SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કંઇક શંખેશ્વર સાહિત્ય લેખિકાઃ શ્રીમતી શારલોટે કાઉ, ડો. લિ., ભારતીય સાહિત્યવિશારદા, યુરેટર, સિંધિયા ઓરિએંટલ ઈન્િસ્ટટયૂટ, ઉજજેન. વજન નગરીનું નામ પ્રાતઃસ્મરણીય શ્રી અવંતિસુકમલ, પ્રૌઢપ્રતાપી શ્રી સિહસેન દિવાકર, તેજસ્વી શ્રી કાલકાચાર્ય, શાસનપ્રભાવક મહારાજા સંપ્રતિ, અને શ્રી વિક્રમાદિત્યનાં ચરિત્રોના નિમિત્તથી જેને અતિપરિચિત અને આદરણીય છે. આ નગરી આજે શ્રીમંત સિંધિયા સરકારના ગ્વાલિયર રાજ્યનું બીજું શહેર છે. ભૂતકાળના યશવી સાહિત્યના પૂજાસ્થાન રૂપે ત્યાં કેટલાંક વર્ષોથી પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનું એક સરકારી સંગ્રહાલય વિદ્યમાન છે જે શ્રી સિંધિયા એરિએંટલ ઇન્સ્ટિટયૂટનાં નામથી પ્રસિહ છે. આ સંસ્થાના આશરે ૭૫૦૦ ગ્રંથમાં એક નાનકડે અંશ જૈન મળે છે, જેમાં કંઈક એવી વસ્તુઓ મળી આવી છે કે જે વિદ્વાનનું લક્ષ્ય ગાકાત કરે. - પૂજ્યપાદ શાંતમુક્તિ મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજ દ્વારા વિરચિત “શંખેશ્વર મહાતીર્થ” નામના સુન્દર અને ઉપયોગી પુસ્તકનું નિરીક્ષણ કરતી વખત વિદિત થયું કે શ્રી સિંધિયા એરિએંટલ છન્સ્ટિટયૂટના સંગ્રહમાં મળી આવેલું કેટલું શંખેશ્વર પાર્શ્વનાથના સંબંધનું સાહિત્ય ઉપર્યુક્ત પુસ્તકમાં વિદ્યમાન નથી. તેમાં નિશ્વલિખિત ચિત્યવંદન અને સ્તવનો છે, જેમાંનાં કેટલાંક એવાં છે કે જે માધુનિ રુચિના હિસાબે પણ ગેય અને મને રંજક લાગે. પહેલી કવિતા નિર્ણમક છે, જયારે બીજી અને ત્રીજી કવિતાના એક જ કર્તા શ્રી હમીરવિજયજીના શિષ્ય શ્રી ઉત્તમવિજયજી છે, અને ચોથી તે જ ઉત્તમવિજયજીના શિષ્ય શ્રી મોહનવિજ્યજીની કૃતિ લાગે છે. પાંચમી અને છઠ્ઠી કવિતા પ્રસિદ્ધ ભક્તકવિ શ્રી જિનસુખસરિની કૃતિઓ છે, અને સાતમી કવિતા શ્રી ઉદયરત્નના નામથી અંકિત છે. આ સ્તવન મારવાડી ભાષાના પ્રયોગોથી અને શૃંગારરસ-અધિવાસિત અલંકારોથી શોભિત છે. આ વિશેષતાથી અનુમાન થાય છે કે આ કવિ એ જ ઉદયરત્ન લેવા જોઈએ કે જેમની પ્રસિદ્ધ કવિતાઓ સં. ૧૭૪૯ થી ૧૭૯૯ સુધી રચાએલ મલે છે, અને જેમને એમની કેટલી કૃતિઓ શગારરસથી અતિપૂર્ણ હોવાથી એક વખત સંધાડા બહાર કરવામાં આવ્યા હતા. (શ્રી. મો. દ દેશાઈ, જૈન ગુર્જર કવિઓ, બીજો ભાગ, . ૪૧૪), (૨) હાલેશ્વર જૈત્યવંદન' श्रीशंखेश्वर गांममां, श्रीसंखेस्वर पास । तिहां उठा प्रभु पूर, सहू केरी आस ॥ १ ॥ ठाम ठामना तिहां मिलें बहु संघ अपार । पर्ने प्रणमें नि थुणे, केई केई करे जोहार ॥२॥ तेहना पंछीत पूरए, प्रभुजी पास जिणंद । देषावें महीमा घणो पौमावई धरणिंद ॥ ३ ॥ લખેલી.) : પ્રત નંબર ૮૫૫ નં. ૯, (સં. ૧૮૮૦ વર્ષે માલ કૃષ્ણ ચતુર્થે શ્રી શમીન મરે” For Private And Personal Use Only
SR No.521617
Book TitleJain_Satyaprakash 1945 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy