SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨] શી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ માથાની શિખા અને હાથની કૃતિ વગેરે ઉદયગિરિની રાણી ગુફાને મળતું છે. એટલે તે સમયનું હેવાનો સંભવ છે. જે ભારતની પછી બનેલ હેવાનો સંભવ છે. ' મદિરની ઉત્તરે કંઈક પશ્ચિમ તરફ વળતાં કેટલીક ગિરિગુફાઓ છે. તેમાં પણ બેએક જૈનમૂતિઓ જેવામાં આવી. ગુફામાં માટી ભરાઈ ગઈ છે. જે તે માટી દૂર કરવામાં આવે તો પણ કેટલુંક અપૂર્વ જાણવાનું મળે. અમારા એક મિત્રે એ પણ અખતરો કર્યો અને ઘણી પ્રાચીન વસ્તુઓ મેળવી. વિશેષ પ્રયત્ન કરવામાં આવે તો અશકની પુરાતન રાજધાની અને અહીંથી પાટીલ પુત્રની પેઠે અનેક સત્ય પ્રાપ્ત થશે. ધવલી અને અંડગિરિ ઉદયગિરિની મધ્યમાં હોવા છતાં ભુવનેશ્વરમાં પ્રાચીમમાં પ્રાચીન નવમી સદીની વસ્તુઓ પ્રાપ્ત થાય છે. ઉદિવ્ય અને ઉત્તર ભારતના મન્દિર–વિધાનને ઈતિહાસ મેળવીએ આ પ્રદેશમાં ઇ. સ.ની નવમી સદીની વસ્તુઓ મળે છે; તેમજ અવનેશ્વરનું સ્થાપત્ય પણ નવમીથી બીજી સદીની મખમાં દાખલ કરી શકાય છે. પરંતુ આવું શિલ્પ વિધાન કયા ગ્રંથમાં છે વગેરે શોધવાનાં કામે ઊભાં જ છે. મહાનદના બન્ને કાંઠે સોનપુર, બૌદ, નરસિંહપુર વગેરે રામનાં પ્રાચીન મનિરોની રચના ભુવનેશ્વરને મળતી આવે છે. (પ્રવાસી ૧૯૪૧ વૈશાખ પત્ર ૩૫ થી ૪૦ ઉપરથી) નોટમૂળ લેખના પૃષ્ઠ ૩૬માં શોકગ્રસ્તા સ્ત્રીની મૂર્તિ છાપી છે. સંભવ છે કે તે ત્રિશલા રાણું હેય. જૈન દર્શન લેખક-શ્રીયુત મેહનલાલ દીપચંદ શેકસી (ક્રમાંક ૧૪૦ થી ચાલુ) ગુણસ્થાનકનું સ્વરૂપ વિચારતાં આપણે ભાર પગથિયાં સુધીની વિચારણા કરી ગયા. આપણે એ પણ જોયું કે આત્મા ચઢવાનો આરંભ કરે એટલે એ જેમ ઉપરના પગથિયે જાય તેમ પગલું ભરવામાં ચૂકે તે નીચે ૫ણું ગબડી પડે. અર્થાત આગળ વધવું કે પાછા પડવું એ પરિણામની ધારા પર મનઃપ્રદેશમાં ઉદ્દભવના અધ્યવસાય ઉપર અવલંબે છે. તેથી તો છઠ્ઠા અને ચાતમાં ગુણસ્થાનકમાં ગમનાગમનને સુભાર નથી રહેતો. સમ્યફવ અથવા તત્ત્વજ્ઞાનવાળી ઉપરની ભૂમિકાઓ ઉપરથી આ ત્મા ગબડે છે, ત્યારે કેવળ મિથ્યાત્વથી ભરપૂર પહેલી ભૂમિ પર ન આવતાં બીજા ઉપર થોભે છે. પ્રથમ કરતાં આત્મશુદ્ધિ કંઈક અંશે વધુ હોય છે છતાં એ ઉત્ક્રાંતિનું સ્થાન ન ગણું શકાય. એ સ્થાનને ઉપયોગ ઉપરથી પડનાર ઉચ્ચ ભાવોનું બળ ગુમાવનાર-આત્મા જ કરે છે. આ જાતનું પતન મોહના આવેશમાંથી જન્મે છે. અને આ ગુણસ્થાને રમતા આત્મામાં મોહની તીવ્ર કાષાયિક શક્તિને આવિભવ હોય છે. ખીરનું મિષ્ટ ભજન કર્યા પછી જ્યારે વમન For Private And Personal Use Only
SR No.521634
Book TitleJain_Satyaprakash 1947 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy