SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ ] શ્રી જેને સત્ય પ્રકાશ [ વર્ષ ૧છે. તેટલેથી સંતોષ ન પામતાં, પોતે જ હુકમ ફરમાવે છે કે “પઝા =હવે પછી તે” એક પણ જીવની હાની થવી ન જોઈએ. આમ કરવામાં પોતે જૈનધર્મ પ્રત્યે ખરે ભક્તિવંત થયા છે અને જૈનધર્મમાં પ્રરૂપેલ વીરાનું રહસ્ય (નિશુદ્ધિગસ્ટવોળેિ sો કરાવતો . કુંનદ મ કહા થા નાથવો વીથિકા) પિતે આચારમાં મૂકીને પ્રત્યક્ષ બતાવ્યું છે. ધારું છું કે મહારાજા પ્રિયદર્શીએ કોતરાવેલ લેખમાંના શબ્દો પરના આટલા ખુલાસાથી તેઓ જીવરક્ષા સંબંધી કેવું માનસ ધરાવતા હતા તે હવે સ્પષ્ટપણે સમજાશે. શ્રી ખખરકૃત ‘જગચરિત’નો અનુવાદ [ અજૈન વિદ્વાનોના હાથે જે સાહિત્ય અંગે થતી ભૂલને નમૂને ]. લેખક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી (ત્રિપુટી). જૈનેતર વિદ્વાન જૈન સાહિત્યના પ્રકાશન અને પ્રચાર માટે પ્રયત્ન કરે છે તે ખરેખર પ્રશંસનીય છે. પરંતુ કોઈ વિદ્વાને અરેનપણના ચશ્મા પહેરીને જ જયારે પ્રયત્ન કરે છે ત્યારે તે જે વસ્તુને ઘણું જ અન્યાય આપે છે. ભગવતીસાર, વિપાકસૂત્રની પ્રસ્તાવના વગેર દાખલા તરીકે મોજુદ છે. આ સિવાય જેને પરિભાષા નહીં જાણવાથી પણ કોઈ કઈ વિદ્વાન જૈન સાહિત્યને ઊલટી રીતે ચીતરે છે. યુરોપના ઘણું જેન કલરને પુસ્તકામાં આવી ભૂલે સહજ રીતે હોય છે જ, જે માટે જૈન સાહિત્યના અભ્યાસીઓએ પ્રસંગે પ્રસંગે છાપાઓ દ્વારા ચર્ચા કરી છે અને ઘણું ખરી ભૂલને સુધારા કરાવેલ છે. આવું જ એક પુસ્તક મારા હાથમાં આવ્યું, જેનું નામ છે “જગડૂચરિત”. આચાર્ય ધનપ્રભસૂરિના શિષ્ય આચાર્ય સર્વનન્દસૂરિએ સાત સર્ગમાં સંસ્કૃત જગચરિત-મહાકાવ્ય બનાવ્યું છે. તેને વિ. સ. ૧૯૫૩ માં શ્રીયુત મગનલાલ દલપતરામ ખખરે ભાષાંતર સાથે પ્રસિદ્ધ કરેલ છે. પહેલાં અહીં એક પ્રાસંગિક ઘટના લખી દઉં તો તે અસ્થાને નહીં લેખાય.. . એક કોર્ટમાં શ્વેતામ્બર અને દિગમ્બરોએ “મૂળ નાયક” માટે ખૂબખૂબ દલીલે કરી, જે સાંભળ્યા પછી મુસલમાન જજ સાહેબ છેલ્લા કે-ભાઈઓ! તમો જે મૂળનાયક” માટે આટલું આટલું કહે છે તે મૂળ નાયકને જ કોર્ટમાં હાજર કરેને કે તેના મુખેથી જ બધેય ખુલાસા મેળવી શકાય ? જજના આ શબ્દોથી કેટલાએક મનમાં હત્યા, અને કેઈકને એમ પણ થયું કેઆ ન્યાયાધીશ સાહેબ અમારે ન્યાય આપવાના છે !! (૩) મહારાજા પ્રિયદર્શી ઉર્ફે સંપ્રતિએ સ્વહસ્તે શિલાલેખો અને સ્તંભલેખામાં આલેખિત પિતાનું જીવનચરિત્ર આપણું જેન સાહિત્યગ્રંથકથિત વર્ણન સાથે કેવું સંપૂર્ણ રીતે સુસંગત થાય છે એટલે કે તેમાં કોઈ પણ અંશ કેવળ કલ્પનામાંથી ઉપજાવી કાઢેલ નથી પરંતુ તદ્દન ઐતિહાસિક રીતે જ પ્રરૂપાયેલ છે એવું જાણવાની ઈચ્છા વાળાએ, સત્ર શિયલ યાને ભૂલથી મનાયલા મારાના કરો અથવા જૈન સત્રા સંત નામે માર પુસ્તક વાંચી જવા વિનંતી છે. તેમાં પ્રિયદર્શીને જૈનધર્મી સંપ્રતિ મહારાજ પુરવાર કરતા લગભગ સવાસો જેટલા મુદ્દાએ કાઠાવાર બતાવ્યા છે. તે સર્વે ક્રમશઃ હવે પછીના અંકમાં સમજૂતિ સાથે રજુ કરવા ધારું છું. * For Private And Personal Use Only
SR No.521609
Book TitleJain_Satyaprakash 1945 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy