________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्य प्रकाशक समितिनुं मासिक मुखपत्र - श्री जैन सत्य प्रकाश
जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) a , વિકમ સં. ૨૦૦૬ : વીરનિ. સં. ૨૪૭૬ : ઈ. સ. ૧૯૪૯|| માં. જ ૨ | કાર્તિક વદિ ૧૦ કે મંગળવાર ૧૫ નવેમ્બર | ૨૭૦
અવળા માર્ગનાં એંધાણ
મંદિર કે મૂર્તિને નહિ માનનાર વર્ગ કેવા કાચા પાયા ઉપર ઊભે છે એટલું જ નહિ એને ગલે ને પગલે કેટલી મુશ્કેલીઓ નડે છે, અને તેથી તે કેવા અવળે માર્ગે પોતાને આત્મસંતોષ અનુભવે છે અને પ્રત્યક્ષ ચિલે એક દાખલો મુનિરાજ શ્રી અંબૂવિજયજી નેધે છે, વળી પરિગ્રહના શોખથી ખખડી ગયેલા માનવીઓને આદિવાસી ખેડૂતો કંઈક બોધપાઠ પણ આપે છે તે અહીં વાચકો સમક્ષ રજ કરીએ છીએ
આ ગામની પાસે (દક્ષિણમાં) સિંગણાપુર કરીને ગામ છે. ગામ નાનકડું છે. પચાસેક ઘરની જ કૃષિપ્રધાન લેકેની વસ્તી છે. આ ગામમાં એક પણ વાર એવું નથી કે જેને કમાડ હોય. કમાડ માટેની બારસાખ સુદ્ધાં પણ લેકો લગાવતા નથી. માત્ર જવા આવવા માટે ખુલ્લું દ્વાર જ હોય છે. એમ કહે છે કે આ ગામમાં ચોરી થતી જ નથી. જે કોઈ ચોરી કરે તે અંધ જ બની જાય છે. ગામમાં કંઈ પટી, પટારા કે ટૂંક તો નથી જ વસાવતું પણ તાળા-કુચીને પણ જાણતા નથી. એમ માનવામાં આવે છે કે આ ગામમાં એક નેચરની મૂર્તિ છે તેના આ બધો પ્રભાવ છે. આસપાસના ગામોમાં વસતા પિતાને કટ્ટર માનતા સ્થાનકવાસીઓ આ શનૈશ્ચરની મૂર્તિને તેના પ્રભાવથી અંજાઈને ભજે છે અને પૂજે છે, છતાં અનુપમ શાશ્વત મેક્ષ સુખદાખક, રત્ન ચિંતામણિ અને કલ્પવૃક્ષથી પણ અધિક એવી શ્રીવીતરાગ પરમાત્માની મૂર્તિને ભજતાં કે પૂજતાં પૂજે છે; આ દુઃખદ બીના છે. [ શ્રી આત્માનંદ પ્રકાશ : તા. ૧-૧૦-૪૮ ના અંકમાંથી “ઇલુરાની જેન કા?”
નામના મુનિરાજ શ્રીજંબૂવિજયજી મ. ના લેખ ઉપરથી ]
0
For Private And Personal Use Only