SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૨ ] શ્રી. જેન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૯ ૮–એકવીશ વર્ષની ઉંમરના એક જુવાને એક વૃદ્ધને મારી નાખ્યો, આ યુવાનને ફાંસી મળે કે જન્મટીપ મળે? (૧) આજન્મ કેદ. કારણ-અપરાધી નાની ઉંમર છે. (૨) આજન્મ કેદ. કારણ—અપરાધીના પરિવારને કષ્ટ પડશે. (૩) ફાંસી. કારણ—અપરાધી પિતાની જવાબદારી સમજી શકે એવી ઉંમરને છે. બીજું ન્યાયાધીશ અપરાધી અને અપરાધને વિચાર કરે, તેના કુટુંબને વિચાર કરીને ફેંસલે આપી શકે નહીં. સૂચના–ત્રિપુરાની હાઈકોર્ટે ત્રીજો ચૂકાદો આપ્યો છે. ૯–એક સ્વામીજી પોતાને ઈશ્વરને અવતાર માને છે. તેનો ભક્ત રથયાત્રાને દિવસે આ સ્વામીજીની રથયાત્રા કાઢે છે. જગન્નાથજીની રથયાત્રામાં જનાર ૨૦ જાત્રાળુને એ તે માત્ર પથ્થરની બનેલા દેવ છે એમ કહી જગન્નાથજીની યાત્રામાં જતા રોકે છે. સ્વામીજીને ઉક્ત ભક્ત તે ત્યાં સુધી જાહેર કરે છે કે, પોતે પથ્થરના દેવ ઉપર પેશાબ કરી શકે છે. તે શું સ્વામીજી અને તેનો ભક્ત ગુનેગાર મનાય ? (1) સ્વામીજી ધોખાબાજ' તરીકે અપરાધી છે. કારણું–તે જૂડી વાત બતાવે છે. (ગપ હોકે છે.) ' (૨) સ્વામીજી જાણી જોઈને સમજપૂર્વક બીજાઓની ધાર્મિક ભાવનાને ઠોકરાવે છે. એ કારણે અપરાધી છે. - (૩) સ્વામીજી અપરાધી નથી. કારણ–તે ધખા દેવા માટે નહીં કિન્તુ પિતાના ખરા વિશ્વાસથી પિતાને ઈશ્વરનો અવતાર માને છે. (૪) સ્વામીભક્ત બીજાની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડે છે તે વાતે અપરાધી છે. કારણ તે જાણી જોઈને જગન્નાથજીની મૂર્તિની બાબતમાં અપશબ્દ બોલે છે. (૫) સ્વામીભક્ત અપરાધી નથી. કારણ–તે ખરેખર સ્વામીજીને ઈશ્વરનો અવતાર માને છે. સૂચના–ઓરિસા (બિહાર ) ની હાઈ કોર્ટે ત્રીજા અને ચોથા નંબરને ચૂકાદો આપ્યો છે. ૧૦-એક મેજીસ્ટ્રેટે એક વેપારીને કાનની બહાર માલ વેઓ એ સાબિત ન થવાથી એને નિર્દોષ માન્યો. પરંતુ માત્ર શકના કારણે તેને માલ જપ્ત કરવાનો હુકમ કર્યો. શું આ (૧) નહીં. કારણ–શક પડવા માત્રથી માલ 'ત ન કરી શકાય. (૨) હા. કારણું–શક પડવાનાં બીજાં પૂરતાં કારણે હોય છે. (૩) હા. તે વ્યાપારી બીજીવાર મન થાય તે પણ એવી ભૂલ ન કરે તે માટે. સુચના-કલકત્તાની હાઈ કોર્ટે પહેલા નંબરનો ચૂકાદો આપે છે. કેર્ટના ચૂકાદામાં સાત નસ્થાવાદ કે ભાગ ભજવે છે તે ઉપરની યાદીમાંથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે. સ્યાદ્વાદની ઉપગિતાના આ પ્રત્યક્ષ પુરાવાઓ છે. ભગવાન મહાવીર સ્વામીના આ સ્યાદ્વાદને સમજી જાત પ્રગતિ કરે તો ઘણી આંટીઘુંટી અને આફતમાંથી બચી જાય. For Private And Personal Use Only
SR No.521713
Book TitleJain_Satyaprakash 1954 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1954
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy