SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] શલકાનો સંચય [ ર૯૫ વીશા શ્રીમાળી શ્રાવક દેવચંદ ઉર્ફે સુરેશશિએ ગાંગડમાં વિ. સં. ૧૯૦૦માં નેમિનાથ-લોકો રચ્યો છે. એની પહેલી બે લીટી અને છેલ્લી આઠ લીટી જે. ગૂ. ક. (ભા. ૭, નં. ૧, પૃ. ૩૪૨-૩) માં અપાયેલી છે. આ ઉપરથી આમાં ખ્યાસી કડી હોય એમ લાગે છે. વિશેષમાં ૩૪૩મા પૃઇમાં સૂચવ્યા મુજબ આ કૃતિ સંપૂર્ણતયા ભીમસિંહ માણેક લોકાસ ગ્રહમાં છપાવી છે, પણ મને એ મળી શકેલ નથી. આ શકા સંગ્રહમાં દેવચંદકૃત વિવેકવિલાસ--શકો પણ છપાયેલો છે. [૯]નેમ--રાજુલ-રાલેકે વિષયની દષ્ટિએ આ શલાકે ઉપલી ચાર કૃતિઓથી અભિન્ન છે. આ લોકો વિ. સં. ૧૫લ્માં કુશલવંજયે રચ્યો છે. એ સિવાય આ સંબંધમાં મને કશી વિશેષ માહિતી નથી. રાજુલ એ રામતીનું ગુજરાતી નામાંતર છે. સંસ્કૃત કે પાઈય સાહિત્યમાં આવું નામ હોવાનું જાણમાં નથી. [ ૦ ] પાર્શ્વનાથ-શલોકો વિ. સં. ૧૮૫૧માં જોરાવરમલે આ લોક રઓ છે. એ ઉપરાંત મને આ કૃતિ વિષે વિશેષ ખબર નથી. [ ૧૧ ] ભરત-બાહુબલિ-શલાકે આદિમ તીર્થકર ઋષભદેવજીના બે પુત્રોને ઉદ્દેશીને આ શલેકે ઉદયરને રચ્યો છે. એ કેટલી કડીનો છે એ હકીકતું જાણવી બાકી રહે છે. આની રચના વિ. સં. ૧૯૫– માં થયેલી છે એમ ન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (પૃ. ૬ ૬૭, કંડિકા ૯૮૦) ગત નીચેની પંક્તિઓ ઉપરથી જણાય છે. લાંબા લહેકાથી ગવાતા “શલાકા’ની રચના પણ આ શતકમાં પ્રથમ થઈ જાય છે. દા. ત. ૧૭૯ પહેલાં વિનીતવમલકત આદિનાથ શલાકા, ઉદયરત્નકૃત નેમિનાથ શોકે, શાલિભદ્ર શલે (૧૦૭) અને ભરતબાહુબલિનો શક સં. ૧૭૯૫, દેવવિજયનો શખેશ્વર શોકે ૧૭૮૪, મોમામાલ્યુકૃત નેમિ શલક સં. ૧૭૯૮.” [૧૨] માન-શકે આ સાત કડીની કૃતિ છે. “શ્રી જન સજઝાયમાળા” (ભા. ૨)માં એ છપાયેલી છે. ત્યાં એને “સલોકા' તરીકે નિર્દેશ છે. બાકી કૃતિમાં તો કોઈ સ્થળે એવો ઉલ્લેખ નથી. ક્રોધનો લકે રચનારે આ કૃતિ રચી હશે એવી સંભાવના છે. [ ૩ ] માયા-શોકે આ શકે પણ સાત કડીને છે અને એ ઉપર્યુક્ત પુસ્તકમાં છપાય છે. કર્તાએ કઈ સ્થળે એને શલાકા તરીકે નિર્દેશ કર્યો નથી, પણ છપાયેલ પુસ્તકમાં તેમ હેવાથી મેં આ પ્રમાણે નોંધ લીધી છે, [ ૨૪] લંકાશા-શકે આ એક ઐતિહાસિક શકો છે. એમાં ચોવીસ કડી છે. એની પહેલી, ૧૧મી, મી. ૨૦મી, ૨૧મી અને ૨૪મી કડીઓ . ગૂક. (ભા. ૭, નં. ૨, પુ. ૧૦૯૪) માં અપાયેલી છે. આ સમગ્ર કૃતિ મુંબઈ સમાચારના તા. ૧૮----૩૬ના અંકમાં For Private And Personal Use Only
SR No.521624
Book TitleJain_Satyaprakash 1946 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy