SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - ૫૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૪ (૨) બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ અને હરિજનના સામાન્ય વર્ણનમાં આવતી દરેક જ્ઞાતિ અને પેટાજ્ઞાતિને “જ્ઞાતિ” શબ્દમાં સમાવેશ થાય છે, પછી તે ગમે તે સ્થાનિક નામે ઓળખાતી હોય. (૩) સરકાર હસ્તક ચાલતા પ્રાંતના વહીવટ–ધારાસભાને લગતે, અઝીકયુટીવ કે ન્યાયને લગત–કે લોકલ બેડી, કે ધારાસભાના કાયદા કે એકઝીકયુટીવ હકમથી અસ્તિત્વમાં આવે, સ્વીકારાયેલ કે મદદ અપાતી બીજી સંસ્થાઓના કાબુ નીચે આવતી કોઈ પણ બાબતને “સત્તાવાર” કે “જાહેર શબ્દના અર્થમાં સમાવેશ થાય છે. ૩. કેઈ કાયદો કે રૂઢીનો વિરોધ હોય તો તેને નહિ ગણકારતાં, આ ધારાથી સત્તાવાર હેતુઓ માટે હિંદુઓમાંના જ્ઞાતિઓના કે પિટા જ્ઞાતિઓના બધા જ ભેદે ૨૬ કરવામાં આવે છે. ૪. (૧) આ ધારો અમલમાં આવ્યા પછી, કોઈ સત્તાવારના કે જાહેર હેતુ માટે કઈ હિંદુને જ્ઞાતિ કે પેટાજ્ઞાતિના વર્ણનથી ગણાવાશે નહિ કે તે રીતે પિતાને વર્ણવવાની તેને ફરજ પાડી શકાશે નહિ. (૨) સરકાર, લેક બેડીઝ કે બીજા શસો કે સંસ્થાઓ કઈ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિ પર આધાર રાખનાર નોકરી આપતી કે ગોતતી કેઈ જાહેરાત કે જાહેરખબર છાપામાં કે સામયિકમાં આપી શકશે નહિ કે પાવી શકશે નહિ. ૫. જે કઈ ઉપરની કલમ ૪ ને ભંગ કરશે તેને એક મહિનાથી વધારે નહિ તેવી સાદી કેદની અથવા રૂપિયા એક હજારથી વધારે નહિ તેવી રકમના દડની અથવા બન્ને પ્રકારની સજા કરવામાં આવશે. ૬. સત્તાવાર હેવાલે, પત્રકે, ધારાસભાનાં કાયદાઓ અને હુકમ, કાયદાની જરૂરિયાતો અને વહીવટી હુકમોમાં જ્યાં જ્યાં જ્ઞાતિ અને પેટાજ્ઞાતિને લગતી વાત હોય ત્યાં ત્યાં તે વાત અસ્તિત્વમાં નથી એમ માનવાનું છે. હેતુઓ અને કારણેની હકીકત દેશની મજબૂતાઈના હિત માટે હિંદુઓમાંના જ્ઞાતિભેદ દૂર કરવાનો અને જ્ઞાતિરહિત હિંદુ સમાજને પ્રોત્સાહન આપવાને સમય આવી ચૂક્યું છે. આ દિશામાં પ્રથમ પગલાં તરીકે હિંદુસમાજના અન્તર્ગત જ્ઞાતિ અને પેટાજ્ઞાતિઓના બધા ભેદને સત્તાવાર સ્વીકાર દૂર કરવાની આ માગણી છે. આ ધારે આ હેતુને આગળ લાવવા ને અમલમાં મૂકવા માટે છે. કુલસિંહજી બી. ડાભી. મુંબઈ ૧૧ મી નવેમ્બર, ૧૯૪૮ એસ. કે. વડ સેક્રેટરી, મુંબઈ ધારાસભા, For Private And Personal Use Only
SR No.521649
Book TitleJain_Satyaprakash 1948 12 1949 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy