________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ | સતલાસણા સ્થાનમાં અહિંસા પ્રચાર
[ ૧૫, હે છે ત્યાં લગી પ્રદેશ તરીકે ઓળખાય છે, પણ છૂટા પડી ગયા પછી એની ઓળખાણ પરમાણુ તરીકે થાય છે. આ પરમ ણનો સંભવ એકલા પુદગલ દ્રવ્યને જ છે, કેમકે બાકીના છા, ધર્મ, અધર્મ અને આકાશ રૂપ ચાર દ્રવ્યોમાં પ્રદેશ અભિન્ન હોવાથી, એ છૂટા પડવાનો સંભવ જ ન હોવાથી એ દરેકના ત્રણ ભેદ જ થાય છે. સ્કધ, દેશ અને પ્રદેશ, ત્યાં ચોથે પરમાણુ છે જ નહીં. આ રીતે પ્રદેશ અને પરમાણના સ્વરૂપમાં ફેર નથી.
૫, જીવાસ્તિકાય–આ લેખની શરૂઆતમાં જ જીવ સબંધી વિરતારથી કહેવામાં ગાવ્યું છે.
૬ કાળ- છઠ્ઠા દ્રવ્ય તરીકે લેખાય છે. એની વ્યાખ્યા અગાઉ આવી ગઈ છે. નવા-જાનાની વર્તન એનું લક્ષણ છે. બાકી એ અસ્તિકાય નથી એ વાત જરા પણ ધ્યાન બહાર થવા દેવાની નથી.
(ચાલુ) સતલાસણા સંસ્થાનમાં અહિંસાપ્રચાર
[ ઠાકોર શ્રી તખ્તસિંહજીને વટ હુકમ ]
લેખક–વેવ ચીમનલાલ લલુભાઈ ઝવેરી, મહુધાપ્રાચીન આર્ય અનાય ઘર્મપ્રચારકે દ્વારા મનુષકલ્યાણાર્થે ઉદિષ્ટ થયેલા અને નિયત કરાયેલા ધર્મો પૈકી અહિંસા ઉફે દયા એ સર્વમાન્ય અ સર્વ પ્રકારના ધર્મોમાં મુખતમ ધમ છે. ભારતવર્ષની પવિત્ર ભૂમિ ઉપર જેનધર્મ અહિંસ નું સર્વપ્રધાન ધર્મ તરીકે બીજારોપણ કર્યું ત્યાર પછી અસંખ્ય બુદિવિભવવાળા વિદ્વાનોએ તરવવિવેચનામાં તફાવત કરવા છતાં અહિંસાધર્મ તે તેમને માન્ય જ રાખવો પડ્યો. અને એ જ ધર્મો વર્તમાન જગતના માનવસમાજની આધ્યાત્મિક ઉન્નતિ સાધવામાં મળતા પ્રાપ્ત કરી. એ સર્વ ધર્મપ્રચારમાં પ્રાતઃ સ્મરણીય પ્રભુ મહાવીર સર્વ જ્ઞાત છે. સુહ ધર્મને સિદ્ધાંત અહિંસાપ્રધાન હોવા છતાં એ અહિંસા નામશેષ થવા પામી છે, ત્યારે ભારતવર્ષમાં વર્તમાનમાં જૈનધર્મ પાલકે મુઠ્ઠીભર હોવા છતાં તેમના અહિંસાના સિહતિ વદિ ધર્મ ઉપર પણ ઊંડી છાપ પાડી છે, જે લોકમાન્ય બાલગંગાધર “તિલક જેવા સમર્થ દેશનેતાને પણ માન્ય છે.
ભારતવર્ષમાં જૈનધર્મોપદેટાઓના પ્રયત્નથી જૈનેતર રાજ્યકર્તાઓએ પણ અહિંસાએ પ્રત્યે અપૂર્વ માન અને માદરભાવ પ્રદર્શિત કર્યો છે. સમગ્ર ભારતવર્ષમાં અને તેમાં પણ મુખ્યત્વે ગુજરાત, કાઠિયાવાડ, માળવા, મારવાડ, કચ્છ વગેરે દેશમાં ચૌલુક્યચક્રવ પરમહંત મહારાજાધિરાજ કુમારપાલદેવના સામ્રાજયમાં કલિકાલસર્વ પ્રભુ હેમચન્દ્રચાર્યના ઉ૫દેશે અહિંસાની જે જડ પ્રજાના હદયમાં વાવી તેનાં દર્શન અનેક રાજ્યકાન્તિઓ થવા છતાં હજી પણ થી કરે છે. એ અહિંસાધર્મના પૂર્ણ પ્રચાર સમયે જ ગુજરાતનું આધિપત્ય ભારતવર્ષમાં સર્વોપરિ હતું.
ભારતવર્ષના મુગલ સમ્રાટ અકબરના વિશાળ સામ્રાજ્યમાં પણ જેતાયા હીરવિજ્યમુરિ અને તેમના વિદ્વાન શિષ્યમંડળના પ્રબળ ઉપરેશે અકબરના હૃદયમાં પણ
અહિંસાનું બીજારોપણ કર્યું હતું અને છ માસ જેટલી લાંબી મુદત સુધી મુસલમાની રાજ્યમાં પણ અહિંસાને પ્રચાર થઈ શક હતો. એ અતુલયના પ્રભાવે પશુ પ્રજના હદયમાં અહિંસાધર્મે મજબૂત રીતે વાસ કર્યો. અકબરના પ્રતિસ્પર્ધિ વૈદિક ધર્મયાયી મહારાજાઓ પૈકી મેવાડધિપતિ સિસડીયાકુલભૂષણ મહારાણા પ્રતાપસિંહ અને કચ્છના
For Private And Personal Use Only