________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮]
જૈન સત્યપ્રકાશ
[[વર્ષ ૧.
६ (ङ) अस्ति पितु एकचा समाजा साधुमता देवानं७ प्रियस प्रियदसिनो राजो (च) पुरा महानसम्हि ८ देवानंप्रियस प्रियदसीनो राजो अनुदिवसं ब९ हूंनि प्राणसतसहस्रानि आरभिसु सूपाथाय १० (छ) से अज यदा अयं धमलिपी लिखिता ती एव प्रा११ णा आरभरे सूपाथाय द्वो मोरा एको मगो सो पि १२ मगो न ध्रुवो (ज) एते पि त्री प्राणा पछा न आरभिसरे
પ્રથમ શાસન (ગિરનાર) અનુવાદ (૪) આ ધર્મશાસન દેવાનુપ્રિય પ્રિયદસિ રાજાએ લખાવેલ છે. (ણ) અહીં કોઈ પણ પ્રાણીને વધ કરી તેને ભેગ આપવો નહિ. (૪) તેમજ મેળો ભર નહિ. (૪) દેવાનુપ્રિય પ્રિયદસિ રાજા મેળામાં ઘણું દેવ જુએ છે. (૪) પરંતુ કેટલાક મેળાઓ એવા પણ છે જેને દેવાનુપ્રિય પ્રિયદસિ રાજા સારા ગણે છે. (૪) પૂર્વે દેવાનુપ્રિય પ્રિયદસિ રાજાના રસોડામાં પ્રતિદિન સેંકડે અને હજારો પ્રાણીઓને
- રસોઈ માટે વધ થતો હતો. (૪) પણ હવે આ ધર્મશાસન લખાવતી વેળા બે મોર અને એક હરણ-તેમાં પણ હરણ તે
નિયમિત નહીં–એમ માત્ર ત્રણ પ્રાણીઓને રસોઈ માટે વધુ થાય છે. () આ ત્રણ પ્રાણીઓને પણ હવે પછી હણવામાં નહીં આવે.
જોઈ શકાશે કે આખુયે શાસન બાર પંકિતવાળા આઠ વાક્યમાં ઉત્કીર્ણ થયેલ છે આપણું જૈન ગ્રંથમાં કરાયેલ વર્ણન પ્રમાણે સંપત્તિ મહારાજે ગાદીએ બેઠા પછી ત્રીજા વર્ષે શ્રી આર્ય સુહસ્તિજી મહારાજના ઉપદેશની જૈનધર્મ અંગીકાર કરેલ છે. જ્યારે આ શાસન તે તેમણે ગાદીએ બેઠા પછી બારમા વર્ષે કરાવેલ છે, કે જે સમયે તે સંપૂર્ણ પણે જેન બની ગયા હતા. એટલે ઉપરના છે અને ૪ વાળા છેલ્લા બે વાકયમાં નિર્દિષ્ટ મેર અને હરણના વધની હકીકત સંપ્રતિના જીવન સાથે બંધબેસતી થતી નથી એ હિસાબે વાંધો ઉઠાવે છે.
મારે ખુલાસો –-કેવળ શબ્દની મારામારી ન કરતાં, તેમાં રહેલ ભાવનો વિચાર કરવો જોઈએ. છતાં જે શબ્દો જ માત્ર ધ્યાનમાં લેવા હોય તે, મનગમતા બે-ચાર શબ્દ જે ચૂંટી લેવા કરતાં આગળ પાછળ વપરાયેલ અન્ય શબ્દોના સંબંધને તેમજ સમગ્રપણે રજુ કરેલ પરિસ્થિતિને પણ વિચાર કરવો જોઈએ. જેમકે મૂળની પંકિત ૩ માં જીવ શબ્દનો અર્થ અનુવાદવાળા (૪) વાકયમાં “પ્રાણ” કરાય છે. સામાન્ય રીતે તે અર્થ બરાબર દેખાશે, પરંતુ ગોત્ર તે જૈન દર્શનને પારિભાષિક શબ્દ છે. બૌદ્ધધર્મમાં તેને સમાંતર કોઈ શબ્દ જ નથી તેમ તેવા ભાવાર્થમાં તે વપરાતું પણ નથી.
For Private And Personal Use Only