________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુલાબ અને કાંટા,
જેને જાણવાજોગ કેટલીયે હકીકતો તરફ આપણું ભારે ઉપેક્ષાવૃત્તિ જોવાય છે. એવી હકીકતે તરફ અહીં સહુનું ધ્યાન દોરવામાં આવે છે.
ત્રણ કરોડના ખર્ચે બંધાતું સ્વર્ગ મંદિર
આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક મંદિરમાં જેની ગણતરી થાય, ને આગ્રાના તાજ મહેલ જેવાં શિલ્પસ્થાપત્યને ભુલાવે તેવા એક મંદિરની રચના હાલમાં મધ્યભારતમાં થઈ રહેલા છે. આ પ્રાંતમાં આવેલ ઈદર શહેરની પાસે મ નામનું લશ્કરી છાવણીનું ગામ છે. ત્યાં મિ. ચંદ્રભાણુ મહેશ નામના એક શ્રીમંત ઈજનેર “સ્વર્ગ મંદિરની રચના કરી રહ્યા છે, જેમાં તાજમહેલ કરતાંય અતિ મજબૂત ને અતિ સુંદર મંદિરમાં દુનિયાના ધર્મોના મહાપુરુષ અથવા અવતારની મોટી વિરાટકાય મૂતિઓ મૂકવાનો નિર્ણય કર્યો છે. તેમાં મહાત્મા બુદ્ધ, શ્રીરામ, શ્રીકૃષ્ણ, શ્રી ગણેશા વગેરે મૂર્તિઓ સાથે ભપાર્શ્વનાથની દિગંબરીય પ્રતિમા મૂકવાનું પણ નિર્ણય કર્યો છે.
આમાંથી નીચે પ્રમાણેની મૂર્તિઓ સફેદ અથવા ગુલાબી આરસપહાણમાંથી તૈયાર થઈ ગયેલ છે. ૧. શ્રીગણેશની મૂર્તિ સાત ફીટ ઊંચી છે અને તેનું વજન ૧૦ ટન છે. અને તે એક જ આરસપહાણના પથ્થરમાંથી બનાવેલ છે, જે હિંદની સહુથી મોટી મૂતિ ગણાશે. ૨. મહાત્મા બુદ્ધની ધ્યાનસ્થ મૂર્તિ આછા ગુલાબી આરસપહાણના એક જ પથ્થરમાંથી બનાવેલ છે અને તે નવ ફીટ ઊંચી છે અને ૧૦ ટન વજનમાં છે. આને બનાવવા માટે છે કારીગરોને બાર મહિનાનો સમય લાગે છે. બીજું આવું જ એક બુદ્ધ ભગવાનનું બાવલું આછા ગુલાબી આરસપહાણમાંથી બનાવેલ છે, જેની ઊંચાઈ આઠ ફીટ છે અને વજન પંદર ટન છે. આ બંને બુદ્ધ ભગવાનનાં બાવલા આરસપહાણમાંથી આજ સુધીમાં હિંદુસ્તાનમાં જે બનેલ છે તેના કરતાં મોટા હોવાનો તેમને દાવે છે. ૩. જૈનતીર્થકર દિગંબર પાર્શ્વનાથની બે વિરાટકાય પ્રતિમાઓ પણ બનાવવામાં આવેલ છે, જેની ઉંચાઈ ૭ ફીટ અને વજન આઠ ટન છે. આ ઉપરાંત શ્રીરામ, શ્રીકૃષ્ણ ભગવાન બુદ્ધ તથા શિવ વગેરે દરેકની સાત સાત ફીટ ઊંચી પ્રતિમાઓ પણ બનાવવામાં આવેલ છે.
હાલમાં જ બે મોટા સફેદ આરસપહાણના ટુકમાં લાવવામાં આવ્યા છે, જેમાંથી શ્રીકૃષ્ણની બે પ્રતિમાઓ બનાવવામાં આવશે, એક ૧૦ ફીટ ઉંચી અને બીજી ૨૫ ફીટ ઊંચી થશે.
આ સ્વર્ગ મંદિરના નિર્માતા સી. બી. મહેશ છે, જેઓ ૧૯૨૦માં અમેરિકામાં એન્જિનિયરીંગના વધુ અભ્યાસ માટે ગયા હતા. તેઓ ત્યાં પંદર વર્ષ સુધી રહ્યા અને મેટા મોટા રસ્તાઓ તથા મકાન તથા પૂલ વગેરેનું નિર્માણ કરી અઢળક દ્રવ્ય મેળવ્યું અને પિતાના આ ધનમાંથી તેમણે હિંદુસ્તાનમાં પાંચ હજાર વર્ષ સુધી ટકી શકે તેવું
For Private And Personal Use Only