SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭] મહાપુરુષનાં ચિત્રપટેનો વિરોધ [ ૨૧૭ વિદ્વાને અને કલાકારોને સહકાર છે તે એમને પૂછું છું કે ભાઈ, તમે એમનાં નામ જાહેર કરી સમાજ એમને પ્રેમભાવે પૂછશે કે તમે ચિત્રપટમાં જે સહકાર આપી રહ્યા છે કે કયાં અને કેવા લાભની આશાએ સહકાર આપી રહ્યા છે કે એમની પાસે બળ દલીલો હોય તો અમારો એવો પૂર્વગ્રહ નથી કે તેમની દલીલેનો વિચાર ન કરીએ. પરંતુ વિદ્વાને, જૈન લેખકો અને કલાકારને સહકાર ન હોય તે તમે આ ક્રેર કરાશે અમારે જનધર્મના મહાપુરુષને ચિત્રપટ ઉપર ફતારવાં છે અને આર્થિક કમાણી કરવી છે. આ સામે કેટલાક એવી દલીલો કરે છે કે તમારામાં સંવાદે ભજવાય છે તેમ જ કલ્યાણકમહોત્સવ પણ ઉજવાબ છે તેનું કેમ? તેના જવાબમાં જણાવવાનું કે સંવાદમાં માત્ર ગૃહસ્થાનાં પાત્રો લેવાય છે, મૂલ પાત્રના મુખના શબ્દો મૂકવામાં આવે છે એમની વિચારશ્રેણી બરાબર જળવાય છે. આમાં સ્ત્રી પાત્ર નથી, વિલાસ કે શૃંગારને સ્થાન નથી, માત્ર ધર્મશ્રદ્ધાથી પિતાના પૂર્વજોના ગૌરવને રજુ કરવા પુરતા જ આ સંવાદનું મહત્ત્વ છે. કલ્યાણકમહોત્સવ પણ એકાન્ત કર્મભક્તિ અને ધર્મશ્રદ્ધાથી જ ઉજવાય છે. અને તે પણ શાસ્ત્રાનુસારી નિયમો મુજબ જ ઉજવાય છે. એટલે ચિત્રપટ તૈયાર કરનાર મહાનુભાવોની દલીલો મહીં ટકી શક્તી જ નથી. સંવાદો કે કલ્યાણકના ઉત્સવમાં કયાંય સાધુનું પાત્ર, તીર્થકર દેવકે આચાર્ય ભગવંતના સંવાદો કે પાત્ર નથી જ આવતા. એટલે જનધર્મના મહાપુરુષોનાં ચિત્ર ઊતર કઈ રીતે ઉચિત નથી. ઘાવલિ. જેના આવા આવા પ્રયત્નોને વિરોધ ઉઠાવી એ પ્રયત્નો બંધ રાખવા બનતું કર્યું છે, તે સમજદાર અને લાવગવાળા જેન શ્રીમંતે વિદ્વાનો જલદી જાગે અને બહુ મોડું થાય તે પહેલાં જ જાગૃત થઈ આ ચિત્રપટ બંધ રખાવવા પ્રયતન કરે એમ ઈચ્છું છું.' શયા સમયે જન સંધને પણ બે શબ્દ કહું તો અસ્થાને નહિ લેખાય. મેં તે તલાજા પ્રકરણમાં, આ ચિત્રપટ પ્રકરામાં અને અત્યારે અગાઉના આવા બીજા પ્રરણોમાં જોયું છે કે આપષ્ણા પ્રયત્ન ખંડ ખંડ થાય છે; સામહિપશે જે પ્રયત્ન ને જોઈએ તે નથી થતો. ખંડ ખંડ પ્રયત્ન કારગત નહિ નિવડે. આ માટે તે એક સાધુઓ કમિટી જે મુનિસમેલને નીમેલી છે તે લાગવગવાળા શ્રાવો-કે જેમને કંઈક કરવાની ભાવના હોય, સમય હેય અને સેવા ભાવ હોય તેવા ધર્મનિષ જનની સાથે મળીને જરૂર કંઈક કરી શકે. નહિ તે મુનશી, કૌશાંબી, રાહુલ ચકૃત્યાયન, પટેલ, ચુનીલાલ વર્ધમાન શાહ જેવા લેખો જનધર્મ ઉપર આક્ષેપ મૂકો, તલાજા જેવા ભીષણ દુઃખદ પ્રસંગો બનશે અને ચિત્રપટ ઉપર જન મહાપુરુષોનાં ચિત્રો રમકડાની જેમ આવશે અને આપણે રોકી નહિ શકીએ. આવા પ્રસંગો અને આવી ચર્ચા આપણને જાગૃત થવાના સૂર સંભળાવે છે, આપણને એકદિલ થવાના નાદ સંભળાવે છે, માટે હું તે શ્રીસંધને સાદર એ જ પુનઃ પુનઃ વિનવું છું કે આપસના યુદ્ધ મનેભેદેને દફનાવી દઈ ભગવાન શ્રી મહાવીરદેવને ધર્માંડા નીચે એક થઈ, કૃતનિશાયી બની કટીબદ્ધ થાઓ; અને સંઘમાં જે અમેપ શક્તિ છે, અપૂર્વ તાકાત છે, પૂર્ણ સમયે છે, તેને પ્રગટ કરે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને અને જન કેન્સરન્સને પણ સૂચવું છું કે જે મહાન આદર્શ અને ઉદ્દેશનની રિતિક ખાતર ૫ સંસ્થાઓનું અસ્તિત્વ છે તેની સફળતા માટે પ્રયત્નશીલ બનો, અને જન સંખના ગૌરવને ઉજજવળ બના! અસ્ત ! For Private And Personal Use Only
SR No.521621
Book TitleJain_Satyaprakash 1946 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy