SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir surrots.tisisvisisviy says Ass II'$faIIt .mnimoupurni riminary. ppr : * | " ' ' rrrrrrrrrrrrr ##કે, '/ vt lt /India # ૧ કલ ૧૧૧૧૧૧૧ મહામતિ શ્રી. સિદ્ધસેન દિવાકર-કૃત શ્રી. મહાવીરસ્તુતિ દ્વાáિશિકા [ પરિચય ]. લેખક - પૂજ્ય પં. શ્રી. ધુરંધરવિજયજી આચાર્ય શ્રી. સિદ્ધસેન દિવાકર મહામતિ હતા. મહાતાર્કિક હતા અને મહાકવિ હતા. જૈન દર્શનસમ્મત તને તર્કયુક્તિથી સિદ્ધ કરવાની તેમની અનેખી કાં હતી. ગંભીર વિષયને ગંભીરપણે સમજાવવાની તેમની શૈલી આકર્ષક અને પ્રધ સ્પષ્ટ જણાય છે. સ્તુતિ-સ્તાવનામાં પણ તક ગંભીર વિષયોને ગુંથવાની શરૂઆત તેમનાથી થઈ છે. એવા પ્રકારની રચનાના તેઓ પુરોગામી છે. જે વિષયનું તેમને નિરૂપણ કરવાનું હોય છે તેનું સ્પષ્ટ દર્શન તેમની દૃષ્ટિ સામે રમતું હોય છે તે સ્પષ્ટ દર્શનનું શુદ્ધ પ્રતિબિંબ તેમના શબ્દ-દર્પણમાં દેખાય છે. કોઈ પણ વિષય ગમે તે મહત્ત્વ હોય છતાં તેનું નિરૂપણ કરતાં તેમનું હૃદય થડકતું નથી એટલું જ નહિ પણ ચંચળ પણ બનતું નથી. વૃત્તિઓની સમતુલા સાચવવાની અદ્વિતીય કુશળતા તેમનામાં હતી. એવી એવી વાતો તેમણે જણાવી છે ને સમજાવી છે કે જે તે જણાવતાં સમતુલા ન જાળવવામાં આવે તો અર્થનો અનર્થ થઈ જાય. તેવા પ્રકારના સામર્થ્ય વગરને આત્યા આવા પ્રયત્નોથી અભિમાનને શિખરે ચડી જાય. શ્રી સિદ્ધસેન નથી ચડવા તે જ તેમની વિશિષ્ટતા છે. અભિમાન વગરની યોજનામાં નિમાલ્યતા આવવાનો સંભવ છે છતાં તેમની કૃતિમાં કયાંય પણ ગૌરવની ક્ષતિ નથી. તેમની કૃતિઓ વર્તમાનમાં અતિઅલ્પ સંખ્યામાં ઉપલબ્ધ થાય છે. તેમની ઘણી કતિઓ હશે એવી કલ્પના કરવી એ સર્વથા સમુચિત છે. અત્યારે વિદ્યમાન કૃતિઓ તેમની નીચે પ્રમાણે છેઃ (૧) સંમતિ -ગાથા, (૨) ન્યાયાવતાર, (૩) કાત્રિશિકાઓ-ર૩, (૪) કાણુ–મન્દિરસ્તોત્ર. આ સિવાય છુટક કેટલાએક લેકે છે. આટલું સાહિત્ય પણ તેમના પરિચય માટે પૂરતું છે. સંમતિતર્ક એ શ્રી સિદ્ધસેનની પ્રતિષ્ઠા છે. કલ્યાણમન્દિર, અને કાત્રિ શિકાઓમાં તર્ક-ભક્તિને સુંદર સમવય છે. ન્યાયાવતાર એ ટૂંકમાં કહીએ તે યથાનામાં છે. આ ચાર કૃતિઓમાંથી કાત્રિ શિકાઓ સિવાય ત્રણ પ્રત્યે ઉપર પછીથી ટીકા-ટિપણે આદિ થયાં છે. ફક્ત કાત્રિશિકાઓ ઉપર કાંઈ નથી. દ્વત્રિશિકાઓ બત્રીશ હોવાનું સંભવિત છે. એટલે ૧૧ કાશિકાઓ ઉપલબ્ધ નથી. કેટલાએક ન્યાયાવતાર ૩૨ શ્લેક પ્રમાણ હોવાને કારણે એ પણ એક ધાત્રિશિકા છે એમ કહે છે ને તેથી ૨૨-દ્વાત્રિશિકાઓ છે તે ૧૦ અનુપલબ્ધ છે. . આ ત્રિશિકાઓ વિ. સં. ૧૯૬૫માં શ્રીજૈનધર્મ પ્રસારક સભા-ભાવનગરથી “ શ્રીસિદ્ધસેન દિવાકરકૃત ગ્રંથમાળા' એ નામે પ્રસિદ્ધ થઈ છે. તેમાં ન્યાયાવતાર અને સુમતિ-સૂત્ર મૂળ માત્ર પણ છે. એકવીસમી મહાવીર ધાર્નાિશિકા ઉપર અવચૂરિ જેવી લgટીકા છે. તે પણ મુદ્રિત થઈ છે. નવમી વેદવાદદ્વાત્રિશિકા ભાષાવિવેચન સાથે ભારતીય For Private And Personal Use Only
SR No.521693
Book TitleJain_Satyaprakash 1952 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1952
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy