________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
(વર્ષ પર રાવ ભારમલ વગેરે નાના મોટા રાજ્યકર્તાઓએ પણ હિસાધમને અપૂ મા થી નિકળી તેના પાલનમાં પિતાને હિરસો આપવા પાછી પાની કરી નથી એટલું જ નહિ પરંતુ અકબરના વંશક્રમાનત બાદશાહ જહાંગીર, શાહજહાંન, અને ધમધ ઔરંગજેબ સુધી પણ ધ્યાને પ્રચાર કરાવવાની જૈનધર્મોપદેષ્ટાઓની પ્રવૃત્તિ ચાલુ હતી. અને તેના પરિણામે અમુક દિવસ સમગ્ર મુગલ સામ્રાજ્યમાં રાજકીય નિયમ મુજબ અહિ સા પળાવવા ભાગ્યશાળી નિવડી શક્યા હતા, એવં અન્યાન્ય મુસલમાની રિયાસતો જેવી કે જુનાગઢમાં નવાબી રાજ્ય વગેરે અનેક હીંદુ મુસલમાની રાજ્યોએ અહિંસાને પ્રચાર કરામાં પિતાને હિરસો આપે છે, જેની શિલાલેખો, તામ્રપત્ર, દરતા અને ઐતિહાસિક અંશે સાક્ષી પૂરે છે.
દયા એ ઉચ્ચતમ માનવ હૃદયને સર્વોત્કૃષ્ટ ગુણ છે. અને એ ધારાએ જ સમરને પ્રાણીવર્ગને સુખનો માર્ગ પ્રાપ્ત થાય છે. એ દયાનો સિદ્ધાંત પાળવા માટે છે સબંધીનું ઊંડું જ્ઞાન હોવું જોઈએ. તે જ્યાં સુધી ન હોય ત્યાં સુધી સર્વેદ દયા પાળવી અશકય છે. અએવ જેને સિદ્ધાંતમાં ધણું પ્રાચીન કાળથી વિશાળ પ્રાણિવિ શાસ્ત્ર પઠાણ છે. આ પ્રાણીવિજ્ઞાન વિષે અને જે બે બાલ લખવા જઉં તે લેખ ઘણે લાંબે થઈ જવાને સંભવ હેવાને લીધે એટલું જ કહીશ તેટલી ઉચ્ચ દયા પાળવાના ઈચ્છુકોએ તવિષયક ગ્રંથો જેવા તસદી લેવી. જેઓ મોજ શેખને માટે અથવા શારીરિક પિષણ માટે યા દેવી દેવાની પ્રસન્નતા દ્વારા ઐહિ સુખની પ્રાપ્તિની આશાથી જાણીવધ કાવા દોરાય છે તેવા માનવસમાજને જાહેર ઉપદેશ દ્વારા અહિંસાની મહત્તા સમજાવી મૂંગા પ્રાણએના પ્રાણુસંરક્ષણને પ્રયત્ન કરો એ સર્વોત્કૃષ્ટ પ્રાણીસુ અને એને જ કલ્યાણનો તથા અહિંસાના મૂળ પાયો છે.
એ જાણીને સૌ ધર્મપ્રેમીઓને ખુશી થશે કે આવા પ્રકારની અહિંસાને પ્રચાર હાલમાં મહાતીર્થ તારંગા પર્વતની પૂર્વોત્તર ખીણુના પ્રદેશમાં આવેલા સતલાસણ,
કાસણા ભાલુસણા, ટીંબા અને વાવ એ પાંચ ગામમાં, આમોદમાં આવેલી આણસર ગમછના યતિની ગાદીના નાયક પંન્યાસ ઉમેદવિજયજીના શિષ્ય યતિ શ્રી ચંદ્રવિજયજી પંન્યાસ તે તે ગામોમાં જતાં ત્યાંના ગરાસદારને ઉપદેશ આપી દયાની લાગની ઉપન ઝી. જેને સંબઈના અનુકંપા ફન્ડના સેક્રેટરી શેઠ ડાહ્યાભાઈ હાલ દની સૂચના અને અનુદન મળતાં, તથા ગઢવાડાના થાણદાર સાહેબ કાંતિલાલભાઈ જે જૈન હોઈ અમદાવાદના રહી છે તેમના પ્રયત્નને ઉમેરો થતાં, અને ત્યાંના વસ!! જેનેની દયાપ્રચાર માટે અપાર ઉત્કંઠાને એપ ચઢતાં, ત્યાંના ગરાસદારાએ પિતાની સરહદમાં થતો પ્રાણાવધ સદંતર બંધ કર્યો છે. તેને માટે પંન્યાસ યતિ શ્રી ચંદ્રવિજયજી, મુંબઈ
ના સેક્રેટરી શેઠ કાવ્ય ભાઈ, ગઢવાડાના થાણદાર સાહેબ કાંતિલાલભાઈ અને ત્યાંના ગરાસદારે ઠાકોર સાહેબ તકતસિંહજી વગેરેને ધન્યવાદ આપીએ છીએ, વધમાં લેખક અને સમસ્ત જૈન પ્રજા ચાહે છે કે આ દયાપ્રચારનો ઘડવામાં આવેલા રાજકીય નિયમ સાંના સર્વ ગરાસદારો પળાવવા સદાને માટે આતુર રહી પ્રજામાંથી કઈ પણ મનુષ્ય તે નિયમનો ભંગ કરવા દોરાય નહી એવી સાવચેતી રાખવાની વિનંતિ પૂર્વક લેખક વિરમે છે. - ઉપરોક્ત નિયમ માટે લખવામાં આવેલ દસ્તાવેજ નીચે પ્રમાણે છે
૧ આ પ્રકાર શ્રી ક્યા ક્ષત્રિય વંશના છે તે જાણવા મળ્યું નથી
-
-
-
For Private And Personal Use Only