SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મ મીમાંસા [ લેખાંક—પાંચમા ] લેખક :–માસ્તર શ્રીચુત ખુબચંદ કેશવલાલ. સિરાહી કેમ કેવા સ્વભાવે, કેટલા સમય પૂરતું કેવા રસપૂર્વક (કેવા સ્વરૂપે) અને કેટલા દલિક પ્રમાણમાં ઉદય ( ફળ દેવાના સમય )માં આવશે તે કામ વગણાના સંસારી આત્મા સાથે બંધ થવા સમયે જ નિયત થાય છે. પરંતુ તે કર્મના ઉદય શરૂ થયા પહેલાં તેના અબાધા કાળ સુધીમાં તેમાં નિયત ફેરફાર થઈ જવા પામે છે. એ ફેરફાર થવાનું કારણ મનુ ષ્યના- પૂર્વ કમ કરતા વિદ્યમાન અધ્યવસાયા ઉપર વિશેષ હોય છે. આ માન્યતાથી સિદ્ધ્ થાય છે કે બુધ સમયે નિયત થયેલ બાબતોમાં પણ પરિવર્તન થઈ શકે છે. બંધાયેલ દરેક - કર્મીનું આ પ્રમાણે પરિવર્તન થાય છે એમ પણ નથી પરંતુ અમુક સ ંસ્કારવાળા કર્મમાં જ આ પ્રમાણે પરિવર્તન થાય છે. આ સંસ્કારની ઉત્પત્તિ બધ સમયે જ કર્મમાં પેદા થાય છે. કાઇક. ક" એવા સંસ્કારવાળુ હોય છે કે બંધ સમયે નિયત થયેલ બાબતામાં કાઈ પણ પ્રકારે કંઈ પણ પલટો થવા પામે જ નહિ. એનું ફળ નિયત થયા મુજબ જ ભોગવવું પડે. આવા સંસ્કારવાળા કર્મને જૈનશાસ્ત્રમાં નિકાચિત કુમ ' તરીકે ઓળખાવ્યું છે, " નિકાચિત સિવાય બીજું એક એવા સંસ્કારવાળુ કર્મ છે કે તેમાં ક અંગે જે ફેરફારા થવાના પ્રકાર દર્શાવ્યા છે તે પૈકી સ્થિતિ અને સમાં જ ન્યૂનાધિક થવાના સ્વભાવરૂપ પ્રકારાનુ થવાપણુ હોય છે. આવા સંસ્કારવાળા કર્મને નિત્તિ ક' કહેવાય છે. આ એ સંસ્કાર સિવાયની અન્ય કાણ વર્ગણામાં કાઈ વખત અધ્યવસાયના બળથી પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશમાં ન્યૂનાધિક ફેરફારો થવાનુ સંભવી શકે છે. આ ફેરફારો છેવત્તે અંશે અબાધાકાળ દરમ્યાન થાય છે. અખાધાકાળ એટલે કમ બંધાયા પછીના અને ઉદય (ભાગવટા) પહેલાંના કાળ સમજવા. ઉયાવલિકાને પ્રાપ્ત થયેલાં કમોમાં કઈ ફેરફાર થઈ શકતા નથી, કર્મની કઈ કઈ બાબતામાં કેવા કેવા પ્રકારે ફેરફારા થાય છે અને તે પ્રમાણે થતા ફેરફારા શું નામે ઓળખાય છે તે આ પ્રમાણે છેઃ— કર્મની સ્થિતિ અને રસની વૃદ્ધિ, હાનિનો આધાર મનુષ્યના પૂર્વક કરતાં વિદ્યમાન અધ્યવસાયે ઉપર વિશેષ રહે છે. એક સમયે કરાયેલ અશુભ કર્મોની સ્થિતિ અને રસમાં પણ પાછળથી કરાયેલ શુભ કૃત્યા વડે ઘટાડો થઈ શકે છે અને પ્રથમ કરેલ શુભ કૃત્યો દ્વારા ઉપાર્જિત શુભ કર્મની સ્થિતિ અને રસમાં પણ પાછળથી થતા દુષ્કૃત્યાના યોગે ઘટાડા થવા પામે છે. આ ક્રિયાને જૈનદર્શનમાં અપવના' કહે છે. આમાં અશુભ કર્મના રસ અશુભ હોય છે. આત્મ વિકાસના માર્ગ સુલભ બનાવવામાં અશુભ કર્મની સ્થિતિ અને રસની જ અપવતના જરૂરી છે. ભાગવટાના કાળનું પ્રમાણ અને અનુભવની તીવ્રતા–મદતા નિીત થયેલી હાવા છતાં પશુ આત્મા ઉચ્ચ ક્રેટિના અધ્યવસાયારૂપ કરણ વડે તેમાં ન્યૂનતા કરી શકે છે. કમ રાજા For Private And Personal Use Only
SR No.521716
Book TitleJain_Satyaprakash 1954 11 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1954
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy