SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ એવી ભાગ્યે જ કોઈ જૈનેતર પંડિતને કલ્પના પણ આવે. જે આ જૈનગ્રંથને ઉપયોગ કરવામાં ન આવ્યો હોત તે હે બિંદુમૂળમાં ઘણી જ ખામી રહી ગઈ હતી, માટે જ કહું છું કે જે સાહિત્યને સવૉગી અભ્યાસ જૈન તેમજ જૈનેતરને માટે અનેક દષ્ટિએ અત્યંત લાભદાયક છે. શ્રીરંગાસ્વામી આયંગરે ટિબેટન અનુવાદ ઉપરથી સંસ્કૃતમાં અનુવાદ કરીને પ્રમાણસમુચ્ચયને જે પ્રથમ પરિછેદ પ્રકાશિત કર્યો છે, તેમાં પણ નયચક્રવૃત્તિ, સન્મતિ ત્તિ વગેરે ગ્રંથેની સહાય ન લેવામાં આવી હોવાથી કેટલીક ખામીઓ રહી ગઈ છે. હવે તેઓ “નયચક્રવૃત્તિ વગેરેની સહાય લઈને પ્રત્યક્ષ પરિચ્છેદ ફરી છપાવવા ઈચ્છે છે, અને ત્યાર પછીના પરિચ્છેદમાં જેનો પૂરેપૂરો ઉપયોગ કરીને વ્યવસ્થિત કર્યા પછી જ તે પરિચ્છેદોને છપાવવા ઈચ્છે છે. એવા એવા સ્થાને જૈનગ્રંથમાં અમૂલ્ય સામગ્રી પડેલી છે કે રવાભાવિક રીતે કઈને કલ્પના પણું ન આવે. અહીં હું એવું જ એક ઉદાહરણ આપવા પ્રમાણસમુચ્ચયના ટિબેટન ભાષાંતરમાં ચેથા દષ્ટાન્ત પરિચ્છેદમાં નીચે પ્રમાણે બીજા નંબરની કારિકા જવામાં આવે છે? गतन्-छिग्स् बूब्-व्यडि जैस्-प्रोब बब्ब्य -मेद्-ल मेद्-प-द्ि बे गङ्-ल नि बूस्तन्-व्य-ब दे छोस्-मथन् दङ् चिग्-शोस् गजिस् આને ગુજરાતીમાં નીચે પ્રમાણે ભાવાર્થ થાય છે: સાધ્ય સાથે હેતુને અનુગમ તથા સાધના અભાવમાં હેતુને અભાવ જે વસ્તુમાં બતાવવામાં આવે છે તેને દૃષ્ટાન્ત કહેવામાં આવે છે. અને તેના સાધર્યું તથા વૈધમ્ય એવા બે પ્રકાર છે.” તપાસ કરતાં બરાબર આ અર્થને મળ મૂળ સંસ્કૃતકારિકાને ડું ભાગ ઉદ્યોતકરના ન્યાયવાર્તિકમાં નીચે મુજબ મળે છે " साध्येनानुगमो हेतोः साध्याभावे च नास्तिता। ख्याप्यते यत्र दृष्टान्तः" એટલે આટલે અંશ જેતેતર ગ્રંથમાં બરાબર મૂળ સંસ્કૃત વરૂપમાં મળી આવે છે. પણ બાકી રહેલે ભાગ (ચોથું ચરણ) મૂળસ્વરૂપમાં ક્યાંય શોભે જડતો નથી. ટિબેટન ઉપરથી સંસ્કૃત તૈયાર કરવામાં આવે તે પણ મૂળમાં જેવું હતું તેવું જ તૈયાર કરવું અશક્યપ્રાય છે. સદ્દભાગ્ય મને આનું ચોથું ચરણ એવા જૈનગ્રંથમાંથી મળી આવ્યું છે કે ભાગ્યે જ જે ગ્રંથની કોઈને કલ્પના પણ આવે. આ ગ્રંથ છે દશવૈકાલિકસૂત્રની આચાર્ય શ્રીહરિભસૂરીશ્વરજી મહારાજાએ રચેલી “શિષ્યહિતા' નામની વૃત્તિ. આ ગ્રંથ કેર દાર્શનિક ગ્રંથ નથી, તેમજ તેમાં ભાગ્યે જ કોઈ દાર્શનિક પંક્તિ પણ હશે. આમાં મુખ્યત: For Private And Personal Use Only
SR No.521683
Book TitleJain_Satyaprakash 1952 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1952
Total Pages30
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy