________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્ય સિદ્ધસેન દિવાકર
લેખક :—શ્રીચુત વસંતલાલ કાંતિલાલ ઇશ્વરલાલ, બી. એ. સ્તુતિ એટલે અસાધારણ ગુણેનું કથન, એમ હોય તે। આ આયાય સિદ્ધસેન દિવાકર્તી સ્તુતિ છે. આચાર્ય સિદ્ધસેનને વિચાર કરતાં જ કાઈ દિગ્વિજયી પરમ જ્ઞાની તેજોમૂર્તિ ખડી થાય છે. તત્ત્વજ્ઞાનનુ' સૌથી નિર્મળ સ્વરૂપ એટલે આયાર્ય સિદ્ધસેન દિવાકર, ઉપનિષદના પુરુષતત્ત્વથી માડીને તે વાદકળાના રહસ્ય સુધીના વિષયેા તેમની પ્રાપ્ત ત્રોશીમાંથી મળે છે. સાંખ્ય સંશ્વરકૃષ્ણુની કારિકાએ કે બૌદ્ધ નાગાર્જુનની મધ્યમકારિકા, શ્વેતા વતર ઉપનિષદ કે ઋગ્વેદની ઋયા; આવું સધળુ' તેમની તત્ત્વષ્ટિમાં સમાઈ ગયું હતું. એ જ્ઞાન એટલી વિશાળ કાટનું હતુ` કે ઉજ્જૈનના વિક્રમાદિત્યથી માંડીને તે ગોધણુ ના રખેવાળિયા સુધી સૌ કાઈ ને તે પ્રતિખેાધ પમાડી શકતા. માત્ર એકલુ જ્ઞાન જ, જીવનવિકાસમાં વૈભવ તે વિલાસ જેવું જ અંતરાયભૂત છે. નાતધામ સત્ય પામવાનું છે. જ્ઞાનીએ તત્ત્વજ્ઞતત્ત્વજાણુનાર બનવાનુ છે. જ્ઞાન એટલે જ સત્યની માલિક આરાધના,
આચાય સિદ્ધસેને પણુ જ્ઞાનમાંથી સત્ય મેળવવા સમાલોચક દૃષ્ટિને આગળ કરી. એ વગર શાઓ શાબ્દિક ઉખાણાં બની જાય છે. સમાલાયક દૃષ્ટિ એટલ સત્યનુ નિભયપણે સંશાધન કેન્નાર વૃત્તિ, આ માટે વહેમ, અંધશ્રદ્ધા, પૂર્વ મહ, કદાગ્રહતા યક્રવતી'ના સૈન્ય સામે એકલા હાથે સામના કરવાને હોય છે. આચાય સદ્ધસેન તેમાં સફળ થયા તે નિર્ભયતાથી સત્ય શોધવા લાગ્યા. કેવલીના જ્ઞાન-દન ઉપયેગ જેવા વિષય પણ કેમ ન હોય તે સત્યશોધનને અંદગતિ ાળુ કદાપિ ન બનાવતા.
કેવળ તત્ત્વજ્ઞાન જ તેમના વ્યક્તિત્વનુ મેાહક પાસુ નથી. તત્ત્વજ્ઞાનમૂલક ભક્તિ પણ તેનું અત્ય ́ત મનેાહર સ્વરૂપ છે. ધમ ના સનાતન સત્યેાની ઊંડી સમજણુમાંથી જ્યારે હૃદયના `િપ્રવાહ ભક્તિરૂપે વહે છે ત્યારે એ અપૂર્વ ને અજોડ ભક્તિ લેખાય છે. આવી તત્ત્વજ્ઞાનમૂલક ભક્તિ હોવાથો જ મહેશ, બ્રહ્મા ને વિષ્ણુની ત્રિમૂર્તિ કે સૂર્ય-ચંદ્રાદિ વૈદિક દેવોને તેઓએ જિનેશ્વરમાં ધટાવ્યા, આવી ભક્તિ લાગણીપ્રધાન અંતરના ક્ષણિક ઉમળકારૂપે જ નથી પણુ અક્ષય તત્ત્વ-રુચિના સાત્ત્વિક ઉલ્લાસરૂપે જ છે.
વ્યક્તિત્વનું ખરુ` મૂલ્ય જ્ઞાન ને ભક્તિ કરતાંય તેની સર્જનશક્તિમાં સવિશેષ છે. આચા શ્રીની પ્રતિભા નવસર્જનશીલ હતી. સાચું સર્જન ખૂબ સ્વાભાવિક હેાય છે. આચાર્ય સિદ્ધસેન દિવાકરનું સન્મતિત વિચા કે ન્યાયવતાર; નયાના સૂક્ષ્મ વિષયની સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચારણા હોય પણ અત્યંત સ્વાભાવિકતાનું દર્શન તેમાં થાય છે. આથી જ તેવા સર્જન અતિમહાન હોય છે. જૂના વિષયેા ફરીને આચાર્યશ્રી કહે છે છતાં તેમાં તેનું બ્રહ્મતેજ જણાઈ આવે છે. પછી તે વિષય મહાવીરના અતિશય હોય કે તેમની અદ્ભુત જીવનધટનાને લગતા હોય કે મહાવીરના આચાર-વિચારના ચઢિયાતાપણાને જણાવતા હોય. જીવનને મૂળ છંદ ફ્રેન્ચ ફિલ્મ્સ* રામારાલાંની જેમ તેમેને પણ સર્જનને જ લાગ્યા હતા. ઈટાલિના મહાન શિલ્પી માઈકલ એન્જલાની જેમ તે પણ વિચારતા હશે-‘ સર્જન એ જ જીવનની સર્વોચ્ચ કળા છે,' વાદી દેવસૂરીશ્વરે ગોવાળિયાની સાક્ષીમાં સત્તત્વ સ્થાપિત કર્યું ત્યારે આચાય સિદ્ધ સેન દ્વિજ બન્યાખીજીવાર જન્મ્યા. મેહમયી સૃષ્ટિને છેડી પ્રેમનગરના નિવાસી અન્યા. સ'સારી મરી સાધુ બન્યા. આથી જ એક ભવમાં બીજી વાર જન્મન્નાને જન્મ હોય છે મૃત્યુ નથી હતું. આચાર્ય દિવાકરને પણ મૃત્યુ નહેતુ. તે આજે પણ સર્જનના અમર આત્મારૂપે બની રહ્યા છે, એ આછી પ્રરણા-સ ંજીવની નથી,
For Private And Personal Use Only