________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજ્ઞાનનો અંજામ
લેખક: પૂજ્ય મુનિરાજ શ્રી મહાપ્રભવિજ્યજી (આ. શ્રી. વિજયરામચંદ્રસૂરીશ્વરજી શિષ્ય ) નિધન દશામાં દુ:ખથી કંટાળી, સ્ત્રી અને પુત્રને નિરાધાર મૂકી, પરદેશમાં શેઠે વેપાર માટે પ્રયાણ કર્યું. પુત્રના પુણ્યથી ઘરમાંથી ધન નીકળતાં મહેલ બંધાવ્ય, દેવાંગના જેવી આઠ કન્યાઓ પરણી, પરદેશ જઈ કરોડોની દાલત મેળવી એક વર્ષમાં પાછા વળતાં, તેના દર્શન માટે અને પરણાવવાની કોડ સેવતા, પરદેશથી પાછા ફરેલા પિતા આનંદ માનવાની જગાએ પતિાના સુખ ખાતર અજ્ઞાનથી તેને મરાવી નાખે છે. પિતા જિંદગી હારી જાય છે.
અજ્ઞાનથી સાચા દુશ્મને ઓળખાતા નથી અને શત્રુઓમાં પણ મિત્રને આભાસ થઈ જાય છે. ખરું જોતા આત્માના એકતિ અહિતકારી એવા દુન્યવી પદાર્થો આપણને સુખના સાધનરૂપ દેખાય છે પણ આપણે ગળામાં જન્મ-મરણ-રોગ-શેક આદિને કારણે કસિ ઘાલતા એ દુષ્ટ આપણાથી ઓળખી શકાતા નથી. અજ્ઞાને જગતમાં દુઃખના દાવાનળ સળગાવેલા છે. સ્પષ્ટ છે કે સઘળાંએ દુઃખનું કારણ અજ્ઞાન છે. જ્ઞાનના પ્રતાપે અજ્ઞાને હઠે છે, મિથ્યાત્વ કરે છે, શત્રુ અને મિત્રનું ભાન થાય છે, દુરાચાર દૂર થાય છે, સદાચાર જીવનમાં પ્રગટે છે. દુ:ખ સઘળું લાગે છે અને સુખ સ્વયં આવી મળે છે.
ધન-ધાન્યથી ભરપુર એક નગરમાં એક ધનહીન શેઠે અને શેઠાણી રહેતાં હતાં. પૂર્વના પાપથના કારણે તેમની પાસે નથી કેઈ સંપત્તિ, જર-જમીન, ઓથ કે આબરુ. સગાં કે વહાલાં માત્ર પિતે બે પતિ-પત્ની. આટલું બધું દુઃખ છત ભલી સ્ત્રી પતિને જરાયે કષ્ટ ઉપજાવતી નથી, આમ દિવસે વ્યતીત થાય છે. શેઠને ત્રીસ વર્ષની ઉંમરે એક પુત્ર થયો. શેઠને ગરીબાઈનું દુઃખ ઘણું સાલતું. લેકના મેણુ-ટોણું, અપમાન અને ધિક્કાર દેખીસાંભળી શેઠના પ્રાણુ કઠે આવી ગયા. તેમણે શેઠાણુને કહ્યું : “તું કુળવાન છે. પુત્રનું રૂડી રીત જતન કરજે, તને વિશેષ કહેવાની જરૂર નથી. વ્યવહારમાં મારા કરતાં તું વિશેષ જાણે છે. હવે આ નગરમાં હું રહેવા માગતો નથી, પરદેશ જઈ જાત-મહેનતથી સંપત્તિ મેળવવા પ્રયત્ન કરીશ, સફળતા મળે અને ઉજળે મેએિ ફરી શકાય તેવી સ્થિતિ થશે તે હું પાછો આવીશ. નહિ તો આ આપણું છેલ્લું મિલને માનજે.'
શેઠની દયામણું મુદ્રા, દીન વચન અને થરથરતી કાયા દેખી શેઠાણની આંખોમાં શ્રાવણ-ભાદરે વહેવા લાગ્યો; છતાં હૃદયને દબાવીને શેઠાણીએ પતિને વિનવ્યું: “નાથ! પરદેશ જવાની જરૂર નથી. આ શહેરના સજજને કંઈ તમને સંતાપતા નથી. અને દુજને સતાપે તેમાં તે નવાઈ જ નથી. માટે શાંતિ રાખી પ્રભુભજન કરે. પૂર્વના પાદિયે દુઃખ આવ્યું છે તે તેને પણ હસતે ગાંએ સહન કરવામાં આપણી મહત્તા છે. કાયરતાથી દુઃખ જતું નથી. પરદેશ જવા માત્રથી કલ્યાણ થઈ જાય એ માનવાયેગ્ય નથી. અહીં સંતોષ રાખી રહીએ તે શું દુઃખ છે? ખાવા ટલે, રહેવા ઝુંપડી અને શરીર ઢાંકવા જાડાં કપડાં તે મળે છે.” આમ શાણીએ સમજાવ્યા છતાં શેઠે કંઈ ન માનતા પરદેશ જવાને અફર નિશ્ચય બતાવ્ય દેરી, લોટ, બિસ્તરો અને થોડું ભાતું લઈ શેઠ વિદાય થયા,
ઘેર નાનું બાળક અને તેની માતા નિરાધાર સ્થિતિમાં રહ્યાં, શેઠ થોડે દૂર ગયા હશે તેવામાં જ શેઠાણી પિતાના છોકરાને રમાડતાં હતાં. તે છોકરા પાસેના ખૂણામાં જઈ બેઠે
For Private And Personal Use Only