SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૧ અને એ શકેાના સ્થાનને આશ્રયી શકેદેશને વ્યવહાર શરૂ થયો હશે, જ્યારે કજાદિ પ્રતિના શકે પ્રાતીય વિશેષ નામથી ઓળખીતા થયા હશે. હટ, પહુલવાજ, પારડીયન, (પાર્થિયન) અને યવન ન–મેટ્રિયન ) જાતિઓનાં નામ જે આજે ઇતિહાસના પાને લખાઈ રહ્યાં છે તે આ શક જાતિથી ભિન્ન નથી એમ હોય તે ને નહિ, જન સત્રમાં મ્લેચ્છ જતિઓની નામાવલી આપતાં તેમાં ખરમુખ, ઉષ્ટ્ર, ૫લવ, પારસ, યવન વગેરે નામ આપવામાં આવે છે અને તેમાં શક નામને અલગ લખવામાં આવે છે તે પરથી નક્કી થાય છે કે, “પ્રજ્ઞાપનાકાર શ્રી શ્યામાચાર્ય અને તેમની પૂર્વેના તથા પછીના સમયમાં એ ખરેખાદિ જાતિ ઓને સકથી વિભિન્ન ગણવાને વ્યવહાર હશે. આમાં પારદજાતિનું નામ આપવામાં આવતું નથી તેથી લાગે છે કે તે જાતિના પક્લવમાં સમાવેઢ થતો હશે અને તે બન્ને મળી પાર્થિયન જાતિ તરીકે ઓળખાતી થઈ હશે, જયારે પારદના ૧૫યુઈશીઓ-ષિક પારસ તરીકે ઓળખાવા લાગ્યા હશે, કે જે શકતિના હોવાનો સંભવ નથી. આ વિષયને સ્પષ્ટ કરવા યુચી-યુઈશીઅષિ વિષેના થયેલા અર્વાચીન સંશોધનમાંથી કંઈક ઈશારો કરીએ તો તે અસ્થાને નથી. યુચ જાતિનું મૂળ વતન વાયવ્ય ચીનમાંના કાનનું પ્રાંતમાં હતું. ચીનાઈ દીવાલ બંધાવ્યા બાદ “ઈંગનું' નામથી પરિચિત ભટકતા તુકાઓની ટોળીની સાથે આ યુચી ને એક મહાન સંધર્ષણ થયું, તેમાં તેમને કાનસુ-પ્રાંતમાંની જમીન છોડી દઈ પશ્ચિમ તરફ ખસવાની ફરજ પડી. અહીંયા વધારે પશ્ચિમમાં ધકેલાયા તેઓ સિનકિયાગ અને ઇલિ નદીના પ્રદેશમાં થઈ સીરદરિયા નદીના પ્રદેશમાં પહોંચ્યા. અહીં તેઓ થોડાક વર્ષ સ્થિર રહ્યા એટલામાં ચુયનું ( હૃણ) જાતની મદદ લઈ લુ–સુન જાતિએ તેમને ત્યાંથી ખસવાની ફરજ પાડી. આ પછી તેઓ આક્ષસ નદીના ખીણમાં થઈ દક્ષિણમાં બેકિટ્રયા પર ઊતરી આવ્યા. અહીં ટાહિયા નામની શાન્ત પ્રજા વસી રહી હતી તેમની સાથે શકે પણ ઉત્તરમાંથી આવીને વસેલા હતા એ સર્વને તાબે કરી આ આવનાર યુચીએ ત્યાં સત્તા સ્થાપીને રહ્યા. એક્ષસની ઉત્તરે આવેલા સોન્ડિયાનામાં અને તેની દક્ષિણે આવેલા બેકિઆનામાં વસાહત કરી રહેલા આ યુચઓએ સંગઠનદ્વારા બલવાન બની અને કહફીસીઝની સરદારી નીચે હિન્દુકુશના રરો દક્ષિણ તરફ ઊતરી આવી હિન્દની વાયવ્ય સરહદના ઘાટોમાં થઈ હિન્દમાં પ્રવેસ કર્યા અને ત્યાં આસેકસ રાજ મેથોડટસ બીજાના સમયથી જામેલી પાથરન સત્તાનો તેમણે નાશ કર્યો. કહે છે કે, યુસીઓએ ઈ. સ. પૂર્વે ૧૭૪ થી ૧૬૦ ના ગાળા વચ્ચે કાન સુપ્રાંતને છોડયો હતો અને આશરે ૧૧ આ યુઈશીઋષિકે શાકપના રહેવાશી મગલેકે હશે એમ જાનુમાન થાય છે શિક એ એમનું સન્માનહ નામ હશે, જેમાંથી પાછળ યુઈશી વગેરે અપભ્રંશ થયા લાગે છે. વૈદિકનાં અંગો પર કરાયેલા આક્ષેપવચનો પરથી નક્કી થાય છે કે તેઓ કે ભિન્ન (સંભવ છે કે જે ) સંસ્કૃતિના હતા. કુદરતનાં પૂજન અને એકેશ્વરવાદની માન્યતા તેમનામાં–અમુક પ્રદેશ અને અમુક વિભાગમાં–પાછળથી પ્રવેશવા પામી હોવી જોઈએ. એ જાતિ મગધમાંથી શકઠપમાં શું નહિ ગઈ હોય, એ પણ પ્રશ્ન તેમના મગધના તીવ પ્રાચીન અસ્તત્વને લઈ ઊઠી શકે તેમ છે. For Private And Personal Use Only
SR No.521621
Book TitleJain_Satyaprakash 1946 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy