SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = = = = છે મા ITY/" પI/ WE Fi' =' . III IIIIII. gઝ કે છે નિર્વાણ લેખક : શ્રીયુત “જ્યભિખુ પાવાપુરીના પવિત્ર ડુંગરા આજડેલી ઊઠયા હતા. પ્રત્યેક ઘરને ઉંબરે શેકની છાયા પથરાઈ ગઈ હતી. આકાશનું, આ માસની અમાસનું હૈયું નિર્મળ તારકવૃંદથી શણગારાઈ ગયું હતું. રાજબાગના રાજકાસારના જળમાં કમળ સ્થિતપ્રજ્ઞની જેમ ખડાં હતાં. જ્ઞાનીઓ કહેતા હતા: “આનંદ ! આજ પ્રભુ મહાવીર મુક્તિને વરશે.” પ્રજાજને નિશ્વાસ નાખતા હતાઃ “હાય રે! પ્રભુની પ્યારી દેહછબી આ અભાગી આંખેથી અળગી થશે. અહિંસાની મહાજ્યોતિ આજે સ્કૂલમાંથી સૂરમમાં અદશ્ય થશે!” ભક્તજને પિકાર કરતા ફરતા હતા: “રે, પ્રેમબંસરીની અમૃતવાણી હવે ક્યારે ફરી સાંભળવા મળશે ? વાણી તે કેવી? રાય-રંક, વિબુધ-અબુધ, જ્ઞાન-અજ્ઞાની, માણસ–પશુ સહુ સમજે એવી ! માનવતાને અનાહત નાદ હવે ક્યારે સાંભળશું?” શિષ્યગણ મનમાં ને મનમાં ખેદ પામી રહ્યો “પ્રભુ મહાવીર આજ અમારાથી અલગ થશે.એમને તે મુક્તિની આડે રહેલી દેહની દીવાલ દૂર થશે, પણ અમારું શું? જ્ઞાની પુરુષના વચનથી શોક અને આનંદને સમાન લેખવાની મહેનત કરીએ છીએ; પણ આનંદને સ્થળે શેક આવીને પહેલે બેસી ગયે છે; કેમે કર્યો હઠાવ્યા હઠતે નથી!” દે ને ત્રાષિઓ મીઠા શખ બજાવી રહ્યા છે, ને ગાઈ રહ્યા છે: વૈશાલીન રાજકુમારે લૌકિક સિંહાસન છાંડી પારલૌકિક સિંહાસન સર કર્યું ! ક્ષત્રિયકુંડના ક્ષત્રિયે ક્ષત્રિયત્વ છાંડી બ્રહ્મત્વ પ્રાપ્ત કર્યું ! શિકારી ધનુર્ધર ક્ષત્રિયે, નિર્દોષ મૃગલાંને શિકાર મૂકી, કામ કોધ, લેભને જડમૂળથી સંહારી નાખ્યાં. ઓ રાજમહેલના વાસી, અહિંસા ને પ્રેમે તને વન વન સાધના માટે રખડા. તારે રાજમહેલને ત્યાગ એ આકર્ષક નીવડ્યો કે અનેક રાજમહેલના For Private And Personal Use Only
SR No.521715
Book TitleJain_Satyaprakash 1954 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1954
Total Pages30
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy