________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
અંક ૭ ] પિસ્તાળીશ આગમ લખાવનારા બે ભાઈઓની પ્રશસ્તિ [ ૧૨૫
સંપત્તિ કથામિક્ષ મહાતિમુવિ તpો)ક્ષા તેજપાલીતથઃ સ્થિ]િવા વશિક્ષા દા શ્રાવકશાન ઘર્માતા ! समुज्ज्वलं यशः प्राप्य द्योतितं कुलमात्मनः ॥ ७ ॥ श्रीसाधर्मिकवाछ(त्सल्य-तीर्थयात्रा सुविस्तरा । संघपूजा-ज्ञानभक्तिपरोपकृतिकादिकम् ॥ ८ ॥ वृद्धतपागच्छेश्वरः श्रीन्धिसागरसूरिवचनपीयुषम् । पीत्वा चकोर इव सत्च उथाको नाम धौरीयः ॥ ९ ॥ किञ्चिद् ग्रन्थसमायुक्तं चतुर्थावो गुणैर्युतः । Tળતા[T] જુવાનિઝવમાગ્યાં તો તે ૨૦ | શ્રીદાકત-સ્ત્રધર્મામા (૪૧) પ્રારમ્ श्रीसिद्धान्तं सुवृत्तात्मा सुपुस्तकमलीलिखत् ॥ ११ ॥ यावन्मेरुः महीपीठे यावत् श्रीमलयाचलः ।। तावदेतच्चिरं नन्द्याद् वाच्यमानं बुधेश्वरैः ॥ १२ ॥
બંને પ્રશસ્તિઓને ભાવાર્થ - સંવત્ ૧૫૬૮–૧૫૬૯ શાકે ૧૪૩૪ ના કાર્તિક સુદિ પ્રતિપદા અને ૧૨ રવિવારે શ્રી શ્રીમાળ જ્ઞાતીય સાહ દેધર, તેના પુત્ર ઠા. આલ્ફણસી, તેના પુત્ર પાલ૯ણસી, તેના પુત્ર જઈતા, તેના પુત્ર રાઉલ, તેની પત્ની મચકૂ, તેના પુત્ર શા. સીધર, તેની પત્ની સહી–તેના પુત્ર જઠા, મેઘા, ભાવડ અને પાંચા નામે હતા. તેમાં જૂઠા સંધપતિ થયો હતા. તેની ધર્મચારિણે પત્ની જસમાદે નામે હતી. તેમને પાંડવોની જેવા પાંચ પુત્રો, મહીપતિ, રૂપ, ચઉથા, હર્ષ અને સહસા નામે હતા. એ પાંચે બંધુઓ પ્રવીણ હતા. તેમાં મહીપતિની ભાર્યા પદ્માઈ હતી. તેનાથી ડાહ્યો અને વસ્તા નામના વૃષભ સમા બે પુત્ર થયા. ડાહ્યાની ભાર્યા ગદૂ નામે હતી. તેનો પુત્ર જીવરાજ હતો. રૂપાની પત્ની કીબી હતી, તેમને રાજા, ભોજા, જેઠા, ધમસી નામે પુત્રો હતા. ચઉથાની પત્ની નામે મહાઈ હતી. તેમને તેજપાલ અને કર્મસી નામે પુત્ર હતા. પાંચાના પુત્ર ઘુસા અને તેને પીદી નામે પત્ની હતી. તેમને વર્ધમાન અને પાસા નામે બે પુત્રો હતા. આ બધા કુટુંબ પરિવારવાળા મેઘાકે ઉપર્યુક્ત પ્રતિઓ લખાવી.
આ મેઘરાજે સાતે ક્ષેત્રોમાં પિતાનું ધન વાપર્યું હતું. તેને લાલિકા નામે પત્નીથી કળાપ્રવીણ પુત્ર હતો. મેઘાએ માંડવગઢમાં મોટું મંદિર બંધાવી તેમાં તેણે જિનેશ્વર ભગવાનની પ્રતિમા સ્થાપના કરી હતી. તેણે શત્રુંજય અને ગિરનારની યાત્રાઓ કરી હતી અને આબૂ ઉપર ખૂબ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી.
વૃદ્ધતપાગચ્છના શ્રેષ્ઠ આચાર્ય શ્રી લબ્ધિસાગરસૂરિને ધર્મોપદેશ સાંભળી અને પિતાના - વચનનું સ્મરણ કરીને વિચક્ષણ મેધાપુત્ર સેન પાલે જિનેશ્વર ભગવાનના સિદ્ધાન્ત-અંશે સં. ૧૫૬૮ માં શ્રી ગુણસાગર અને ચારિત્રવલભગણુના સદ્દઉદ્યમથી લખાવ્યા. આ
For Private And Personal Use Only