________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૪ ]
www.kobatirth.org
""
શ્રી જૈન સત્ય પ્રકાશ
'अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यध्वनिश्रामरमासनं च । भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्प्रतिहार्याणि जिनेश्वराणाम् ॥"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ વર્ષ : ૧૭
આ રીતે પ્રત્યેક સપરિકર તીર્થંકર પ્રતિમામ—૧ અશોકક્ષ, ૨ દેવાએ કરેલી પુષ્પ વર્ષા, ૩ દિવ્યધ્વનિ, ૪ ચામરધારી પરિપાકા, ૫ આસન-સિદ્ધાસન, ૬ લામંડલ, છ દેવદુંદુભિ, ૮ છત્રય બતાવવામાં આવે છે. આવી પરિકરકલ્પના મધ્યયુગના મૂર્તિ નિર્માણમાં વધુ પ્રચલિત બની. શ્વેતાંબર સંપ્રદાયના એવા શિલ્પને! એક મતે જ્ઞ નમૂના આણુતા વિમલ વાહિકા ચૈત્યમાં દેવકુલિકા (ન. ૪૪) માં છે. શિલાલેખથી માલમ પડે છે કે આ પ્રતિમા સ. ૧૨૪૫ માં પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. પ્રતિમા પાર્શ્વનાથની છે અને આગળ એક તારણ પણ બનાવેલું છે, એથી એનું સૌદર્ય વિશેષ વધી ગયુ છે. બીજી એક પાષાણ પ્રતિમા પાટણમાં ‘ ખડા ખાટડી ’ના જૈન મંદિરમાં પૂજાય છે, આ પ્રતિમા અંદાજથી ઈ. સ. ની મેળમી શતાબ્દીની છે, બન્ને ગુજરાતી કળાનાં પ્રતીકે છે,
ગુજરાતમાં એક જુદા પ્રકારની તીર્થંકર પ્રતિમાએ મળે છે, જેનો પ્રચાર ઓછો હતો. પરંતુ તેની રચના વિશિષ્ટ પ્રકારની છે. પાટણના પંચાસરા પાર્શ્વનાથ ચૈત્યમાં એવી એક નાની સંગમરમરની પ્રતિમા છે. પી.કામાં ખાદેલા લેખથી જણાય છે કે આ પ્રતિમા વાસુ પૂજ્યની છે અને સંવત્ ૧૩૫૯ ની પ્રતિષ્ઠિત છે. પૂર્ણવિકસિત કમલ પર પદ્માસનમાં તીર્થંકર વિરાજમાન છે. મસ્તકની ઉપર છત્ર બનેલું છે, જેની ખતે બાજુએ (ચૈત્યવૃક્ષનું) એકેક પલ્લવ બહાર કાઢીને એક કમાન (Arch) બનાવે છે. છત્રની ઉપર એક વૃક્ષની ખીજી મોટી કમાન (Arch) બનેલી છે, જે વૃક્ષની જમણી બાજુએ ઊભેલા પુરુષ ચામરધરની પાછળથી શરૂ થઈ તે ડાબી બાજુએ ઊભેલી સ્ત્રી-આકૃતિની તરફ કમાન બનીને જાય છે. આ સ્ત્રીઆકૃતિ કાની છે એ કહેવું કાણુ છે. આ શિલ્પની કળા એ વાતની સૂચક છે કે ચૌદમી શતાબ્દીમાં શિલ્પકળા પેાતાની પ્રાચીન સુંદરતાથી પડતી દશામાં આવી છે, છતાંયે નૂતન કલ્પના, જે અહીં જોવામાં આવે છે તે જ આ શિલ્પની વિશિષ્ટતા છે. આ એક ખીતે નમૂને પાટણુના એક ખીન્ન ચૈત્યમાં છે. આમાં પણ પુરુષ અને સ્ત્રી-આકૃતિ પરિચારકરૂપમાં જમણી–ડાબી બાજુએ બતાવવામાં આવેલી છે. શિલ્પના ઉપરના ભાગનું વૃક્ષ વધુ વિસ્તૃત અને વધુ સુંદર છે. અહીં વૃક્ષ ડાખી બાજીથી શરૂ થાય છે અને જમણી બાજુએ નીચે જતું નથી, પરંતુ જમણી બાજુએ એક સ્તંભ વ્હેવામાં આવે છે, જેના ઉપરથી એક કમાન (Arch) બનાવીને ડાખી બાજી સુધી વૃક્ષના પાછલા ભાગમાં બતાવેલ છે.
ઈ.સ. ની
;
સૂરત શહેરમાં પીળા પાષાણુની એક નાની પ્રતિમા છે. આમાં પણ બાજુએ એક પુરુષ અને સ્ત્રી–આકૃતિઓ કારેલી છે, અને આમાં પણ લાંછન અથવા શિલાલેખ ન હોવાથી તીર્થંકરની એળખાણ આપવી સંભવ નથી. અહીં અશેક વૃક્ષ બીજા પ્રકારે વિસ્તૃત બનાવેલું છે. આમાં કમાન બનાવેલી નથી, કેવળ છત્રની ઉપરથી એક વિસ્તૃત પલ્લવિત ગુચ્છ નીકળે છે. આયુની એક દેવકુલિકાની દિવાલ પર પણુ માત્રુ છે. અહીંનુ વૃક્ષ દર્શનીય છે.
For Private And Personal Use Only
આ પ્રતિમાઓની વિશેષતા એ છે કે, અહીં સ`પ્રાતિહાર્ય બતાવવામાં આવ્યા નથી અને બંને તરફ બે ચામરધારી પુરુષાકૃતિ ન હોતાં એક બાજુએ સ્ત્રી-આકૃતિ ઊભી છે