________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૨ ] જીવે અને જીવવા
[ ૨૨૫ ઋષિ-મુનિઓએ જેને ધર્મ તરીકે ઓળખાવેલ છે, તે “અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહને નાસ્તિક વગેય ધર્મ તરીકે કબુલ કર્યા વિના ચાલે તેમ નહિ હેવાથી આજે એ જ અહિંસાદિ ધર્મને અંચળો ઓઢીને નાસ્તિક વર્ગ હિંસા, જઠ, કાળાબજાર, અબ્રહ્મ અને પરિગ્રહના ડુંગરા એકઠા કરવાપૂર્વક આસ્તિક વર્ગને છેતરી રહેલ છે. માનવીનું પેટ ભરવાને બહાને અશરણ, મૂંગા અને નિરાધાર પશુ-પંખીઓના અકાળે મોત નીપજાવીને માનવીને તે નિર્દોષ પ્રાણીઓના માંસના લેયા આમતો કરી માનવને દાનવ બનાવવાના ઘર નાટક ભજવી રહેલ છે. એ રીતે અહિંસાના અંચળા તળે “જગતના બધા પ્રાણીઓમાં માનવ જ કિંમતી છે અને તેથી બીજા બધા પ્રાણીઓના ભેગે પણ માનવ જીવ જઈ એ' એવી માન્યતા અને પ્રવર્તન રખાય, તે અનાર્ય જનનું હિંસક અનુકરણ જ ગણાય. જે જીવન જીવવું છે, તેને જે તે બહાને મારી નખાય તેને અહિંસા તે મૂર્ખ જ માની શકે. પિતાને કઈ “મર’ કહે તેટલામાં જે ધુંવા-કુવા થઈ જાય છે, તે માણસ બીજા ને જાનથી મારી નાખતા લકથી પણ કેમ લાજત નહિ હોય?
ખેતીવાડી અને બાગબગીચાને હાનિ કરે છે, માટે તેઓને મારવાં જરૂરી છે' એવી દલીલ પણ નિર્દયતા સૂચક છે. નૈતિક એ એકાદ પણ દાખલ નહિ મળે કે, બે પાંચ રૂપિયાનું નુકસાન કરનારને દેહાંત દંડ કરાય. જ્યારે પેટ ખાતર તે બસો-પાંચસો રૂપિયાનું નુકસાન પહોંચાડનારને ય રહેમદિલીપૂર્વક જતા કર્યા હોવાના દાખલાઓ સેંકડો મળી શકે તેમ છે. મોલાતની શરૂઆતથી જ તેમાં ઉપજતી વિવિધ જાતિની અસંખ્ય જીવાત-ઈયળો, કાતરા, ગેરૂ, આગિયા વગેરેથી અને તૈયાર થયેલા પાકમાં થતા અસંખ્ય કુંથુ-ધનેરિયા વગેરેથી ખેતીવાડી અને બાગબગીચાને સદાને માટે અબજો રૂપિયાની અનિવાર્ય હાનિ ચાલું જ હેવા છતાં અદ્યાપિ પર્વત પશુની જેમ માનવી અનાજ અને ફળફલાદિ વગર ભૂખે કરેલ નથી; જ્યારે જ્યાં ત્યાં રખડી-રવડી અને કુટાઈ–પીટાઈને પણ બહુધા ઘાસથી અને ખડધન આદિથીય ક જ પેટને અડધો-પડધે ખાડો પૂરવા પામતા પશુ-પંખીઓ તે બિચારા તે ઘાસ આદિના અભાવે આજે ઢગલાબંધ પ્રમાણમાં ભૂખે મરી રહેલ છે! આ દુઃખદ બીના આંખ સામે હેવા છતાં પાંચ-પચીશની હાનિખાતર તેને પિતાના જ આધારભૂત પ્રાણીઓની કતલ ચલાવવા પ્રેરાવું તે ઘોર હિંસાખોર હૃદયનું પ્રતીક ગણાય. અલ્પ નુકસાન કરે, તેને જે કતલની સજાને ન્યાય ગણી કાઢવામાં આવે તે એ રીતે અન્ય પ્રાણીઓના અમૂલ્ય પ્રાણેને જ હણી લેવા જેવું મહાન નુકસાન કરે તેમને કઈ અને કેવી ઘર સજા ન્યાય ગણવે?
સર્વ પ્રાણી પેટ અને તે ભરાય તેટલું પુણ્ય, સાથે જ લઈને જન્મેલ હેવા છતાં, કુર માનવીઓ પિતાના પેટને ખાડો પૂરવાના કુટિલ બહાના તળે તેવા નિરાધાર અને મૂક પાણુઓની ઊંડા ખાડાવાળાં ભૂખ્યા પેટે જીવતાં જ ફાડી નાખવાનાં ઘોર પાપ ઉપાજે, એ બીના હરકેઈ આર્યાને કમકમાટી ઉપજાવે તેવી કરુણ ગણાય. તેવા જનોને તેવી હિંસક પ્રવૃત્તિથી અટકાવવાના શ્રી મુંબઈ જીવદયા મંડળીએ લીધેલા સર્વ પ્રતિની પ્રેમાળ લાગણીભર્યા સંવત્સરીની શાસ્ત્રીય અમારીનાં પગલાં હરકેઈ દયાવંત માનવીને વારંવાર અનુમોદનીય ગણાય આત્મકલ્યાણને ઇચ્છનાર ધર્મિષ્ઠ આત્માઓએ જીવદયા મંડળીના
[ જુઓ અનુસંધાન પૃષ્ઠ ૨૨૨]
For Private And Personal Use Only