SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ સાંખ્યમત મુજબ નિશ્ચિત અથવા નિયમિત છે. આ ક્રમ જૈનેને માન્ય નથી. તેઓ કહે છે કે, વિશ્વ અનાદિનિધન અને નિત્ય સ્થિતિરૂપ છે. એમના મતથી જ સૃષ્ટિ પરમાણુઓથી બનેલી છે અને તેના રવરૂપમાં તથા તેની રચનામાં (મિશ્રતામાં) પરિવર્તન થતું રહે છે. કેટલાક પરમાણુઓ સૂક્ષ્મ અવસ્થામાં (અલગ અલગ) રહે છે અને કેટલાક કંધ અવસ્થામાં રહે છે. તેમનું એ વિલક્ષણ મંતવ્ય છે કે, અસંખ્યાત સૂક્ષ્મ પરમાણુ એક રસ્થૂલ પરસાણુના અવકાશમાં રહી શકે છે. આ મતને તેમના આત્મવાદ સાથે શે સંબંધ છે તેનું વર્ણન હવે કરું છું. હું અહીં એ પ્રગટ કરી દેવું આવશ્યક સમજું છું કે, સાંખ્યવાદી કેવળ બુદ્ધિ, અહંકાર, મન અને ઇન્દ્રિયના મિશ્રણથી આત્મવાદનું ઉપકરણ તૈયાર કરે છે તે રીતે જેને કરતા નથી. જેનમત આ વિષયમાં સરળ અને સ્પષ્ટ છે. તેમને સિદ્ધાંત છે કે, શુભ અને અશુભ પરિણામે અનુસાર કર્મ પરમાણુ જીવની સાથે સંબંધ કરે છે અને તેને (જીવન) અશુદ્ધ કરીને તેના ગુણોને ઢાંકી દે છે. જેનો સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે કર્મ એક પ્રકારનાં જય પરમાણુઓ છે. તેમનું આ કથન આલંકારિક નથી પરંતુ અક્ષરશઃ સત્ય છે. આત્મા અત્યંત હલકા છે અને તેનો સ્વભાવ ઊજવું ગમન કરનાર છે. પરંતુ કર્મ પુદગલાના કારણે તે જ સરખે બનીને નીચે રહે છે અને તેનાથી (કયા) મુકત થતાં જ સરળ રેખા ઉપર જઇને લોકના ઉચ્ચતમ સ્થાનમાં સ્થિર થાય છે. કર્મોને જ કહેવાનું બીજું પ્રમાણ એ છે કે, જે કમ પરમાણુઓને આત્મા સાથે સંબંધ થઈ ગયો છે તે ભિન્ન ભિન્ન અવસ્થાઓને ધારણ કરી શકે છે. પાણીમાં ધવાયેલી માટી સમાન તે (કર્મ પરમાણુ) કઈ વખતે ઉદય અવસ્થામાં રહે છે તો કોઈ વખત જેમ માટી કરીને નીચે બેસી છે તેમ ઉપરામરૂપ રહે છે અને કઈ વખતે જેમ પાણીથી માટીને તેને અલગ કરી દેવામાં આવે છે તેમ ભય અવસ્થાને પણ પ્રાપ્ત થાય છે. અર્થાત તેનામાં આત્માના ગુણને વાત કરવાની શકિત રહેતી નથી. પાણીમાં મળી ગયેલા કીચડના પરમાણુઓની અપેક્ષાએ જો કે કર્મ પરમાણુ અનન્તગુણુ સૂક્ષ્મ હોય છે. તો પણ તેને પુગલ અથવા જડ જ માનેલાં છે. આત્માની કૃષ્ણ, નીલ, કાપત આદિ લેશ્યાઓને તથા તેના રંગોને વિચાર કરવાથી પણ આ જ વાત અનુભવમાં આવે છે. આવક નામના સંપ્રદાયનું પણ આ જ મંતવ્ય છે. જેના વિષયમાં છે. હનલેએ “એનસાયકલોપીડિયા ઓફ રિલીજિયન ” માં લખેલું છે. લેશ્યાના રંગો કર્મના મિશ્રણથી આત્મા પર ચડે છે. આ હકીકતથી પણ કર્મ જ છેપદ્દગલિક છે, એમ સિદ્ધ થાય છે. કર્મ પરમાણુઓ જેને આત્માની સાથે એક પ્રદેશાવમાહ સંબંધ થાય છે, તેના આઠ મે છે. જે રીતે એક વાર કરેલું ભોજન શરીરના ભિન્ન ભિન્ન રસમાં પલટાય છે તે જ પ્રમાણે આત્માદારા ગ્રહણ કરાયેલા કર્મ પરમાણુઓ આઠ પ્રકૃતિઓમાં પરિણત થાય છે. આ પુદ્ગલથી એક સૂક્ષ્મ શરીર (કામણ શરીર) બને છે અને તે ત્યાં સુધી જીવને મોક્ષ નથી થતો ત્યાં સુધી જન્મ, જન્માતમાં પણ આત્માની સાથે લાગેલું બંધયુકત રહે છે. જૈનના આ સૂક્ષ્મ અર્થાત કામણ શરીરની તુલના સભ્યોના લિંગ શરીર સાથે કરી શકાય તેમ છે. આ કાર્મણ શરીરનાં કાર્યો સમજવા માટે આપણે આઠ પ્રકારનાં કર્મીના સ્વરૂપને છેડો વિચાર કરી લેવું જોઈએ, For Private And Personal Use Only
SR No.521659
Book TitleJain_Satyaprakash 1949 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy