SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શકે કેટલાં નાટક સર્યા સર્જ્યો ? લેખકઃ-. શ્રીયુત હીરાલાલ ર. કાપડિયા એમ. એ. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઈ. સ. પૂર્વે ૫૬૯માં ત્રીસમે વ દીક્ષા લીધી. ત્યાર બાદ એમના ૨૯મા ચોમાસામાં ઈ. સ. પૂર્વે ૫૪૦માં અભુત – વિલક્ષણ ઘટના બની. અભિમાને રાજાને રાજર્ષિ બનાવ્યો, અને ગર્વ ઉતારનાર શકને આશ્ચર્યચકિત કર્યો. વાત એમ બની કે ચંપાથી નીકળી મહાવીરસ્વામી “દશાર્ણ' દેશમાં પધાર્યા. ત્યાં દશાર્ણ' નગરમાં દશાર્ણભદ્ર નામનો રાજા રાજ્ય કરતા હતા. મહાવીર સ્વામી પધારે છે એમ સાંભળી એ રાજાએ એવો વિચાર કર્યો કે એમને વંદન કરવા માટે મારે એવી ઋદ્ધિઠાઠમાઠથી ધામધૂમપૂર્વક જવું કે અન્ય કેઈએ તેમ કર્યું ન હોય. એમ એ રાજા અભિમાનના શિખર ઉપર ચડયો. આ તરફ શર્ટ ઈન્દ્રને એ રાજાના અભિમાનની – એમના એ અનિષ્ટ વિચારની જાણ થઈતેમ થતાં એ ઈન્દ્રને આ રાજાના ગર્વને ઉતારવાનો વિચાર આવ્યા, અને એણે દેવસંપત્તિનું અને દિવ્ય શક્તિનું પ્રદર્શન કર્યું. દશાર્ણભદ્ર જે પિતાની સમસ્ત રાજ્યમી સહિત મહાવીર સ્વામીને વંદન કરવા આવ્યો હતો અને એમની પાસે બેઠો હતો. તે એ શક્રે વિકલાં નાટક જોઈ ઠંડા પડી ગયો –એને ગર્વ ગળી ગયો અને એ રાજાએ તે ત્યાં ને ત્યાં જ, ઈ. સ. પૂર્વે ૫૫૭માં સર્વજ્ઞ બનેલા મહાવીરસ્વામી પાસે દીક્ષા લઈ લીધી. દશાર્ણભદ્ર રાજર્ષિનું એ અદ્દભુત વૈરાગ્યપરાક્રમ જોઈ એમને હસનારે – એમને ગર્વ ઉતારવા પ્રયાસ કરનાર શિક્ર ઈન્દ્ર આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો અને એ રાજર્ષિને વંદન કરી પિતાને સ્થાનકે પાછો ફર્યો. શકે દશાર્ણભદ્રને ગર્વ ઉતારવાના પ્રસંગે કેટલાં નાટકે સી–સર્જાવ્યાં એ બાબતે મતાંતરે જોવાય છે. અને એ નોંધવા માટે એનો કંઈ તેડ નીકળે એ ઈરાદે તે હું આ લેખ લખવા પ્રવૃત્ત થયો છું. આવસ્મય નામના એક જૈન આગમ ઉપર –એક મહત્ત્વના મૂલસુત્ત ઉપર શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીએ નિત્તિ રચી છે. એને અનુલક્ષીને કોઈક – કેટલાકના મતે જિનદાસગણિ મહારે ચુણિ રચી છે અને એ બે ભાગમાં પ્રસિદ્ધ થયેલી છે. સમભાવભાવી હરિભસૂરિએ ઉપર્યુક્ત આવસ્મય અને એની નિજજુત્તિના સ્પષ્ટીકરણાથે સંસ્કૃતમાં વૃત્તિ રચી છે ખરી, પરંતુ ઘણાંખરાં કથાનક તે પાઈયમાં અને તે પણ પ્રાયઃ યુણિગત શબ્દોમાં રજુ કર્યો છે. આ સરિતી આ કૃતિ છપાયેલી છે. એમણે વિએસપથ રચ્યું છે અને એના ઉપર મુનિ For Private And Personal Use Only
SR No.521718
Book TitleJain_Satyaprakash 1955 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1955
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy