SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક | આપણા પ્રાચીન જ્ઞાન-ભંડાર હતો, જે ગાયકવાડ પ્રાયગ્રંથમાળા (નં. ૧૪) માં પ્રસિદ્ધ થયેલ છે. તે જ આચાર્યને બીજો ગ્રંથ સુમતિનાથ-ચરિત્ર ઉછ અસિદ્ધ છે. ભીમદેવ (બીજા)ને રાજ્ય–સમમાં સં. ૧૨૫૪માં સામમંત્રીની પ્રેરણાથી પણ ભદ્રસૂરિએ રાજનીતિના વિવેચન માટે જીણું પંચતંત્રને શુદ્ધ કર્યું હતું જે જર્મનીના ડો. હર્ટલના સુપ્રયત્નથી પ્રકાશમાં આવ્યું છે. સુપ્રસિહ મંત્રીશ્વર વસ્તુ પાલે નરનારાયણનંદ મહાકાવ્ય રચ્યું હતું, જે ગાયકવાડ પ્રાઅગ્રંથમાળા (નં. ૨)માં પ્રકાશિત થઈ ગયું છે. તેના અંતિમ સગમાં તેણે પિતાને પરિચય આપ્યો છે. તેમની પ્રાર્થના-પ્રેરણાથી નરચંદ્રસૂરિએ કયારત્નસાગર, નરેન્દ્રપ્રભસૂરિએ અલંકારમહેદધ, બાલચંદ્રસૂરિએ કરુણુવજાયુદ્ધ નાટક જેવા અનેક પ્રથાની રચના કરી હતી મંત્રીશ્વર વસ્તુપાલ તેજપાલનાં યશસ્વિ જીવનને ઉદેશી તેમના સમકાલીન અનેક મહાકવિઓએ મહાકાવ્યો, નાટકો અને પ્રશસ્તિઓ રચી હતી. કવિ સંમેશ્વરે કીર્તિકામુદી, અરિસિંહે સુકૃતસંકીતન ઉદ્યાભસૂરિએ સુતકી િડલિની, અને ધમયુટ્ય મહાકાવ્ય (સઘપતિચરત), બાલચંદ્રસૂરિએ વસંતવિલાસ મહાકાવ્ય, જયસિંદસૂરિ હમીરમદમન નાટક અને પ્રશસ્તિ, તથા નરચંદ્રસૂરિ અને નરેન્દ્રપ્રભસૂરિએ રચેલી પ્રશસ્તિઓ ગાયકવાડ પ્રાયગ્રંથમાળા દ્વારા પ્રકાશમાં આવેલ છે. એ વાચવા-વિચારવાથી એ મંત્રીશ્વરની અસાધરણ રાજનાંતિજ્ઞતા, અદ્દભુત દક્ષતા અને અપૂર્વ કર્તવ્ય-પરાયણતાને ખ્યાલ આવે છે. એમની અનુપમ સેવા ગુજરાતના ગૌરવરૂપ છે, ગુજરાતીઓને અને બીજાઓને પણ પ્રેરણા આપે તેવી છે. મંત્રીશ્વર વરતાલે સિદ્ધાંતની પ્રતિઓ સોનેરી સ્યાહીથી અને બીજી ચાલુ સ્યાહીથી તાડપત્રો અને કાગળ પર લખાવી હતી. એમણે ૭ ક્રોડ દ્રવ્યના વ્યયથી ૭ સરસ્વતીભંડારો સ્થાપ્યા હતા, એવા ઉલ્લેખો પાછળના ગ્રંથમાં છે. થરાદ, સાચોર, વટસર, સંખેડા વગેરેમાં જિનપ્રતિમા, જિનમંદિરો આદ ધર્મ કાર્યો કરનાર ગલકકુલના દંડનાયક આહૂલ દને પાટણમાં વાસુપૂજ્ય પ્રભુને પ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેણે નાગેદ્રગ૭ના વર્ધમાનસૂરિદ્વારા સં. ૧૨૯૯માં વાપૂજયચરિત્ર મહાકાવ્ય રચાવ્યું હતું. વીસલદેવના વિશ્વ સપાત્ર વાયટવંશી રાક ભંડારી પદની પ્રાર્થનાથી વાયટગચ્છના મહાકવી અમરચંદે ‘પદ્માનંદ, અરિનામવાળું જિતેંદ્રચરિત્ર મહાકાવ્ય રચ્યું હતું, જે ગા. પ્રા. પ્રથમાળા (ન. ૫૮,)માં પ્રગટ થયું છે. અજુનદેવ, સારંગદેવ વગેરે રાજાઓના સમયમાં લખાયેલાં સચિત્ર કલ્પસર વગેરે પુસ્તકે સળી આવે છે. પેથડશાહે ૭ જ્ઞાનભંડારો સ્થાપ્યા હતા, બીજા પણ અનેક શ્રીમાનેએ અનેક પુસ્તકે લખાવી સદગુરુઓને સમર્પણ કર્યાં હતાં. સુરલીમ યુગમાં--અલાવાદીનના સમયમાં ઠકુર ફેર જેવા વિદ્વાને રચેલા વાસ્તુસાર શિલ્પગ્રંથ તથા બીજા કેટલાક ગ્રંથે મળે છે. અલપખાનના સમયમાં રચાયેલ સમરારાસ અને શત્રુંજય તીર્થોહાર (નામિનદ જિનેહાર પ્રબંધ) જેવા ગ્રંથો મળે છે. સુલતાન મહમદ તુગલધથી સન્માનિત થયેલા જિનપ્રભસરિની તથા તેમના અનુયાયી વિહવાનેની નાની મોટી અનેક કૃતિઓ પ્રાચીન જ્ઞાનભંડારમાં જોવામાં આવે છે. વિરામની પંદરમી સદીમાં થયેલા માંડવગઢના આલમમ્રાહિના પ્રોતિમાત્ર મંત્રી શ્રીમાલી મંડને રચેલા કાવ્યમંડન, અલંકારમંડન, ચંપૂમંડન, સંગીતમંડન, કાદંબરીમંડન, For Private And Personal Use Only
SR No.521637
Book TitleJain_Satyaprakash 1947 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy