________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૫ મંદિર બનાવવાનું વિચાર્યું. આજથી દશ વર્ષ પહેલાં આ સ્વર્ગમંદિરને પાયો નખાયો. આ સ્વર્ગમંદિરમાં બાર મોટા ઓરડાઓ ૧૦૦*૪૫૦'×૪૦' ઊંચા બનાવવામાં આવશેજેમાંના આગળના ત્રણ એકાઓ તૈયાર થઈ ગયેલ છે. આ એકાએ બનાવવાનું ખર્ચ રૂ. ૨૦૦૦૦૦ થયેલ છે. આ ઓરડાઓ પથ્થર, સીમેંટ કેકીટ તથા આરસપહાણમાંથી બનાવેલ છે. આ ઓરડાની બહારને ભાગ આછા ગુલાબી આરસપહાણથી આચ્છાદિત કરવામાં આવેલ છે. આ જ જાતના મકરાણાની ખાણમાંના આરસપહાણમાંથી તાજમહેલ પણું બનાવવામાં આવેલ છે. એારડાની અંદરની દિવાલ ખાસ પ્રકારનાં પિસલીન ટાઈટિસથી બનાવેલ છે, કે જે ફાયરપ્રુફ અને એસીકમુક વસ્તુઓમાંથી બનાવેલ છે. આથી આ ટાઈલ્સ ઉપરનાં ચિત્રો લાંબા સમય સુધી ટકી રહેશે. આવા એક ઓરડાની છત અને દિવાલ ઉપર ટાઈલ્સ લગાડવા માટે બાર કારીગરોને અઢાર મહિના લાગેલ છે.
આજસુધીમાં આ સ્વર્યમંદિર પાછળ ત્રીસ લાખ રૂપિયા ખર્ચાઈ ચૂકયા છે અને આવતા દશ વર્ષમાં પૂરું થવા સંભવ છે. આ સ્વર્ય મંદિર બનાવવાનો કુલ ખર્ચ આશરે રૂ. ત્રણ કરોડ આંકવામાં આવેલ છે.
આ “સ્વર્ગમંદિર' માટે રજીસ્ટર ટ્રસ્ટ ઊભું કરવામાં આવ્યું છે. આ ટ્રસ્ટના પ્રમુખ તરીકે મી. સી. બી. મહેશ તેમની જિંદગી દરમ્યાન કામ કરશે. તેમના ત્રણ અમેરીકન અનુયાયીઓ તથા બાબા કાલી કમલીવાલા મેંમ્બર તરીકે રહેશે. અહીથી વિશ્વબંધુત્વ અને આધ્યાત્મિક અને પ્રચાર કરવાની તેમની ઝંખના છે. આ વિષે વધુ માહિતી ૨૭મી ઓગસ્ટના હિંદુસ્તાન ટાઈમ્સના વીકલીમાં જોઈ લેવા ભલામણ છે, જેમાં ભ. પાર્શ્વનાથની ધ્યાનસ્થ પલાંઠી વાળીને બેઠેલી દિગંબરીય મૂતિને ફેટ પણ આપવામાં આવ્યો છે.
–જ્યભિખુ “દંત-મથુર' નામનું હિંદી નાટક જેમાં મહાન પ્રભાવિક શ્રી કાલકાચાર્ય મહારાજ તથા પવિત્ર સાધ્વી સરસ્વતી વિષે ખૂબ જ સ્વછંદી લખાણ લખવામાં આવ્યું છે ને જેનોનાં અહિંસા વગેરે તત્વજ્ઞાનની બેઈજજતી કરવામાં આવી છે—તેને સચોટ ઉત્તર શ્રી. જયભિખુ તરફથી આ પત્ર દ્વારા આપવામાં આવ્યા પછી, આ વિષે સહુ કોઈનું ખૂબ ધ્યાન આકર્ષિત થયું છે. - અમદાવાદનું સુપ્રસિદ્ધ સાપ્તાહિક “પ્રજાબંધુ' “હંસ-મયૂર'ની આલોચના પર પિતાને અભિપ્રાય ટાંકતા પિતાના તા.૨૭-૮-૫૦ ના અંકમાં લખે છે કે “ શ્રી. વૃંદાવનલાલ નામના એક હિંદી લેખકે “હંસ-મયુર’ નામનું નાટક " પ્રભાવક ચરિત ને આધારે લખ્યું છે. પ્રભાવક ચરિતમાંની કથા એવી છે કે ધારાના રાજકુમાર કાલક અને તેની બહેન સરસ્વતી ઉજજૈનમાં જૈન ધર્મના પ્રચાર માટે જાય છે. ઉજજૈનને ગર્વ ભિલ સરસ્વતીને પિતાના મહેલમાં પૂરી રાણું બનાવે છે. કાલક કુહ થઈને શક લેકેને તેડી લાવી ગભિલ ઉપર હુમલે કરાવી તેને નસાડી મૂકે છે,
આ કથાને શ્રી. વર્માએ વિકૃત સ્વરૂપ આપી નાટક રચ્યું છે. લેખક એ વિકૃતિને તર્કશુદ્ધ બનાવવા કહે છે “સરસ્વતીની સામે ગભિલ્લને બળાત્કારથી વિવાહ થાય એ મને માન્ય નથી, પરન્તુ ગર્દભિલના પ્રણયે જે ૨૫ યા માર્ગ લીધે હશે, તેના સંબંધમાં
For Private And Personal Use Only