપટપૂર્વક પોતાને ત્યાં ભોજન માટે નિમંત્રણ કર્યું.
રાજા હરિયઅે જાત જાતનાં ભોજન તૈયાર કરાવ્યાં અને સારપતિનું કાસળ કાઢી નાખવા માટે ખીરમાં વિષ નખાવ્યું. રસાઇ તૈયાર થઈ જતાં હરિયડેસવારને મેકક્લ્યા. તેણે મંત્રીને પુરહિતની ચાડી અને વિષભોજનની ગુપ્ત વાતો છાનીરીતે નિર્દેશ કર્યો. મંત્રી સાવધાન બની ગયા. અને તેણે સારપતિને બચાવવા માટે એક ઉપાય વિચાર્યું. તેઓ તત્કાલ હિયડની પાસે ગયા અને કહ્યું; ‘સ્વામિન ! આમાં તો નીચ જાતિના લોકો પણ છે, તેથી તેમને માટે તા ઉદ્યાનભાજન જ ઉપયુક્ત લાગો. રાજાએ આતે હિત વાત માની લઈ ભાજનસામગ્રી મેાકલાવી દીધી. મંત્રીએ રસોઈ બદલી નાખીને ભેજન કરાવ્યુ અને એ રીતે સાનરેશને બચાવી લીધા.
મંત્રી ઠાકરસીએ બે લાખ રૂપિયા અને ધણીયે સામગ્રી આપીને ખેંગાર રાજાને વિદાય આપી. તેણે ગોહિલવાડ જઈને એક લાખ રૂપિયાના ઘેાડા ખરીદ્યા અને સૈન્ય એકઠું' કરી ગઢ ગિરનાર જઈ પહોંચ્યા, યવને ઉપર આક્રમણ કરી ખેંગારે તેમને નસાડી મૂકયા. અને દુર્ગામાં પ્રવેશ કરી પેાતાના અધિકાર કરી લીધા. યાદવપતિ ખેંગારે પોતાના પિતાનું નામ રાખ્યુ અને દુષ્ટોને કાઢી મૂકી પોતાની ક્ષાત્રવટને ઉજ્જવલ કરી.
આ તરફ રાજા ખેંગારને રવાના કર્યો પછી શાહ ઠાકરસી દક્ષિણનરેશ હરિહરની સેવામાં પૂરેપૂરા ઉદ્યત બન્યા. રાજાએ પૂછ્યું કે, તમને તમારા પૂર્વ સ્વામીએ શા કારણે છોડવ્યા હતા? ( અને પછી તમારી પાસે શા ખાતર આવ્યા હતા ?) મંત્રીએ કહ્યું: “ સ્વામી ! ઘેર આવેલા મહેમાનને કેમ દૂર કરાય ? રાજ્યષ્ટ બનીને રાજા ખેંગાર અહીં આવ્યા અને દસ–વીસ દિવસ રહી ગયા. આપ એ વાતને ધીરજથી વિચારે? ચાડીખારેાના વચનથી આપના કાન કાચા ન બનવા જોઈ એ. ત્યારે રિયરે પૂછ્યું: “ ખેંગાર કેવી રીતે રાજ્યભ્રષ્ટ થયા ? ' મંત્રીએ કહ્યુંઃ “વનાના પ્રબલ આક્રમણથી ગઢ છેાડીને રાજા ખેંગાર અહીં આવ્યા હતા.
'
એ જ સમયે સામેશ્વર શિવની યાત્રા કરીને પાછા ફરેલા યાત્રીઓને પૂછીને રાજાએ પોતાના મનને સ ંદેહ દૂર કર્યાં અને ઠાકરસીશાહના વચનોની સત્યપ્રતીતિ થઈ, પુરોહિતનાં વચને પાપપૂર્ણ માનીને મંત્રીને પૂછ્યું: ‘તમે યાદવ ખેંગારને કેવી રીતે જમાડવા ?' મંત્રીએ કહ્યુ: ભાજન પછી ક્ષત્રિયા અને ખેંગાર એક પળવાર પણ થેાભ્યા નથી. તે ધાડા ઉપર સવાર બનીને વિદાય થઈ ગયા છે.
"
આ સાંભળી હરિયડના મનમાં ખૂબ પશ્ચાત્તાપ થયે, અને તેમણે વિચાર્યુ કે, દુષ્ટના વચનથી મેં વિના વિચારે અકાર્ય કર્યું' છે, ખરે જ સારાપતિના પ્રાણ મે સ’કટમાં નાખ્યા
For Private And Personal Use Only