________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૧
“કાલઉ કંબ(ધ)લ ધવલઉ સંડ, નાર્કિ તૂટઈ પૂછિહ બં
સંગ કરી ગુલ ભૂલઉ દેઈ, ત૩ ખમય ભાવાર્થ-કાળા અંધવાળો ધોળો સાં, નાકે તૂટેલો હોય અને પૂછો બાંડે હોય; તે સિંગડાવડે ગોળ ભે(લી) દે, તો ક્ષમઋષિ પારણું કરે.
(૧૯ કડીવાળા કાવ્યની ૧૮ મી કડી થોડા ફેરફાર સાથે તેને મળતી છે.)
“ હાસહ છેહ કિ ભદ્દ! વિમાસિ, કઈ સંકલ બદ્ધઉ પાસિ;
જઈ અંબારસ મંકડ દેઈ, તઉ ખમ ભાવાર્થ –ડોકે સાંકળે બાંધેલો માંકડે વાનર) જે આમ્ર(કરીને) રસ આપે, તો સમષિ પારણું કરે. (૧૯ કડીવાળા કાવ્યની ૧૯ મી કડીમાં જણાવ્યા પ્રમાણે માંકડ, બાળક પાસેથી કેરી લઈ હાથે કરીને ઘોળે અને તેને રસ કાઢી આપે.')
નવ–પ્રસ્ત વાધિણિ વિકરાલ, નયરમાહિ બીહાવઈ બાલ;
વડાં વીસ જઉ પણુમી દેઈ તઉ ખમ ભાવાર્થ –તરતની વિયાએલી વિકરાળ વાઘણુ નગરમાં બાળકોને બીવરાવતી હોય, તે જે પ્રણામ કરીને વીશ વડાં આપે તો ક્ષમઋષિ પારણું કરે.
(૧૯ કડીવાળા કાવ્યમાં ૧૭ મી કડીમાં નગર-બહાર જણાવેલ છે.)
–આ ઉપરથી જણાશે કે ૧૯ કડીવાળું તે કાવ્ય, કર્તાએ નામ ખાતર લખ્યું કે રચ્યું કલ્પવું–માનવું યોગ્ય નથી; તેમ તેમાંથી વિનોદ, હાસ્ય અને ભોજનપ્રિયતાને ધવનિ નીકળતો નથી; પરંતુ વિક્રમની ૧૧ મી સદીના ભારતના એક પ્રભાવક તપસ્વી સંત મહાત્માની અભિગ્રહ (પ્રતિજ્ઞા)વાળી અપૂર્વ તપશક્તિનો-જીવન-ધટનાનો એમાંથી ખ્યાલ આવે છે—
" यद् दूरं यद् दुराराध्यं, यच्च दूरे व्यवस्थितम् ।
तत् सर्व तपसा साध्यं, तपो हि दुरतिक्रमम् ॥" –એમની વિશિષ્ટ અભિગ્રહવાળી તપશક્તિને ગુરુ-પરંપરાથી જાણીને પ્રેરાયેલા પાછળના અન્ય કવિએ એ કાવ્ય રચ્યું માનવું યોગ્ય ગણાય. તા. ૧-૧૨-૪૫.
ભિન્ન ભિન્ન જીવેનું આયુષ્ય સંગ્રાહક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી અભયસાગરજી “પૂર્ણાનંદી
[ પૂ. મુ. મ. શ્રી ધર્મસાગરજી શિષ્ય ] આપણાં શાસ્ત્રોમાં તેમજ અન્ય પ્રકરણદિક ગ્રન્થમાં, સામાન્યતઃ છવિભાગના નરતિચ-મનુષ્ય–દેવએમ ચાર પ્રકાર કરી તેઓને પ્રત્યેકના વિશિષ્ટ ભેદે બતાવી પ્રત્યેકનું આયુષ્ય વર્ણન કરેલ છે. કેટલાક મનુષ્ય અને તિર્યંચના વિશિષ્ટ ભેદોમાં વર્તમાન કાલમાં સંભવતા આયુષ્યનું વર્ણન એક પ્રાચીન પુસ્તકના આધારે અહીં રજુ થાય છે
For Private And Personal Use Only