SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭ ] ભગવાન મહાવીર [ ૧૨૩ તીવ્ર હોવી જોઈએ; સત્ય, અહિંસા, ક્ષમા, દયા, જ્ઞાન અને બેગની ઉચ્ચતા; અપગ્રહ, શ તિ, દયા ઈત્યાદિ દૈવી ગુણોને ઉત્કર્ષ ક્યાં સુધી સાધી શકાય છે તથા ચિત્તની શુદ્ધિ કઈ રાતે થઈ શકે છે ? પિતાના સાધના કાળમાં ભગવાન મહાવીરે સાવરણ સંબંધી કેટલાક મો બનાવ્યા હતા. જેમકે, બીજાની સહાયતાની અપેક્ષા ન રાખવી, જે ઉપસર્ગ અને પરિષહ ઉપસ્થિત થાય તેનાથી બચવાની ચેષ્ટા ન કરવો, દુઃખ માત્ર પાપકર્મનું ફળ છે અને તે જ્યારે આવી પડે ત્યારે તેને દૂર કરવા પ્રયત્ન બાજે થનાર દુ:ખને ભવિષ્યની તરફ ઠેલવા જેવા માનવો. કેળા ની પ્રાપ્તિ : બાર વર્ષના કઠોર તપી અંતે વશી ખ સુદ ૧૦ ના દિવસે ભગવાન મહાવીરને કેવળજ્ઞાન ના દર્શનાધિની પ્રાપ્તિ થઈ. તેમનાં હૃદય કપાટ ખુલી ગયાં; સંશય બધા મટી ગયા, જ્ઞાનનો સ્રોત ઊમટી પડયો અને જાણવાને માટે કંઇ જ બાકી ન રહ્યું. એ પછી ભગવાને ઉપદેશ દેવાને પ્રારંભ કર્યો. તેમને ઉપદેશ કેઈ વ્યક્તિ વિશેષ માટે નહિ, પરંતુ લેક કલ્યાણની ભાવનાથી ઓતપ્રોત થ હતા. તેમનો સર્વ પ્રથમ ઉપદેશ હતો, અહિંસા. તેમણે કહ્યું કે- “સો કઈ જીવવાને ઈચ્છે છે, બધાને જીવન પ્રિય છે, સૌ કોઈ સુખી બનવા ઈચ્છે છે, દુઃખથી દૂર રહેવાને ચાહે છે. આથી કાઈ પ્રાણીને કષ્ટ આપવું ઠીક નથી, આચારાંગ) તેમના કહેવાનું તાત્પર્ય એ હતું કે –તે પળ કાળા કાળ જે રે viાં કાળજું જે એકને જાણે છે તે બધાને જાણે છે, જે બધાને જાણે છે તે એકને જાણે છે. તેમણે સંયમ અને તપને ઉત્કૃષ્ટ ધર્મ બતાવ્યો. કલ્યાણું પદ ઉપદેશ : ભગવાન મહાવીરનું કથન હતું કે આત્મવિકાસની સર્વોચ્ચ અવસ્થાનું નામ ઈશ્વર છે. જ્યારે મનુષ્ય રાગદ્વેષથી વિમુક્ત બની જાય છે -- અર્થાત મનુષ્ય ઈશ્વર બને છે--તે પછી તેને સંસારની સૃષ્ટિના પ્રપંચમાં પડવાથી શું લાભ? તેમણે ઘોષણા કરી હતી કેહે મનુ ! તમે જે ચાહો તે કરી શકે છે, જે ઈ છે તે બની શકે છે, તમારા ભાગ્યના વિધાતા તમે જ છે, પુરુષાર્થપૂર્વક અંધશ્રદ્ધાને તજી દઈ આગળ વષે જાઓ, ઇષ્ટ સિદ્ધિ અવશ્ય વરો જ. મહાવીર સ્યાદ્વાદ' તત્ત્વચિંતનમાં બહુ જ મોટું અવદાન મનાય છે. મહાનિર્વાણ બાર વર્ષ સુધી કઠણ તપ કર્યા પછી ભગવાને મહાધરે ત્રીશ વર્ષ ઉપદેશક અવસ્થામાં વ્યતીત કર્યા. તેમણે દૂર દૂર સુધી પરિભ્રમણ કર્યું અને લોકોને અહિંસા અને સત્યનો ઉપદેશ દઈને લોકહિતનું પ્રદર્શન કર્યું. ત્યારથી કાર્તિક અમાવાસ્યાના પ્રાતઃકાળમાં તેમણે પિતાને અંતિમ સમય વાણી પુ–પાપ વિષયક અનેક ઉપદેશ સંભળાવ્યા અને નિવણને પ્રાપ્ત કર્યું. સંસારની એક દિવ્ય વિભૂતિ ચાલી ગઈ સંસાર શોભાવિહીન બની ગયે. For Private And Personal Use Only
SR No.521687
Book TitleJain_Satyaprakash 1952 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1952
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy