SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ અને સંઘાતિમ [ ૩૩૯ અને સુંદર પત્રમય છે. આથી સુખડીએ જવાબ આપ્યો. હું સુખ હંમેશા તદ્દન સરળ છું અને વર્ષમાં મારું સ્વરૂપ ખીલે છે. ત્યારે અલા ચંપા ! તું ડાળી ઉપર ચઢીને રાત દિવસ લટક્યા કરે છે. અને રે ચોરા ! તારું ગજું કશું નથી, ક્ષણમાત્રમાં કરમાઈ જાય છે. ત્યારે હું સુખડ સલક્ષણવાલી છું, અને કેસરીના માથા પર ચઢીને બેસું છું. એટલે છેવટે ચંપકે જવાબ આપ્યો-સુખડ! તારી સુવાસ ઘસવાથી છે, જ્યારે મારી સુવાસ સ્વાભાવિક છે, અને તને શોભાવવા માટે અવતર્યો છું. આ પ્રમાણે બોલીને વેગથી દોડીને સુખડી અને ચંપક મુનિ શ્રી લાવણ્યસમયને મળ્યા અને તેમણે તેમને શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચરણકમલમાં સેપ્યાં અને બેઉ જણુએ સંપ કર્યો. “પાસતણુઈ પાય સુપીયા, કીધઉ એહુ જ સંપ રે” કવિ શ્રી લાવણ્યસમયે પ્રસ્તુત કૃતિમાં ચંપક અને ચંદનને વાદ કરતાં તરીકે જણાવીને ખરી રીતે જગતના અનાદ સહજ સ્વભાવનું કલહકારી ચિત્ર રજૂ કર્યું છે, અને એ કલહના પરિણામે જન્મતી તકર્ષ અને પરા૫કની વૃત્તિનું ભાન કરાવ્યું છે, અને તે સાથે મહાપુરુષોનો સમાગમ એ વૃત્તિ થતા ભુંસાઈ જાય છે તેનું વિશિષ્ટ ભાન કરાવ્યું છે. કવિશ્રીની બીજી એક કૃતિ સંવાદની છે, તેનું નામ કર – સંવાદ છે. તે સંવાદ પ્રસિદ્ધ થયો નથી. તે આના પછી વાયક આગળ રજૂ કરવા ભાવના છે. સંપાદક પ્રન્થિમ, વિષ્ટિમ, પરિમ અને સંઘાતિમ (લે. પ્રો. હીરાલાલ ૨. કાપડિયા. એમ. એ.) ગૂંથીને બનાવાયેલી માળા વગેરેને પ્રિન્થિમ કહે છે. એને માટે પાર્ષય ભાષામાં દિમ શબ્દ છે. એ શબ્દ વિયાહપસ્કૃત્તિ (સમાં ૯ ઉગ ૩૩) માં તેમ જ પણહાવાગરણ (સુયખંધ ૨, અજઝયણ ૫) માં વપરાયો છે. જિમ એવો પણ સમાનાર્થક પાઈય શબ્દ છે. નાયાધમકહા (સુકબંધ ૧, અઝયણ ૧૩; પત્ર ૧૭૯) માં વપરાય છે. વેષ્ટનથી અર્થાત્ લપેટીને બનાવાયેલ પદાર્થને વિષ્ટિમ' કહે છે. એને માટે જેહિક એ પાઇય શબ્દ છે. એ નાયાધમકહા (સુય. ૧, અ. ૧૩; પત્ર ૧૭૮)માં, પહાવાગરણ (સુય. ૨, ૫૦ ૫; પત્ર ૧૫૦)માં તેમજ એડવાઇયમાં વપરાયેલ છે. પૂરવાથી યાને ભરવાથી બને તે પૂમિ' કહેવાય છે. પાઇયમાં પણ આ જ શબ્દ છે અને જેલિનને લગતા ઉપર્યુક્ત ઉલ્લેખોમાં એનો પણ ઉલ્લેખ જોવાય છે. સંઘાતરૂપે બને તે “સંવાતિમ' કહેવાય છે. એને માટે પાઈયમાં એને એ શબ્દ હોવા ઉપરાંત સંઘામ તેમજ સંધરૂચ શબ્દ પણ છે; નાયાધમ્મકહા ( સુય૦ ૧, અ૦ ૩; પત્ર ૧૭૯) અને પહાવાગરણ (સુય૦ ૨, અ૦ ૫; પત્ર ૧૫૦)માં સદાનિત શબ્દ છે. “ઇમ અનુગ - ગંઠિમ, પૂરિમ, વઢિમ અને સંધાઇમ એ શબ્દોમાં “ઇમ અનુગ છે–એના અંતમાં જેમ “ઈમ' શબ્દ છે તેમ બીજા પણ કેટલાક શબ્દોમાં પણ “કામ” જોવાય છે. ઉદાહરણાર્થે હું થોડાક અહીં નોંધું છું – For Private And Personal Use Only
SR No.521635
Book TitleJain_Satyaprakash 1947 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy