SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૪ ] શ્રીદશવૈકાલિક.............નાગ [૭૭ સ્વપનવૃત્તિ ગદ્યબદ્ધ છે. ૧લા પ્રત્યક્ષ પરિચ્છેદ્ર તેા પ્રગટ થઈ ચૂકેલા છે. હવે બીજો, ત્રીજો તથા ચોથા પરિચ્છેદ પણ ઘણા અંશે તૈયાર થઇ ગયા છે, અને થોડા સમય પછી પ્રકાશિત થવાના છે. આ તૈયાર કરવામાં જૈનદર્શનના નયચક્ર વગેરે ગ્રંથોમાંથી ઘણી જ માટી સહાય મળેલી છે. ટિબેટન ગ્રંથો ઉપરથી સસ્કૃતમાં અનુવાદ કરવામાં મેટી મુશ્કેલી એ છે કે સંસ્કૃતમાં કરેલા અનુવાદ મૂળ સંસ્કૃતને શબ્દશઃ ખરાખર મળતા છે, એમ ખાત્રીથી કહી શકાય નહિ. મૂળ સંસ્કૃતને અર્થ અને અશય નવા સ ંસ્કૃત અનુવાદમાં આવી જાય ખરા, પણ શબ્દોમાં અને તેના ક્રમમાં ઘણી જ વાર ફરક પડી જાય છે. આથી એક માર્ગ એ છે કે મૂળ સંસ્કૃતગ્રંથમાંથી બીજા ગ્રંથકારોએ જે જે વાકયો જે જે ગ્રંથોમાં ઉષ્કૃત કર્યાં હોય તે તે ગ્રંથામાંથી તે તે વાકયોના વીણી વીણીને સંગ્રહ કરવામાં આવે છે. આમ કરવાથી તેટલાં વાકયો મૂળ સ ંસ્કૃત સ્વરૂપમાં બરાબર યથાસ્થિત મળી જાય છે, અને તેટલા ભાગના ટિબેટન અનુવાદ ઉપરથી સંસ્કૃતમાં અનુવાદ કરવાનું કષ્ટ આપોઆપ મટી જાય છે. આવાં અનેકાનેક વાકયો જૈનદર્શનના ગ્રંથોમાં ભરેલાં છે. જૈનદનના ગ્રંથોનુ પરિશીલન કરવામાં આવે તે તેમાંથી આવાં સે'ક વાકો મળી શકે તેમ છે કે જે ટિમેટન અનુવાદો ઉપરથી સંસ્કૃતમાં ફરી અનુવાદ કરવાને પ્રયત્ન કરી રહેલા દેશ-પરદેશના વિદ્વાનને અત્યંત લાભદાયક થાય તેવાં છે. જો જૈન ગ્રંથોનું પરિશીલન કરવામાં નહિ આવે તે એ પ્રયત્નોમાં જરૂર ખામી રહી જવાને સભવ છે. પ્રાચીન ભારતવર્ષનું ઐતિહાસિક અને સ'શાધનાત્મક અધ્યયન કરવા માટે જૈનદર્શનના ગ્રંથો એ મોટા મૂલ્યવાન ખજાનો છે. જ્યાં સુધી જૈનસાહિત્યના ઉપયોગ નહિ કરવામાં આવે ત્યાં સુધી એ સંશોધન અને અધ્યયન અધૂરાં જ રહેવાનાં છે, એ નિશ્ચિત છે. હેબિટીકા ( અમૃત ) જે સંસ્કૃતમાં નષ્ટ થઇ ગયેલી જ માનવામાં આપતી હતી તે પાટણના જૈન ગ્રંથભંડારમાંથી મળી આવે છે. આ હે દુટીકા બૌદ્દાચાય ધમકીતિ એ રચેલા હેતુભ'દુ ઉપરનું વિવરણ છે. પાટણના જૈન ભંડારમાંથી મળી આવેલી પ્રતિમાં માત્ર ટીકા જ છે, પણ હેતુમિંદુ મૂળ નથી. હેતુભ'દુ મૂળ નષ્ટ થઈ ગયું માનવામાં આવે છે, તેને ટિમેટન અનુવાદ માત્ર મળે છે. કલિકાલસર્વાંના આ. ભ. શ્રીહેમચ ંદ્રસૂરીશ્વરજી મહારાજાના ગુરુબંધુ શ્રીપ્રદ્યુમ્નસૂરિના શિષ્ય શ્રીચદ્રસેનાચાયે રચેલા ‘ઉત્પાદાદિસિદ્ધિ’ નામના ગ્રંથમાં હેતુઃખદુ મૂળમાંથી થોકડાખધ લાંબા લાંબા પાડાના પાડા ઉદ્ધૃત કરેલા છે. નાશ પામી ગયેલા હેત્તુંદુ મૂળના ઘણા મોટા ભાગ આ અવતરણાને આધારે તૈયાર કરી શકાય તેમ છે. ૫. શ્રીસુખલાલજીએ હેઃ'દુટીકા પાવતી વખતે સાથે સાથે હેતુબિંદુમૂળ પણ છાપવ માટે તેમણે ટિમેટન અનુવાદ ઉપરથી રાહુલ સાંકૃત્યાયન તથા પુરુષોત્તમદાસ તારકસ (આકાલાવાળા) પાસે સંસ્કૃતમાં હેભિ દુમૂળ તૈયાર કરાવ્યું હતું. પણ ત્યાર પછી તેમણે ઉત્પાદાદિસિદ્ધિને આધારે તેમાં ધણા મોટા ફેરફાર કરીને પછી જ છપાવ્યુ' હતુ' અને તેથી સુંદર બન્યું છે. સામાન્ય રીતે અપ્રસિદ્ધ ઉત્પાદાદ્ધિસિદ્ધિ નામના જૈન ગ્રંથમાં આવે! મોટા અમૂલ્ય ખજાના ભર્યાં હશે, ૧. આ ગ્રંથ વડોદરાની ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝ તરફથી છપાયા છે, ર For Private And Personal Use Only
SR No.521683
Book TitleJain_Satyaprakash 1952 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1952
Total Pages30
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy