________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિ વેદ ન ‘શ્રી જૈન સત્ય પ્રકાશ’ના આ કે માસિકનું ૧૪મું વર્ષ પૂરું થાય છે, તે પ્રય છે ગત વર્ષ દરમ્યાન સમિતિ તથા માસિકને આર્થિક તેમજ લેખા વગેરે દ્વારા સહુકાર આપનાર સર્વ કાઈના અમે હાર્દિક આભાર માનીએ છીએ, અને ભવિષ્યમાં પણ એવા જ સહકાર આપતા રહેવાની વિનંતી કરીએ છીએ.
આવતા અકે માસિકનુ” પદ૨મું વર્ષ શરૂ થાય છે, ત્યારથી માસિકમાં વધારે રુચિકર સાહિત્ય પ્રગટ કરવાની તેમજ બીજી કેટલીક જરૂરી માહિતી આપતા રહેવાનો અમારો ઇરાદો છે. છાપકામ તેમજ કાગળ વગેરેમાં ફેરફાર કરીને માસિકને અને તેટલું સુવાચ્ય અને સરસ બનાવવાની અમે ઉમેદ ૨ ખીએ છીએ.
આપણા પૂ. આચાર્ય મહારાજ આદિ સર્વ વિદ્વાન મુનિવરે તેમજ અન્ય સાક્ષરી અમને અમારા આ કાર્ય માં સહકાર આપે એવી અમારી વિનંતી છે. માસિકને આકર્ષક બનાવવા માટેની સૂચનાઓ અમને લખી મોકલવામાં આવશે તો તેની સાભાર સ્વીકાર કરીને તેને શકય તેટલો અમલ કરવા અમે પ્રયત્ન કરીશું.
પ્રતીકારને યોગ્ય લખાણુ પણ સમયે સમયે પ્રગટ કરી શકાય એ માટે એવા આક્ષેપારમક લખાણ પ્રત્યે અમારું ધ્યાન દાવા અમે સૌ કોઈને વિનવીએ છીએ. ' આવતા રામ કથી માસિક માં નીચેની બાબતો આપવામાં આવશે,
(૧) સમિતિ ઉપર મોકલવામાં આવતાં પુસ્તકોના સ્વીકાર,
(૨) શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સમાજના દીક્ષા, પ્રતિષ્ઠા તેમજ બીજા મહત્ત્વના સમાચાર ( સ ક્ષે ૫માં )..
(૩) A૦ મૂર જૈન સમાજ સિવાયના બીજા જૈન ક્રિરકાએના ખાસ મહત્વના સમાચાર.
(૪) દેશની કે દુનિયાની ખાસ નોંધપાત્ર ઘટનાઓ.
આશા છે કે જૈન સમાજના મહત્ત્વના સમાચાર હવે પછી અમ મને લખી મોકલવાની સૌ કંઈ કૃપા કરશે.
માસિક માટે જ નરુચિનું પાષશુ કરે તેમજ સાથે સાથે જૈન સરકૃતિનું ગૌરવ પ્રગટ કરે તેવું સાહિત્ય લખી મોકલવા અમારું સર્વ વિદ્ધાનાને હાર્દિ" & આમંત્રણ છે.. -6યવસ્થાપક
For Private And Personal use only